________________
૩૯૨
ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૦-૭૧ એ પ્રાપ્ત થાય કે, જે સૂત્ર સામાન્ય શબ્દથી અન્વય કરીને આપવામાં આવે પણ જેનો ઐદંપર્યાર્થ વિવરણ કરીને બતાવવામાં ન આવે તે સૂત્રગ્રહણ કહેવાય. જેમ સ્થૂલભદ્રજીને ભદ્રબાહુસ્વામીજીએ પાછળનાં ચાર પૂર્વો સૂત્રથી ભણાવ્યાં.
ગર્થ=સૂત્રનું વિવરણ. સૂત્રના વિવરણરૂપ અર્થ છે, કે જે શ્રોતાની શક્તિ પ્રમાણે સંક્ષેપથી કે વિસ્તારથી વિવરણ કરાય છે.
તડુમય=સૂત્ર અને અર્થ ઉભય. તેનો અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે,‘તદુમયં=તવિશિષ્ટ” અને તેનો જ અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે, એક વિશિષ્ટ અપ૨ અર્થાત્ સૂત્રવિશિષ્ટ અર્થ અથવા અર્થવિશિષ્ટ સૂત્ર - એ પ્રમાણે તદુભયનો અર્થ થાય; કેમ કે એક શબ્દથી સૂત્ર ગ્રહણ કરીએ તો અપર શબ્દથી અર્થની પ્રાપ્તિ થાય છે. તેથી સૂત્રવિશિષ્ટ અર્થ એ પ્રમાણે અર્થની પ્રાપ્તિ થાય. અને જ્યારે એક શબ્દથી અર્થ ગ્રહણ કરીએ તો અપર શબ્દથી સૂત્રની પ્રાપ્તિ થાય છે. તેથી અર્થવિશિષ્ટ સૂત્ર એ પ્રમાણે અર્થનું ગ્રહણ થાય છે. તે આ રીતે –
જ્યારે કોઈ સાધુ કોઈક સૂત્ર અને તેના ઉપરથી અર્થનો અભ્યાસ કરતા હોય કે સ્મરણ કરતા હોય ત્યારે સૂત્રવિશિષ્ટ અર્થ બને છે. ક્યારેક કોઈ સાધુને કોઈક અર્થ પ્રથમ ઉપસ્થિત થયેલો હોય અને અર્થના આધારે તે અર્થને કહેનાર કયું સૂત્ર છે ? એ રીતે સૂત્રનું સ્મરણ કરે ત્યારે અર્થવિશિષ્ટ સૂત્ર બને છે.
આ રીતે સૂત્ર, અર્થ અને તે ઉભયને આશ્રયીને જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારી સ્વીકારાય છે અને તે પણ કોઈક સાધુ વર્ઝના માટે, તો કોઈક સાધુ સંધના માટે, તો કોઈક સાધુ નવા શ્રુતના ગ્રહણ માટે પણ સ્વીકારે, તેથી ૩X૩–૯ ભેદ થયા. આ રીતે જ્ઞાનના વિષયમાં ઉપસંપદા સામાચારી નવ પ્રકારની થઈ. તે રીતે દર્શનશાસ્ત્રના અધ્યયનના વિષયમાં પણ તે નવ પ્રકારની દર્શનવિષયક ઉપસંપદા સામાચારી છે.
અહીં જ્ઞાનના નવ પ્રકારનું સાક્ષાત્ કથન કર્યું અને દર્શનના નવ પ્રકારનો અતિદેશ કરેલો છે.
નવ વિકલ્પાત્મક જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારી :
૧. સૂત્રને આશ્રયી વર્ત્તના અર્થે
૨. સૂત્રને આશ્રયી સંધના અર્થે
૩. સૂત્રને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે
૪. અર્થને આશ્રયી વર્ત્તના અર્થે
૫. અર્થને આશ્રયી સંધના અર્થે
૬. અર્થને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે
૭. તદુભયને આશ્રયી વર્ષના અર્થે
૮. તદુભયને આશ્રયી સંધના અર્થે ૯. તદુભયને આશ્રયી અપૂર્વગ્રહણ અર્થે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org