SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ ‘ રોડપિ અહીં ૩પ થી એ કહેવું છે કે આજ્ઞા વિના નિમંત્રણા સામાચારીનું પાલન ન કરે તો તો ફળ ન મળે, પણ આજ્ઞા વિના નિમંત્રણા સામાચારીનું પાલન કરે તો પણ ફળ ન મળે. ભાવાર્થ પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે, મોક્ષની ઈચ્છાથી મોક્ષના ઉપાયમાં પણ ઈચ્છા યોગ્યતા પ્રમાણે શ્રેયકારી છે, પરંતુ યોગ્યતાનો વિચાર કર્યા વિના શ્રેયકારી નથી. તેથી કયા કાર્યની પોતાની યોગ્યતા છે તેનો બોધ કરવો આવશ્યક છે, અને તે બોધ કરવા માટે નિમંત્રણા સામાચારીનું પાલન કરનાર સાધુ ગુરુને પૂછે છે. ગુરુને લાગે કે આ સાધુ નિમંત્રણા કરશે તો ઘણા લાભો થશે અને તેનું પણ હિત થશે, તો ગુરુ અવશ્ય તેને અનુજ્ઞા આપે; અને ગુરુ જો જાણે કે આ સાધુ નિમંત્રણા સામાચારી કરશે તો તેનાથી સામેના સાધનો પ્રમાદ પોષાશે તો અનુજ્ઞા ન પણ આપે, અને વળી કદાચ સામેના સાધુનું હિત પણ થતું હોય, પરંતુ નિમંત્રણા સામાચારીની પૃચ્છા કરનાર સાધુને, નિમંત્રણાના બદલે અન્ય કૃત્ય કરે તો તેમાં તેનું અધિક હિત ગુરુ જોઈ શકે, તોપણ ગુરુ તેને અનુજ્ઞા ન આપે. તેથી પોતાને કયા કૃત્યમાં વિશેષ લાભ છે, તેનો બોધ કરવા અર્થે ગુરુને પૃચ્છા કરવામાં આવે છે, અને ગુરુની આજ્ઞાથી પોતાની યોગ્યતાનો નિર્ણય કરીને, જો તે સાધુ વિધિપૂર્વક વૈયાવૃત્ય કરે તો નિમંત્રણા સામાચારીનું સમ્યફ પાલન અને તેનું ફળ મળે છે; અને ગુરુ તે કાર્ય કરવાનો નિષેધ કરે તેથી શિષ્ય તે કાર્ય ન કરે તો પણ નિમંત્રણા સામાચારીના પાલનનિમિત્તક તેને લાભ મળે છે. તે આ રીતે - નિમંત્રણા સામાચારી કરવાના અભિલાષવાળા સાધુ ગુરુને પૃચ્છા કરે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિમંત્રણા સામાચારીનું ફળ પ્રાપ્ત થાય છે, અને ગુરુ જો તેને નિમંત્રણા કરવાનું કહે તો તે પ્રમાણે વિધિપૂર્વક નિષ્ઠા સુધી કૃત્ય કરે તો આજ્ઞાનું પાલન થાય છે; પરંતુ તે કાર્ય અધૂરું કરે અથવા અવિધિથી કરે તો તે સામાચારીનું પાલન થતું નથી. અને ગુરુની આજ્ઞા મેળવીને નિમંત્રણા સામાચારીના પાલન માટે અભ્યદ્યત સાધુ પણ, કોઈક કારણથી અધું કાર્ય કર્યા પછી કોઈક અનિષ્ટ દેખે અને તે અનિષ્ટ પ્રમાણિક હોય અને તેના કારણે કાર્ય ન કરે, તો પણ નિમંત્રણા સામાચારીનું પૂર્ણ પાલન થાય છે, કેમ કે સામાચારી તે સમ્યમ્ આચાર રૂપ છે અને સમ્યગુ આચાર તે કહેવાય કે જે એકાંતે સ્વ અને પરને કલ્યાણનું કારણ હોય. તેથી એ પ્રાપ્ત થાય કે, પોતે નિમંત્રણા સામાચારી શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરતા હોય તો, પોતાના ઉત્તમ ભાવોને કારણે પોતાને અવશ્ય નિર્જરા થાય, અને જેમની વૈયાવૃજ્યાદિ કરે છે, તેઓમાં પણ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય કે નિષ્પત્તિ થાય તેવો યત્ન હોવાથી તેમને પણ નિર્જરા પ્રાપ્ત થાય; અને આ પ્રકારની સામાચારીનું પાલન જોઈને યોગ્ય જીવોને તેની અનુમોદનાનો પરિણામ થાય, તેથી જોનારને પણ નિર્જરા પ્રાપ્ત થાય છે. જેમ નંદીષેણ મુનિની ઉચિત વૈયાવૃજ્યની પ્રવૃત્તિ જોઈને ઈન્દ્ર મહારાજાએ અનુમોદના કરીને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કર્યું. હવે કોઈક કારણથી ગુરુને નિમંત્રણ કરવાનું ઉચિત ન જણાય, અને પૃચ્છા કરનારને ગુરુ નિષેધ કરે, તોપણ નિમંત્રણા સામાચારીના પાલનકૃત નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે તેવો સંયોગમાં ગુરુપૃચ્છા સુધીના કાર્યમાં નિમંત્રણા સામાચારી વિશ્રાંત થાય છે, અને અપ્રમાદભાવપૂર્વક સામાચારી પાલનનો અધ્યવસાય હોય તો તે અધ્યવસાયથી જ સામાચારી પાલનજન્ય નિર્જરા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy