________________
૩૬૭
નિમંત્રણા સામાચારી/ ગાથા: ૬ एवं च भावनमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनोपपत्तेरिति एवं च ‘एवमपि पाठे मृषावाद' इत्याद्यप्यन(?पा)र्थकमेव, असिद्धे तत्प्रार्थनावचः इति न्यायोपपत्तेरिति”। विस्तरस्तु मत्कृतविधिवादादवबोध्यः ।।६६।। ટીકાર્ય :
અને આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે, મોક્ષના અર્થી સાધુને વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યા પછી પણ ફરી તે વૈયાવચ્ચ કૃત્યની ઈચ્છા થઈ શકે છે એ રીતે, એક કાર્યના સિદ્ધપણામાં પણ તજ્જાતીય કાર્યાતરમાં ઈચ્છા અનુપપન્ન નથી, અને તેનાથી ઉક્ત હેતુથી જ એક કાર્ય સિદ્ધ થયા પછી તજ્જાતીય કાર્યાન્તરની ઈચ્છા થઈ શકે છે એ રૂપ ઉક્ત હેતુથી જ, ખરેખર ‘નમોડસ્તુ એ પ્રકારનું શક્રસ્તવનું વચન સમર્થન કરાયું છે.
અને તે શક્રસ્તવનું વચન કેવી રીતે સમર્થન કરાયું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
દિ જે કારણથી અહીં=નમોડસ્તુ એ પ્રકારના શક્રસ્તાવના વચનમાં, “કસ્તુ એ પ્રાર્થના છે, અને તે=પ્રાર્થના, નમસ્કાર સિદ્ધ થયે છતે સાધુને કઈ રીતે થઈ શકે? એ પ્રકારના પ્રત્યવસ્થાનમાં-વિરોધમાં, તેના=નમસ્કારના ઉત્કર્ષતું અસિદ્ધપણું હોવાથી ત્યાં=સાધુમાં, તેનો સંભવ છે="નમોડસ્તુ એ પ્રકારના પ્રયોગનો સંભવ છે, એ પ્રકારે લલિતવિસ્તરા ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ વડે સમર્થન કરાયું છે અને તે પ્રમાણે તે ગ્રંથ છે=લલિતવિસ્તરા ગ્રંથમાં છે, જે નીચે પ્રમાણે છે –
જો આમ છે="નમોડસ્તુ એ પ્રાર્થનાવચન છે, તો સામાન્યથી સાધુ અને શ્રાવક બન્નેના સાધારણથી, આ રીતે પાઠ યુક્ત નથી=નમોડસ્તુ' એ પ્રકારે પાઠ યુક્ત નથી; કેમ કે ભાવનમસ્કારવાળા એવા સાધુને તેનો ભાવ હોવાથી=નમસ્કારનો સદ્ભાવ હોવાથી, તેના સાધનનો અયોગ છે=ભાવનમસ્કારના સાધનરૂપ તેની ઈચ્છાનો અયોગ છે. આ રીતે પણ=ભાવનમસ્કારવાળા સાધુ નમોડસ્તુ એ પ્રમાણે પાઠ કરે એ રીતે પણ, પાઠમાં મૃષાવાદ છે; કેમ કે ‘સમિધાન મૃષા'="અસનું અભિધાન=કથન, મૃષા છે" એ પ્રકારનું વચન છે, અને ભાવથી સિદ્ધ થયે છતે તે પ્રાર્થનાવચન=નમોડસ્તુ એ પ્રકારનું ભાવનમસ્કારની પ્રાર્થનાનું વચન, અસદ્ અભિધાન છે; કેમ કે તેનો ભાવ હોવાના કારણે=ભાવનમસ્કારનો સદ્ભાવ હોવાના કારણે, તેની ભાવનાનો અયોગ છે=ભાવનમસ્કારની ઈચ્છાનો અયોગ છે. તિ શબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિ અર્થે છે.
તેનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે –
આ યત્કિંચિત્ છે અર્થાત્ પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે; કેમ કે તત્વનું અપરિજ્ઞાન છે. તત્ત્વનું અપરિજ્ઞાન કેમ છે ? તેને સ્પષ્ટ કરતાં કહે છે – ભાવનમસ્કારના પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ, એ પ્રકારનું તત્ત્વ છે.
અને આ રીતે ભાવનમસ્કારવાળાને પણ તે તે પ્રકારે ઉત્કર્ષ આદિ ભાવથી આનું=નમોડસ્તુ એ પ્રકારના પ્રયોગનું, તત્સાધનઅયોગ અસિદ્ધ છે=ભાવનમસ્કારના સાધનનો અર્થાત્ સિદ્ધિનો અયોગ અર્થાત્ ભાવનમસ્કાર કરનારને “નમોડસ્ત' એ પ્રયોગથી વિશેષ ભાવનમસ્કારની પ્રાપ્તિનો અયોગ, અસિદ્ધ છે=ભાવનમસ્કારવાળા પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org