________________
૩૮૦
નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ પણ હવે “કઈ રીતે મારી યોગ્યતા ખીલવું કે જેથી આ મહાત્માઓની વૈયાવૃજ્ય કરીને નિર્જરાને પ્રાપ્ત કરું !” એવા પ્રકારનો ભાવનિમંત્રણાનો પરિણામ પૂર્વના પરિણામ કરતાં વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય છે. તેથી ગુરુ નિષેધ કરે છે તેવા સ્થાનમાં પણ ઉચિત આચરણા કર્યાનો પરિણામ જીવંત રહે છે, તેથી નિર્જરારૂપ ફળની સિદ્ધિ થાય છે.
ગુરુને પૃચ્છા કરવાથી જ્યારે ગુરુ નિષેધ કરે છે ત્યારે દ્રવ્યનિમંત્રણા કરવાનો પરિણામ ઉપરમ=વિરામ પામે છે. તેથી દ્રવ્યનિમંત્રણા કરવામાં જે ભાવ વર્તતો હતો તેનો સંકોચ થાય છે. અર્થાત્ બાહ્ય ક્રિયા કરવામાં ભાવનો સંકોચ થાય છે અને ઉત્તમ પુરુષની વૈયાવૃત્ત્વનું સમ્યક પાલન કરવાની યોગ્યતા ખીલવવાનો ભાવ પ્રકર્ષવાળો થાય છે; કેમ કે ગુરુના વચનથી તે જાણી શકે છે કે આ કાર્યની મારામાં યોગ્યતા નથી, માટે ગુરુ મને નિષેધ કરે છે. આવા ભાવના પ્રકર્ષથી નિર્જરાના ફળની પ્રાપ્તિ થાય છે. આ કથન જે સાધુમાં નિમંત્રણા સામાચારી પાલનની ઉચિત કુશળતા નથી તેને સામે રાખીને કરેલ છે.
સંક્ષેપમાં : નિમંત્રણા સામાચારીની ઈચ્છા થાય, તેથી
ગુરુને પૃચ્છા કરે, ત્યારે
ગુરુના નિષેધવચનથી બે ભાવો ઉત્પન્ન થાય? (૧) દ્રવ્ય નિમંત્રણા કરવાના અધ્યવસાયનો સંકોચ અને (૨) ભાવ નિમંત્રણા વિષયક યોગ્યતા ખીલવવા માટે ભાવનો પ્રકર્ષ,
તેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય. II૬૮ll
।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे निमन्त्रणा समाप्तोऽर्थतः ।।९।।
આ પ્રકારે નવમી નિમંત્રણા સામાચારી ગાથા-૧ર થી ૧૮ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં નિમંત્રણા સામાચારી વર્ણન કરાઈ.
+ નિમંત્રણા સામાચારી સમાપ્ત ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org