SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૭ સૂક્ષ્મ બોધપૂર્વક સંવેગની વૃદ્ધિ કરવી તસ્વરૂપ છે, અને અધ્યાપનની ક્રિયા યોગ્ય જીવોને ભગવાનના વચનના પરમાર્થને બતાવીને સ્વ-પરના સંવેગની વૃદ્ધિ કરવા સ્વરૂપ છે; અને તેવું સામર્થ્ય જે સાધુને નથી, તેવા સાધુને સ્વકૃતિસાધ્યત્વના વિપર્યાસને કારણે અધ્યયન-અધ્યાપનમાં વિપર્યાસવાળી પ્રવૃત્તિ થાય છે, માટે તે ઉચિત નથી. અને કદાચ અત્યંત ધૃતિપૂર્વક “મારે સંવેગ પેદા કરવો છે, તે પ્રકારે સંકલ્પ કરીને અધ્યયનઅધ્યાપનમાં યત્ન કરે, તો પણ જે પ્રકારના સંવેગની વૃદ્ધિ વૈયાવૃત્યથી તે કરી શકે છે, તેવી વૃદ્ધિ તે સાધુ અધ્યયન-અધ્યાપનથી કરી શકે નહીં. તેથી તેને સંયમને અનુકૂળ વૈયાવૃજ્યની પ્રવૃત્તિ કરતાં અધ્યયનઅધ્યાપનની પ્રવૃત્તિ અલ્પ છે=અલ્પસંવેગની વૃદ્ધિનું કારણ છે. તેથી સંયમની વૃદ્ધિને અનુકૂળ ફળ પણ અલ્પ પ્રાપ્ત થાય છે. માટે મોક્ષાર્થી સાધુએ પોતાની યોગ્યતાનો નિર્ણય કરીને જે પ્રવૃત્તિથી ભાવનો ઉત્કર્ષ થાય તેમાં યત્ન કરવો જોઈએ. ઉત્થાન : હવે ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા: अत्रैव दृष्टान्तमुपदर्शयन् शिष्यमध्यापयति-ऋजु: सरल: वक्रश्च-तद्विपरीतः द्वौ मार्गों यत्र तत्रेति शेषः, कहिं इति कुत्र नु इति वितर्के इच्छा भद्रा-श्रेयसी ? मार्गत्वमात्रेण द्वयोः साम्येऽपि वक्रमार्गे गमनेच्छया तत्र प्रवृत्तौ विलम्बिता गमनप्राप्तिः, इतरथा त्वविलम्बिता, इति यथा ऋजुमार्गे एव गमनेच्छा श्रेयसी एवं मोक्षोपायत्वेन सकलसंयमयोगसाम्येऽपि यत्र यस्याधिकारपाटवं तत्र तस्येच्छाऽविलम्बितसिद्धिक्षमतया श्रेयसी नान्यत्रेति विवेकः ।।६७।। ટીકાર્ચ - અહીંયાં જ યોગ્યતા વિના પ્રશસ્ત આલંબનવાળી પણ ઈચ્છાનો અવિચ્છેદ ભદ્ર નથી એમાં જ દષ્ટાંત દેખાડતાં ગુરુ શિષ્યને બતાવે છે – ઋજુ=સરળ અને વક્ર તેનાથી વિપરીત=ઋજુથી વિપરીત, બે માર્ગ છે જ્યાં, તેમાં હિં=== કયા સ્થાનમાં, ઈચ્છા ભદ્રા=શ્રેયકારી છે? * *નુ એ વિતર્કમાં છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – માર્ગ–માત્રથી બંનેમાં=ઋજુ અને વક્રમાર્ગમાં, સામ્ય હોવા છતાં પણ=ઋજુ અને વક્રમાર્ગમાં માર્ગપણાની સમાનતા હોવા છતાં પણ, વક્રમાર્ગમાં ગમનની ઈચ્છાથી તેમાં વક્રમાર્ગમાં, પ્રવૃત્તિ હોતે છતે, વિલંબિત ગમતની પ્રાપ્તિ છે=ગમન દ્વારા ઈચ્છિત સ્થાનની વિલંબિત પ્રાપ્તિ છે. રૂતરથા તુક વક્રમાર્ગમાં ન જવામાં આવે પરંતુ સરળ માર્ગે જવામાં આવે તો વળી, અવિલંબિત ગમતની પ્રાપ્તિ છે= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy