________________
૩૯૪
ઉપસંપદા સામાચારી, ગાથા : ૭૦-૭૧ વર્તતા સ્થિરીકરણ છે=ભણેલા સૂત્રતા સંસ્કાર દઢ કરનાર ફરી ઉચ્ચારણ સ્થિરીકરણરૂપ છે, અને ગૃહીત અર્થનું તેવા પ્રકારે સંસ્કારની દઢતા કરે તેવા પ્રકારે, પુનઃ પુનઃ અનુસંધાનરૂપ સ્થિરીકરણ છે અને ઉભયનું સૂત્ર અને અર્થ એ બંનેનું, ઉભય છે સૂત્રનું પુનઃ ઉચ્ચારણરૂપ સ્થિરીકરણ અને અર્થનું પુનઃ પુનઃ અનુસંધાનરૂપ સ્થિરીકરણ છે. એ પ્રકારનો ભાવ છે સૂત્ર, અર્થ અને તદુભય વિષયક વર્તતા જ્ઞાનઉપસંપદ્ સમાચારી થાય છે.
હવે સંધવાના લક્ષણને સ્પષ્ટ કરે છે - વળી તેનું સૂત્રનું, અર્થનું અથવા ઉભયનું, પ્રદેશાંતરમાં કોઈક અવચ્છેદકમાં-સૂત્ર-અર્થ અને તદુભયના અમુક ભાગમાં, નષ્ટતું=શ્રુત સંસ્કારનું, ઘટન=સ્મરણ, સંધના થાય છે.
હવે ગ્રહણનું લક્ષણ સ્પષ્ટ કરે છે તથા=અને, અપૂર્વધરણ-સ્વ સમાન અધિકરણમાં તત્સમાન વિષયક જ્ઞાન અપ્રયોજ્ય જ્ઞાન ગ્રહણ અર્થાત્ જે વ્યક્તિ નવું જ્ઞાન ભણતી હોય તે વ્યક્તિ તે જ્ઞાનનું અધિકરણ છે. તેથી સ્વ=નવીન ગ્રહણ કરાયેલા જ્ઞાનનો અધિકરણ એવો નવું જ્ઞાન ભણવાર આત્મા, એ જ અધિકરણરૂપ આત્મામાં તદ્દનવીન ગ્રહણ કરાયેલ જ્ઞાન, એવા સમાન વિષયક જે પહેલાંનું પ્રાપ્ત કરેલું જ્ઞાન, તેનાથી અપ્રયોજ્ય એવું જ્ઞાનગ્રહણ પૂર્વનું જ્ઞાન અકારણ છે જેમાં એવું જ્ઞાન ગ્રહણ તે અપૂર્વધરણરૂપ ગ્રહણ છે.
ઢાં એ ‘પત્ર અર્થમાં છે. તેથી અહીં ઉપસંપ સમૂહમાં, આવશ્યમાણ, ચાર ભાગા=પ્રકારો, પ્રતિષ્ણુય અને પ્રતિચ્છકના ચિત્રથી સંદિષ્ટ-અસંદિષ્ટરૂપ ચિત્રથી, થાય છે. ૭૦-૭૧ાા ભાવાર્થ:
-: હવે ગ્રંથકાર વર્તનાદિના લક્ષણને કહે છે :સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને વર્તના આ પ્રમાણે છે – વર્તના સ્થિરીકરણ. સ્થિરીકરણ એટલે કે,
(૧) પોતે જે સૂત્ર ભણેલ છે, તેના સંસ્કારની દઢતાને કરે એ રીતે સૂત્રને ફરી ફરી ઉચ્ચારણ કરે તે સૂત્રની વાર્તા કહેવાય.
(૨) ગૃહીત અર્થને તે રીતે ફરી ફરી અનુસંધાન કરે અર્થાત્ જે રીતે સંસ્કાર દૃઢ થાય તે રીતે ફરી અનુસંધાન કરે તે અર્થની વર્તના કહેવાય.
(૩) સૂત્રની અને અર્થની બંનેની વર્તન કરે તો ઉભયનું ઉભય છે - અર્થાત્ સૂત્રના પુનઃ ઉચ્ચારણરૂપ વર્ણના છે અને અર્થના પુનઃ પુનઃ અનુસંધાનરૂપ વના છે.
આનાથી એ ફલિત થાય કે કોઈ સાધુ પોતાનાં ભણેલાં સૂત્રો સ્થિર કરવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે, કોઈક સાધુ ભણેલાં સૂત્રોને પણ ફરી ફરી તે રીતે અનુસંધાન કરવા માટે પણ અન્ય ગુરુનો આશ્રય કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org