________________
૩૧
ઉપસંપદા સામાચારી ગાથા : ૭૦-૭૧ ટીકાર્ચ -
વત્તા ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે. | ‘સુન્નત્યંતકુમથેનો સમાસ વિગ્રહ આ પ્રમાણે છે – સૂત્ર=અવિવૃત ગ્રંથ, અર્થ=સૂત્રનું વિવરણ, અને તદુભવ=તદ્વિશિષ્ટ. તદ્વિશિષ્ટને જ સ્પષ્ટ કરતાં કહે છે – એક વિશિષ્ટ અપર અર્થાત્ સૂત્રવિશિષ્ટ અર્થ અને અર્થવિશિષ્ટ સૂત્ર તે તદુભાય. ત્યાર પછી સમાહાર દ્વન્દ સમાસથી દ્વિતીયા એકવચવાળું સુન્નત્યંતકુમ' પદ બન્યું. અને તે રીતે=જે રીતે સૂત્ર, અર્થ અને તદુભયનો અર્થ પૂર્વમાં કર્યો તે રીતે, સૂત્ર, અર્થ અને તદુભયને પ્રાપ્ય આશ્રયીને, વર્તતા, સંધના અને ગ્રહણ વિશિષ્ટ એવા જ્ઞાને=જ્ઞાનના વિષયમાં ઉપસંપદ્ છે એમ અવય છે. અહીં પણ=સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને વર્તતા, સંધના અને ગ્રહણ છે, તેમાં પણ, સમાહાર દ્વન્દ સમાસથી એકવચન છે. “ઉપસંપ એ પ્રકારના શબ્દનો પૂર્વ ગાથાથી અનુષંગ છે=અનુવૃત્તિ છે. અને એ રીતે=વર્તતા, સંધના અને ગ્રહણરૂપ જ્ઞાનના વિષયમાં સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ઉપસંપદા છે એ રીતે, સૂત્રાદિ ત્રણમાં પ્રત્યેકનું વૈવિધ્ય હોવાથી જ્ઞાન ઉપસંપદાનું નવવિધપણું છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે.
હવે દર્શન ઉપસંપતા અતિદેશને બતાવે છે –
એ રીતે ઋઉક્ત રીતિથી જ જ્ઞાન ઉપસંપદાના નવ વિભાગ પડ્યા એ રીતે જ, દર્શનમાં પણ છે; અને એ રીતે જ્ઞાન ઉપસંપáા કથનથી દર્શન ઉપસંપદ્ધો અતિદેશ છે એ રીતે, દર્શન ઉપસંપર્લ પણ તવવિધપણું જ છે, એ પ્રમાણેનો ભાવ છે.
* ‘સત્રપિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, જેમ ‘સુન્નત્યંતકુમ' માં સમાહારદ્વન્દ સમાસથી એકવચન છે, તેમ અહીં પણ=વનાસંધનાપ્રદ” માં સમાહાર દ્વન્દ સમાસથી એકવચન છે.
* ‘ર્શનેડપિ' અહીં ‘પ' થી જ્ઞાનનો સમુચ્ચય છે અર્થાત્ જેમ જ્ઞાન ઉપસંપદ્ નવ પ્રકારની કહી તેમ દર્શન ઉપસંપદુ પણ નવ પ્રકારની છે. ભાવાર્થ -
ઉપસં૫૬ સામાચારી જ્ઞાન અને દર્શન માટે નવ-નવ પ્રકારે ગ્રહણ કરવામાં આવે છે. તેમાં કોઈક સાધુ સૂત્ર ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે, કોઈક સાધુ અર્થ ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે અને કોઈ સૂત્ર-અર્થ-તદુભય ભણવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે. સૂત્ર માટે પણ ક્વચિત્ વર્તના અર્થે, ક્વચિત્ સંધના અર્થે અથવા ક્વચિત્ અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે. તે જ રીતે અર્થ માટે વર્તના, સંધના અને અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી ગ્રહણ કરાય છે, અને કોઈક વ્યક્તિ સૂત્ર, અર્થ અને ઉભયને આશ્રયીને વર્તના, સંધના અને અપૂર્વગ્રહણ અર્થે ઉપસંપદા સામાચારી ગ્રહણ કરે છે. એ રીતે નવ વિકલ્પો જ્ઞાનવિષયક ઉપસંપદા સામાચારીના થાય છે.
સુત્રસૂત્રનો અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે, અવિવૃત–વિવરણ નહીં કરાયેલ ગ્રંથ તે સૂત્ર છે. તેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org