SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નિમંત્રણા સામાચારી, ગાથા : ૬૬ ૩૬પ ટીકાર્ય : વિચૈવં .... વચનવિરોધ ! વળી, આ રીતે=સાધુએ એક વખત વૈયાવચ્ચ કરી હોય તેથી સિદ્ધત્વજ્ઞાનના કારણે તેને ફરી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા ન થાય એમ માનીએ એ રીતે, કામના ઉપભોગથી કામ શમતો નથી,' એ પ્રકારના વચનનો વિરોધ થાય. ઉત્થાન : અહીં શંકા થાય કે કામને ભોગવીને વિરક્ત થયેલા ઘણા જીવો સંયમ આદિ ગ્રહણ કરતા દેખાય છે. તેથી કામના ઉપભોગથી કામ શાંત થાય છે, એમ માનવામાં શો વાંધો ? તેના સમાધાનરૂપે કહે છે – ટીકાર્ય : સિદ્ધત્વજ્ઞાનવૃતઃ..... કન્વિતમ્ | ભોગોને ભોગવીને જે લોકો વિરક્ત થયા છે અને સંયમ ગ્રહણ કરે છે, તે સ્થાનમાં વળી, સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ તથી જ પરંતુ ત્યાં=ભોગાદિમાં, બલવાન દ્વેષપ્રયુક્ત ઈચ્છાનો વિચ્છેદ છે, એ પ્રકારે અધ્યાત્મમત પરીક્ષામાં વર્ણન કરાયું છે. , ભાવાર્થ : જો એમ સ્વીકારવામાં આવે કે મોક્ષના અર્થી સાધુને મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યા પછી ફરી તે વૈયાવચ્ચ આદિમાં ઈચ્છા થતી નથી, કેમ કે મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચ આદિ કૃત્ય તેણે સાધી લીધું છે; તો તે રીતે જે વ્યક્તિએ કામસેવન કર્યું, તેને ફરી તે કામસેવનમાં ઈચ્છા થવી જોઈએ નહિ; કેમ કે તે કામના સેવનથી તેની તે ઈચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ તેમ માનવામાં આવે તો કામના ઉપભોગથી કામ શમતો નથી તે વચનનો વિરોધ થાય. તેથી જેમ કામના સેવનથી કામની ઈચ્છા શાંત થતી નથી, પરંતુ ફરી ફરી તે કામની ઈચ્છા થાય છે, તે અનુભવસિદ્ધ પદાર્થ છે; તે રીતે જે સાધુએ વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું અને તેનાથી જે ઉત્તમ અધ્યવસાય થયા તે અધ્યવસાયને કારણે ફરી તેને તે વૈયાવચ્ચ કરવાની ઈચ્છા થાય છે. જેમ કામના સેવનથી થયેલા આનંદને કારણે ફરી તે કામની ઈચ્છા થાય છે. અહીં પૂર્વપક્ષી કહે કે, કામના ઉપભોગથી કામની ઈચ્છા શમે જ છે. આથી ઘણા યોગ્ય જીવો પ્રથમ સંસારના ભોગો ભોગવીને ભોગોથી વિરક્ત બને છે અને સંયમ ગ્રહણ કરે છે; એ બતાવે છે કે કામના ભોગથી કામની ઈચ્છા શમે છે. તે રીતે મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચ કર્યા પછી વૈયાવચ્ચ કરવાની ઈચ્છા રહે નહિ તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – જે જીવોએ પ્રથમ વયમાં સંસારના અનેક પ્રકારના ભોગોને ભોગવી લીધા છે, તેથી હવે ભોગોથી સર્યું.” એવી બુદ્ધિ થાય છે, અને સાધના માટે સંયમ ગ્રહણ કરે છે, તેઓને પણ પ્રથમ વયમાં સર્વ ભોગો ભોગવ્યા તેના કારણે ભોગની સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ નથી જ, પરંતુ ભોગો પ્રત્યેના બલવાન દ્વેષપ્રયુક્ત ભોગની સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ છે. આ પ્રકારે ગ્રંથકારે અધ્યાત્મમત પરીક્ષામાં વિસ્તારથી બતાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy