SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬૬ ઉપયોગપૂર્વક “નમોડસ્તુ’ એ પ્રયોગ કરો તો તે પ્રાર્થનાથી પૂર્વના ભાવનમસ્કાર કરતાં ઉપરનો ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે; કેમ કે તેના ઉત્કર્ષનું=ભાવનમસ્કારના ઉત્કર્ષનું, સાધ્યપણું હોવાના કારણે તેના સાધનરૂપે ઉપપત્તિ છેઃ ઉત્કર્ષવાળા ભાવનમસ્કારના સાધનરૂપે નમોડસ્તુ એ પ્રયોગની ઉપપત્તિ છે. તિ શબ્દ ૩ થી ગ્રંથકારે જે સમાધાન કર્યું તેની સમાપ્તિ અર્થક છે. હવે નિગમન કરતાં કહે છે – અને આ રીતે-પૂર્વમાં ઉચ્ચતે થી ગ્રંથકારે જે સમાધાન કર્યું એ રીતે, “વ પડે મૃષાવા” ઈત્યાદિ રૂપ પૂર્વપક્ષીએ જે કથન કર્યું, તે અપાર્થક જ છે અર્થાત્ નિરર્થક જ છે; કેમ કે “અસિદ્ધમાં=ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની અસિદ્ધિમાં, તેનું પ્રાર્થનાવચન છે ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થનાનું વચન, છે" એ પ્રકારના ન્યાયની ઉપપત્તિ છે. તિ શબ્દ લલિતવિસ્તરા ગ્રંથના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.” વિસ્તાર વળી અમારા વડેaઉપાધ્યાય મહારાજ સાહેબ વડે, કરાયેલા વિધિવાથી વિધિવાદ નામના ગ્રંથથી, જાણવો. Iss * સિદ્ધત્વેડજિ' અહીં પ થી એ કહેવું છે કે એક કાર્ય સિદ્ધ ન થયું હોય તો ઈચ્છા થાય, પરંતુ સિદ્ધ થઈ ગયું હોય તો પણ તજ્જાતીય કાર્યાતરમાં ઈચ્છા થઈ શકે છે. *“વમ ભાવનમસ્કાર સિદ્ધ ન થયો હોય તો તો ભાવનમસ્કારની ઈચ્છા થાય, તો પાઠ કરે, પણ ભાવનમસ્કાર સિદ્ધ થયો છે, છતાં પાઠ કરે તો મૃષાવાદ છે. એમ ‘”િ થી સમુચ્ચય છે. *“મવનમરચાગરિ' અહીં ‘’ થી દ્રવ્યનમસ્કારનો સમુચ્ચય કરવો. * ‘ઉર્વારિ અહીં ‘દ્ધિ થી અપકર્ષનું ગ્રહણ કરવું. * “માવિનમwારવતોડજિ' અહીં ‘વિ' થી દ્રવ્યનમસ્કારવાળાનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે જે કહ્યું તેનું નિગમન કરતાં કહે છે કે, આ રીતે મોક્ષનો અર્થી સાધુ મોક્ષના ઉપાયરૂપે એક કાર્ય કરે તો પણ તજ્જાતીય અન્ય કાર્યના વિષયમાં તેને ઈચ્છા થઈ શકે છે. જેમ શ્રાવકને એક ભગવાનની પૂજા કર્યા પછી ફરી અન્ય ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થાય છે, તેમ સાધુને પણ નિર્જરા અર્થે કોઈક સાધુની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થાય અને તે વૈયાવચ્ચનું કાર્ય કર્યા પછી તેવા પ્રકારનું વૈયાવચ્ચનું કાર્ય અન્ય સાધુનું કરવાનું મન પણ તે સાધુને થઈ શકે છે. તેને દૃઢ કરવા માટે નમુત્થણે શબ્દનો અર્થ પૂ. હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા ગ્રંથમાં કર્યો છે તે બતાવીને કહે છે – - “નમોડસ્તુ' શબ્દમાં ‘તુ એ પ્રાર્થનાવચન છે. અહીંયાં પ્રશ્ન થાય કે સાધુઓને તો ભાવનમસ્કાર સિદ્ધ છે, તેથી તેઓ નમોડસ્તુ એ પ્રકારે અર્થ કઈ રીતે કરી શકે ? તેના જવાબરૂપે લલિતવિસ્તરામાં ખુલાસો કર્યો કે ભાવનમસ્કારવાળા એવા સાધુને પણ ઉત્કર્ષવાળો ભાવનમસ્કાર અસિદ્ધ છે. તેથી સાધુ પોતે જે ભાવનમસ્કાર કરે છે, તેનાથી ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થના “નમોડસ્તુ” શબ્દપ્રયોગથી કરે છે. તે રીતે જે સાધુ અન્ય સાધુની વૈયાવચ્ચ કરીને પોતે સંયમના કંડકસ્થાનની વૃદ્ધિને પામ્યા છે, તેનાથી ઉપરના કંડકસ્થાનની પ્રાપ્તિ માટે ફરી પણ તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા તેઓને થઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy