________________
૪૦૨
ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૩ છતાં જે પ્રયોજનથી ઉપસંપદા સામાચારી સ્વીકારી છે, તે કાર્ય સમ્યફ ન કરે તો પ્રથમ ભાંગો પણ શુદ્ધ બને નહીં. પરંતુ સામાન્ય રીતે ઉપસંપદ્ સ્વીકારનાર યોગ્ય હોય તેને યોગ્ય ગુરુ અનુજ્ઞા આપે, અને યોગ્ય શિષ્ય ઉપસંપદ્ સ્વીકારીને તે કાર્યનો અવશ્ય નિર્વાહ કરે, તે અપેક્ષાએ પ્રથમ ભાંગો શુદ્ધ છે.
અહીં પ્રથમ ભાંગો શુદ્ધ છે એમ કહેવાથી અર્થથી ત્રણ ભાંગાઓ અશુદ્ધ છે તેમ પ્રાપ્ત થાય છે. તેમાં બીજા અને ત્રીજા ભાંગામાં ગુરુની આજ્ઞાનું દેશથી અપાલન છે અને ચોથા ભાંગામાં ગુરુની આજ્ઞાનું સર્વથી અપાલન છે. માટે જે પ્રવૃત્તિમાં ગુણવાન ગુરુની આજ્ઞાનું અપાલન હોય તે પ્રવૃત્તિ સામાચારી બને નહીં, તેથી તે ત્રણ ભાંગાથી સ્વીકારાયેલ ઉપસંપદુ, ઉપસંહદ્ સામાચારી બને નહીં.
અપવાદથી બાકીના ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે, અપવાદથી સ્વીકારાયેલ આ ત્રણ ભાંગામાં ઉપસંપ સામાચારી સ્વીકારવાનું સમ્યકુ ફળ જે શાસ્ત્રઅભ્યાસ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. વળી ભગવાનના વચનાનુસાર અપવાદથી તે પ્રવૃત્તિ હોવાથી શુદ્ધ સામાચારીના પાલનરૂપ છે, તેથી સામાચારીના પાલનકૃત નિર્જરાની પણ પ્રાપ્તિ છે.
આ શેષ ત્રણ ભાંગાઓ પણ શુદ્ધ કહ્યા; કેમ કે ગુરુની અનુજ્ઞા ન હોય છતાં પણ કોઈક શ્રુતનો વિચ્છેદ થતો હોય ત્યારે તે શ્રુતના અવિચ્છેદના હેતુથી જો ઉપસંપદા સ્વીકારવામાં આવે તો તેમાં ભગવાનની આજ્ઞા છે. પરંતુ તેનું કોઈ કારણ ન હોય, માત્ર શ્રુત ભણવાના આશયથી જવું હોય અને ગીતાર્થ ગુરુ અનુજ્ઞા આપતા ન હોય તો ઉપસંપદા માટે જવાનો નિષેધ છે.
અહીં અપવાદથી પાછળના ત્રણ ભાંગાઓ શુદ્ધ કહ્યા ત્યાં સામાન્યથી ગુરુની આજ્ઞાનું પાલન નહીં હોવાથી તે ઉપસંપદ્ સામાચારી શુદ્ધ બને નહીં. આમ છતાં, ભગવાનનું શ્રુતજ્ઞાન જગતના જીવોને અત્યંત ઉપકારક છે અને તેનો જ્યારે નાશ થતો હોય ત્યારે, તે શ્રુતના બળથી ભાવિમાં ઘણા જીવોને ઉપકાર થવાનો છે તેનો પણ નાશ થશે, અને પોતાને પણ તે મૃતથી જે ઉપકાર થાય તેમ છે તે થશે નહિ, એવું જ્યારે શિષ્યને દેખાય, ત્યારે તેને થાય કે ગુરુની આજ્ઞા કરતાં શ્રુતના રક્ષણની ભગવાનની આજ્ઞા બળવાન છે, માટે ગુરુની આજ્ઞા નહીં હોવા છતાં શિષ્ય અન્ય ત્રણ ભાંગાઓથી પણ ઉપસંહદ્ સ્વીકારે તો તેની તે પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ બને છે, માટે એ ત્રણ ભાંગાને પણ અપવાદથી શુદ્ધ કહેલ છે; અને અપવાદ શબ્દથી પણ એ કહેવું છે કે, અવ્યવચ્છિત્તિરૂપ કારણવિશેષને આશ્રયીને આ ત્રણ ભાંગા શુદ્ધ છે, અને તે કારણે ગુરુની આજ્ઞા વિના જવું તે અપવાદ છે; અને જ્યારે પહેલા ભાગમાં તેવું કોઈ વિશેષ કારણ નથી, તોપણ ગુરુની આજ્ઞાનુસાર ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી શુદ્ધ છે, માટે પ્રથમ ભાંગો ઉત્સર્ગથી શુદ્ધ છે. ll૭all
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org