________________
૩૭૯
નિમંત્રણા સામાચારી/ ગાથા : ૧૮ ટીકાઃ
स्यादेतत्, निमन्त्रणायामेव गुरुपृच्छाया उपयोगित्वात्कथमकृते वैयावृत्त्ये निमन्त्रणां विना गुरुपृच्छामात्रात् साध्यसिद्धिः ? इति चेत् ? सत्यम्, गुरुपृच्छाजनितभावोत्कर्षप्रयुक्तोत्कर्षशालिभावनिमन्त्रणायोगादेव तत्र फलसिद्धेः, द्रव्यनिमन्त्रणायां तु पृच्छामात्रादेवोपरमे भावसंकोच एवेति बोध्यम् ।।६८।। ટીકાર્ય :
આ થાય=પૂર્વપક્ષના મતે આ થાય - નિમંત્રણામાં જ ગુરુની પૃચ્છાનું ઉપયોગીપણું હોવાથી (જો ગુરુ નિષેધ કરે તો) વૈયાવૃત્ય નહીં કરાયે છતે, નિમંત્રણા વિના ગુરુને પૃચ્છામાત્રથી સાધ્યની સિદ્ધિ=નિર્જરારૂપ સાધ્યની સિદ્ધિ, કેવી રીતે થાય? અર્થાત્ ન થાય, એમ જો તું પૂર્વપક્ષ, કહેતો હોય, તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત સત્ય છે, કેમ કે ગુરુની પૃચ્છાથી ઉત્પન્ન એવા ભાવઉત્કર્ષથી પ્રયુક્ત એવી ઉત્કર્ષશાલી ભાવનિમંત્રણાના યોગથી જ ત્યાંeગુરુ નિષેધ કરે છે ત્યાં, ફળસિદ્ધિ છે નિર્જરારૂપ ફળની સિદ્ધિ છે. પૃચ્છામાત્રથી જ દ્રવ્ય નિમંત્રણાનો ઉપરમ થયે છતે ભાવસંકોચ જ થાય છે, એ પ્રમાણે જાણવું. I૬૮ ભાવાર્થ:
અહીં આ પ્રમાણે પૂર્વપક્ષના મતે, પ્રશ્ન થાય – નિમંત્રણા સામાચારીમાં ગુરુપૃચ્છાનું ઉપયોગીપણું હોવાથી જો ગુરુ પૃચ્છા કરનારને નિષેધ કરે તો, વૈયાવૃત્ત્વ ન કરાય છતે નિમંત્રણા વિના ગુરુપુચ્છામાત્રથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. તેને ગ્રંથકાર કહે છે –
તારી વાત સત્ય છે અર્થાત્ નિમંત્રણા સામાચારીનું પૂર્ણ પાલન નહીં હોવાથી સાધ્યસિદ્ધિ ન થવી જોઈએ એ પ્રમાણે ‘સત્ય થી અર્ધસ્વીકાર કરીને કઈ રીતે સાધ્યસિદ્ધિ થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
ગુરુની પૃચ્છાથી જનિત એવા ભાવઉત્કર્ષથી પ્રયુક્ત એવી ઉત્કર્ષશાલી ભાવનિમંત્રણાના યોગથી જ તેવા સ્થાનમાં=જે સ્થાનમાં ગુરુ નિષેધ કરે છે તેવા સ્થાનમાં, નિર્જરારૂપ ફળની સિદ્ધિ છે.
આશય એ છે કે, વિવેકી સાધુ નિર્જરારૂપ ફળને અર્થે નિમંત્રણા સામાચારીના પાલનના અભિલાષવાળા બને છે, અને નિમંત્રણા સામાચારી પણ વિધિપૂર્વક કરાયેલી નિર્જરાના ફળને આપે છે તેમ તેઓ જાણે છે; અને તેથી વિધિના અંગરૂપે ગુણવાન એવા ગુરુને નિમંત્રણા સામાચારીના પાલન અર્થે પૃચ્છા કરે છે, ત્યારે ગુરુને જણાય કે આ સાધુ હજુ નિમંત્રણા સામાચારીના પાલન અર્થે અધિકારી નથી, તેથી તેને નિષેધ કરે, તો પણ વિવેકી સાધુ સમજે છે કે હું નિમંત્રણા સામાચારીનું પાલન કરી વિશેષ નિર્જરા કરી શકું એવી મારામાં યોગ્યતાવિશેષ પ્રગટી નથી, તેથી મને ગુરુએ નિષેધ કર્યો છે, માટે હવે મારે નિમંત્રણા સામાચારીને અનુકૂળ એવી યોગ્યતા કેળવવા માટે યત્ન કરવો ઉચિત છે. આવા પ્રકારના ભાવનો તેને ઉત્કર્ષ તેને થાય છે અને તે ભાવઉત્કર્ષને કારણે તેને પોતાની યોગ્યતા કેળવીને ઉત્તમ એવા મહાત્માની ભાવનિમંત્રણા કરવાનો ઉત્કર્ષશાલી પરિણામ થાય છે. અર્થાત્ પૂર્વમાં ગુરુને પૃચ્છા કરતાં જે નિમંત્રણા કરવા માટેનો અધ્યવસાય હતો, તેના કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org