________________
નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬
૩૬૯ તેમાં લલિતવિસ્તરાનો સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે –
જો “નમોડસ્તુ' શબ્દમાં સસ્તુ શબ્દ પ્રાર્થના અર્થમાં છે, તો નમુત્થણે સૂત્ર સાધુ અને શ્રાવક બન્ને માટે સામાન્યથી બોલવું ઉચિત નથી; કેમ કે સાધુ ભાવનમસ્કારવાળા છે. તેથી ભાવનમસ્કારવાળા એવા સાધુને “મને ભાવનમસ્કાર પ્રાપ્ત થાઓ” એવી ઈચ્છા થાય નહિ. અને આમ છતાં જો સાધુ પણ “નમોડસ્તુ” એવો પ્રયોગ કરે તો તેઓને મૃષાવાદ લાગે; કેમ કે જૂઠું બોલવું એ મૃષાવાદ છે એવું શાસ્ત્રવચન છે, અને પોતે ભાવનમસ્કારવાળા હોવા છતાં પોતે પ્રાર્થના કરે છે કે મને ભાવનમસ્કાર થાઓ, તેથી તે વચન મૃષાવાદરૂપ છે.
આ પ્રકારની કોઈકની શંકાનું નિવારણ કરતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ લલિતવિસ્તરામાં કહે છે –
આવી કોઈકની શંકા છે તે અર્થ વગરની છે; કેમ કે શંકાકારને તત્ત્વનો બોધ નથી. તે તત્ત્વ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે, ભાવનમસ્કારમાં પણ ઉત્કર્ષ આદિ ભેદ છે, એ તત્ત્વ છે. તેથી ભાવનમસ્કારવાળા પણ સાધુઓ પોતે જે પ્રકારનો ભાવનમસ્કાર કરે છે, તેના કરતાં ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થના કરી શકે છે. માટે “નમોડસ્તુ' એ પ્રકારનું વચન સાધુને મૃષાવાદ નથી. તેથી પૂર્વપક્ષીએ કહેલું કે, “આમ છતાં પણ નમોડસ્તુ' એ પાઠમાં મૃષાવાદ છે” અર્થાત્ પોતાને ભાવનમસ્કાર પ્રાપ્ત થયો છે, આમ છતાં પણ “નમોડસ્તુ' એ પ્રકારે સાધુ બોલે તો મૃષાવાદ છે, એ વચન પૂર્વપક્ષીનું અપાર્થક જ છે અર્થાત્ અર્થ વગરનું છે; કેમ કે પોતાને જે ભાવનમસ્કાર થયો છે, તેનાથી ઉત્તરનો ભાવનમસ્કાર પોતાને અસિદ્ધ છે. તેથી તે ભાવનમસ્કારને માટે પ્રાર્થનાને કહેનારું વચન છે, એ પ્રકારની યુક્તિની સંગતિ છે.
આ રીતે લલિતવિસ્તરાના પાઠ દ્વારા ગ્રંથકારે એ સ્પષ્ટતા કરી કે, મોક્ષનો અર્થી સાધુ કોઈક સાધુની વૈયાવચ્ચ કરે, તેને ફરી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થઈ શકે છે. તે બાબતમાં હજુ ઘણો વિસ્તાર છે, જે ગ્રંથકાર સ્વયં કહે છે કે મારા વડે કરાયેલા વિધિવાદ ગ્રંથથી વિસ્તાર જાણી લેવો.IIકા
અવતરણિકા:
अथेच्छाऽविच्छेदोऽपि योग्यतां विना न श्रेयानित्यनुशास्ति - અવતરણિકાર્ચ -
હવે ઈચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વિના શ્રેયકારી નથી, એ પ્રમાણે અનુશાસન કરે છે– ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષના અર્થી એવા સાધુઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ હોય છે અને આથી ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર વૈયાવૃત્યાદિ કોઈપણ કૃત્ય કર્યા પછી ફરી ફરી તે વૈયાવૃજ્યાદિ કૃત્યમાં કે અન્ય ઉચિત કૃત્યમાં યત્ન કરે છે. એથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષના અર્થી એવા સાધુઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ શ્રેયકારી છે. આમ છતાં, આ ઈચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વગર શ્રેયકારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org