SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ છે એમ કહી શકાય; કેમ કે રોગ મટાડવા માટે ઔષધવિષયક ઈચ્છા છે. હવે કોઈ વ્યક્તિ રમ્ય ખાદ્ય પદાર્થ જુએ છે, ત્યારે તે ખાદ્યપદાર્થવિષયક ઈચ્છા થાય છે. તે ઈચ્છા કંઈ ઔષધવિષયક ઈચ્છા જેવી ઈચ્છા નથી, પણ સ્વાભાવિક ઈચ્છા થાય છે; કેમ કે ઈન્દ્રિયને અનુકૂળ ભોગસામગ્રી હોય તો ભોગસામગ્રી વિષયક ઈચ્છા જીવને થાય છે; કેમ કે ભોગો રમ્ય લાગે છે, એને આલાદ થાય છે, માટે ભોગવિષયક સ્વતઃ જીવને ઈચ્છા થાય છે; પરંતુ રોગ મટાડવાના કારણરૂપે જેમ ઔષધની ઈચ્છા થઈ, તેમ અહીં અન્ય કોઈ કારણને આધીન ઈચ્છા નથી. તેથી ભોગમાં ભોગવિષયક ઈચ્છા છે અને ભોગનિમિત્તક ઈચ્છા છે, એ બંને પ્રયોગ થઈ શકે; પરંતુ ઔષધમાં ઔષધનિમિત્તક ઈચ્છા છે, તે પ્રયોગ થઈ શકે નહીં, પરંતુ ઔષધવિષયક ઈચ્છા છે, તે પ્રયોગ થઈ શકે; કેમ કે રોગ મટાડવા નિમિત્તક ઔષધવિષયક ઈચ્છા છે. તેથી ભોગની જેમ પ્રસ્તુતમાં જ્ઞાનનિમિત્તક ઉપસંપ અને જ્ઞાનવિષયક ઉપસંપદ્ છે, એમ બંને પ્રયોગ થઈ શકે છે. પરંતુ જ્ઞાનનિમિત્તક ઉપસંપ છે એમ કહેવું વધારે સુંદર છે, જેથી ઔષધવિષયક ઈચ્છા છે, તેવી ઈચ્છા નથી, પરંતુ તેનાથી વિલક્ષણ એવી ભોગવિષયક ઈચ્છા છે, તેના જેવી ઈચ્છા છે, તેવો બોધ થાય છે. તે બતાવવા માટે અહીં નિમિત્તસપ્તમી સાધુ સુંદર, છે, એમ કહેલ છે. અહીં જ્ઞાનવિષયક ઉપસંપના બદલે જ્ઞાનનિમિત્તક ઉપસંપદું છે, તેમ કહેવાથી વિશેષ પ્રકારનો યથાર્થ બોધ થાય છે; કેમ કે જ્ઞાનવિષયક કહેવાથી વ્યાપક બોધ થાય છે અને જ્ઞાનનિમિત્તક કહેવાથી તેમાં સંકોચ થઈને ‘ચોક્કસ સ્થાને' તેવો બોધ થાય છે. તેનાથી એ ફલિત થાય કે, જ્ઞાનનિમિત્તક ઈચ્છા છે તે ભોગનિમિત્તક ઈચ્છા જેવી વિશેષ ઈચ્છા છે, પરંતુ ભોગવિષયક અને ઔષધવિષયક ઈચ્છા જેવી વ્યાપક ઈચ્છાનો વિષય નથી. જેમ ભોગ ઈન્દ્રિયના આલાદને પેદા કરે છે અને જીવને સુખરૂપે અનુભવાય છે, તેમ જ્ઞાન પણ સંવેગનું માધુર્ય પેદા કરીને સુખનું કારણ બને છે, તેથી જ્ઞાનનિમિત્તક ઉપસંપદા કહેવી તે વધારે ઉચિત છે. અને જ્ઞાનવિષયક ઉપસંપદા કહેવાથી વ્યાપક બોધ થવાને કારણે, ભોગ જેવી ઈચ્છા છે કે ઔષધ જેવી ઈચ્છા છે, તે બેનો ભેદ ખ્યાલ આવે નહીં. જ્યારે જ્ઞાનનિમિત્તક ઉપસંપદું કહેવાથી એ નક્કી થાય છે કે ભોગ જેમ ઈન્દ્રિયના સુખનું કારણ છે, તેમ જ્ઞાન સંવેગના સુખનું કારણ છે, માટે જ્ઞાનનિમિત્તક ઉપસંપ સામાચારી છે. સંક્ષેપથી સાર આ પ્રમાણે છે – (૧) ઔષધવિષયક ઈચ્છા છે – ઔષધનિમિત્તક ઈચ્છા નથી. એટલે “રોગી વ્યક્તિને ઔષધવિષયક ઈચ્છા છે” એમ કહી શકાય. (૨) ભોગવિષયક ઈચ્છા છે – ભોગનિમિત્તક પણ ઈચ્છા છે. એટલે સુખના અર્થી જીવની આ ઈચ્છા બંને પ્રકારની કહી શકાય. (૩) જ્ઞાનવિષયક ઉપસંહદ્ છે – જ્ઞાનનિમિત્તક પણે ઉપસંપદું છે. એટલે ઉપસપ ગ્રહણ કરનાર શિષ્યની ઈચ્છાને આ બંને પ્રકારની કહી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy