SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૬ આશય એ છે કે, જે જીવોને ભોગો પ્રત્યેનું આકર્ષણ કંઈક મંદ છે, તેઓ પ્રથમ વયમાં ભોગાદિ પ્રવૃત્તિ કર્યા પછી યોગીઓ પાસેથી ઉપદેશ સાંભળીને કે તેવા કોઈક અન્ય નિમિત્તથી જાણે છે કે, આ ભોગોથી પાપકર્મ બંધાય છે જે બલવાન અનિષ્ટરૂપ છે. તેથી તેવા જીવોને ભોગથી થતા સુખમાં જેવું આકર્ષણ છે, તેના કરતાં તેનાથી થતા કર્મબંધ અને સંસારના પરિભ્રમણરૂપ ફળને કારણે ભોગસુખમાં બલવાન દ્વેષ પ્રગટે છે, અને તેને કારણે તેમને ભોગની ઈચ્છા થતી નથી. ૩૬૬ જેમ કોઈને કિંપાકફળ મળે જે દેખાવથી પણ રમ્ય હોય છે, સ્વાદમાં પણ અત્યંત મધુર હોય છે, તેથી જોતાંની સાથે સુગંધના કારણે ખાવાની લાલસા થાય તેવું તે હોય છે; આમ છતાં કોઈક રીતે ખબર પડી કે આ કિંપાકફળ ખાવાથી તરત મૃત્યુ થાય છે, તો ઈચ્છાને અનુકૂળ એવું તે કિંપાકફળ હોવા છતાં તેને ખાવાની ઈચ્છા થતી નથી. માટે સુંદર સુગંધાદિના કારણે જે તેના તરફ રાગ હતો, તેના કરતાં પ્રાણઘાતકતાના જ્ઞાનના કારણે તેના પ્રત્યે બલવાન દ્વેષ થાય છે. તે રીતે જેને આ ભોગાદિ સંસારના પરિભ્રમણરૂપ અનર્થફળવાળા છે એવું જ્ઞાન થાય છે, તેને ભોગાદિ પ્રત્યે બલવાન દ્વેષ થાય છે; તેથી ઈન્દ્રિયને અનુકૂળ એવા પણ ભોગાદિની ઈચ્છા થતી નથી, પરંતુ ભોગાદિનો ત્યાગ કરીને ઉપશમના સુખની ઈચ્છા થાય છે; કેમ કે યોગીઓ પાસેથી તેણે જાણ્યું છે કે, ભોગનાં વિકારી સુખો આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરાવીને દુરંત સંસારનું કારણ બને છે, અને સંયમની પ્રવૃત્તિ ઉપશમના સુખને પ્રગટ કરીને પૂર્ણ સુખમય એવા મોક્ષનું કારણ બને છે. આથી વિવેકીને ભોગ પ્રત્યે બલવાન દ્વેષ પ્રગટે છે, માટે ભોગની ઈચ્છા થતી નથી. જ્યારે મોક્ષના અર્થીને તો વિવેકપૂર્વક કરાયેલા વૈયાવચ્ચ આદિ કૃત્યથી ઉપશમનું સુખ સાક્ષાત્ અનુભવાય છે અને તેથી ફરી ફરી તે ભાવોની નિષ્પત્તિ અર્થે વૈયાવચ્ચ કરવાની અભિલાષા પણ થાય છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે મોક્ષના ઉપાયની ઈચ્છાથી વૈયાવચ્ચ કર્યા પછી સાધુને ફરી વૈયાવચ્ચની ઈચ્છા થઈ શકે છે. તે જ વાતનું નિગમન કરીને શાસ્ત્રીય વચનથી તેનું સમર્થન કરે છે ટીકાઃ एवं चैककार्यस्य सिद्धत्वेऽपि तज्जातीयकार्यान्तरे इच्छा नानुपपन्ना । तेनैव च = उक्तहेतुनैव च किल इति सत्ये 'नमोऽस्तु' इति शक्रस्तववचनं समर्थितं - उपपादितम् । अत्रास्त्विति हि प्रार्थना, सा च सिद्धे नमस्कारे कथम् ? इति प्रत्यवस्थाने तदुत्कर्षस्याऽसिद्धत्वादेव तत्र तत्संभव इति ललितविस्तरायां भगवता हरिभद्रसूरिणा समर्थितम् । तथा च स ( ? त) द्ग्रन्थः - “ यद्येवं न सामान्येनैवं पाठो युक्तः, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनाऽयोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषा' इति वचनात्, असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्भावेन 'तद्भावनायोगादिति, उच्यते यत्किञ्चिदेतत्, तत्त्वाऽपरिज्ञानाद्, भावनमस्कारस्याप्युत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वम् । 9. તત્સાધનાડયોાવિત્યર્થઃ । Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy