SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૧૭ ગમત દ્વારા ઈચ્છિત સ્થાનની અવિલંબિત પ્રાપ્તિ છે. એથી કરીને જે રીતે સરળ માર્ગમાં જગમતની ઈચ્છા શ્રેયકારી છે, એ રીતે મોક્ષના ઉપાયપણા વડે સકલ સંયમયોગનું સામ્ય હોવા છતાં પણ, જ્યાંક જે અનુષ્ઠાનમાં, જેનું જે વ્યક્તિનું અધિકારપાટવ છે =કાર્ય કરવાની પટુતા છે, ત્યાં તે અનુષ્ઠાનમાં, તેની તે વ્યક્તિની, ઈચ્છા અવિલંબિત સિદ્ધિની ક્ષમતા હોવાને કારણે શ્રેયકારી છે, અન્યત્ર નહીં, એ પ્રમાણે વિવેક છે. I૬૭ના * અત્ર તત્ર અધ્યાહાર છે. તે બતાવવા ટીકામાં યત્ર તત્રંતિ શેવ કહ્યું છે. *ર્દિ તિ – એ – અર્થમાં છે. * ‘યોઃ સાપેડ'િ અહીં ‘પ' થી એ કહેવું છે કે, બંને માર્ગ માર્ગ–માત્રથી સમાન ન હોય તો તો ગમનઈચ્છા શ્રેયકારી નથી, પરંતુ સમાન હોવા છતાં વક્ર માર્ગમાં ગમનઈચ્છા શ્રેયકારી નથી. *‘સત્તસંયમયો સાપેડ'િ અહીં ઉપિ થી એ કહેવું છે કે, જ્યાં યોગો બધા સમાન નથી તેવા દેશવિરતિ અને સર્વવિરતિ આદિમાં તો અધિકારપાટવ પ્રમાણે ઈચ્છા શ્રેયકારી છે, પરંતુ સર્વવિરતિના સંયમસ્થાનના કંડકોની વૃદ્ધિ કરવામાં બધા સંયમયોગો સમાન છે ત્યાં પણ, જેનો જેમાં અધિકાર પ્રાપ્ત છે, તેમાં જ તેને ઈચ્છા કરવી ઉચિત છે, અન્યમાં નહીં. ભાવાર્થ: પૂર્વના કથનને દઢ કરવા માટે દૃષ્ટાંત આપીને શિષ્યને વિવેક બતાવે છે તેમાં પ્રથમ બતાવે છે કે, નિર્જરા માટેના બે માર્ગ છે – (૧) સરળ માર્ગ અને (૨) વક્ર માર્ગ. શિષ્યને પૂછે છે કે, આ બે માર્ગમાંથી ક્યા માર્ગમાં પ્રવૃત્તિ કરવી શ્રેયકારી કહેવાય ? અર્થથી એ કહેવું છે કે, સરળ માર્ગથી પ્રવૃત્તિ કરવી શ્રેયકારી છે; કેમ કે માર્ગમાત્રથી બંને સમાન હોવા છતાં વક્ર માર્ગમાં જવાથી લાંબા સમયે ઈષ્ટની પ્રાપ્તિ થાય છે અને સરળ માર્ગે જવાથી શીધ્ર ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તે રીતે મોક્ષના ઉપાયભૂત બધા સંયમના યોગો છે, જેમાંથી કોઈ વૈયાવૃત્યથી પણ મોક્ષ પામી શકે છે તો કોઈ અધ્યયનથી પણ મોક્ષ પામી શકે છે અને કોઈ અધ્યાપનથી પણ મોક્ષ પામી શકે છે. આમ છતાં જે યોગમાં પોતાની પટુતા હોય તે યોગમાં યત્ન કરે તો તેનાથી શીધ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે, જે શીધ્ર ક્ષપકશ્રેણીનું કારણ બને છે; અને જેમાં પોતાને પટુતા ન હોય તેમાં અત્યંત સાવધાનીપૂર્વક યત્ન કરે તો પણ થોડા થોડા સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી વિલંબનથી ક્ષપકશ્રેણીનું કારણ બને છે. આશય એ છે કે જેમ સંસારમાં સીધો માર્ગ હોય તો અલ્પ સમયમાં ઈચ્છિત સ્થાને પહોંચી શકાય છે અને વક્ર માર્ગ હોય તો ઘણું ફરીને જવું પડે તેમ હોવાથી લાંબા સમયે ઈષ્ટસ્થાનની પ્રાપ્તિ થાય છે; તેમ સાધકને ઈષ્ટ મોક્ષ છે અને મોક્ષ એ સંપૂર્ણ ઈચ્છાના અભાવસ્વરૂપ વીતરાગતાની પ્રાપ્તિરૂપ છે, તેથી મોક્ષની પ્રાપ્તિ માટે સાધુના સમગ્ર સંયમના યોગો છે; આથી દરેક સંયમયોગના આલંબનથી અનંતા જીવો કેવળજ્ઞાન પામ્યા છે અને પામે છે; તોપણ પોતાનામાં જે સંયમયોગમાં શાસ્ત્રવચનાનુસાર દઢ યત્ન કરવાનું સામર્થ્ય પ્રગટ થયું હોય તે યોગને સેવવાથી શીધ્ર સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે, અને જે સંયમયોગમાં પોતાની પટુતા ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy