________________
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૪ ઉક્ત શંકાના પરિવારનું તપ્રયોજતત્વનું અભિધાન=ઈચ્છાકારના પ્રયોજતત્વનું અભિધાન, વળી પ્રાયિક અને ગૌણ છે. પરંતુ ત્યાં ઈચ્છાકારમાં, પ્રવૃત્તિ નિર્જરાવિશેષતી કામનાથી જ છે; કેમ કે આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૭૨૩માં ‘યં સામાવરિ’ ઈત્યાદિ દ્વારા સામાચારી સામાન્યનું કર્મક્ષપણફલત્વનું અભિધાન છે. એ પ્રકારે દિશાસૂચન છે. ll૧૪માં ભાવાર્થ -
જ્યારે કોઈપણ કાર્ય કોઈની પાસે કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે નિર્જરાવિશેષની કામનાવાળા સાધુઓ નિર્જરાના ઉપાયરૂપે અવશ્ય ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. તેથી નિર્જરાની કામનાવાળા સાધુઓએ કોઈપણ કાર્ય કોઈની પણ પાસે કરાવવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ” આવા પ્રકારના વિધિવાક્યથી જ્યારે સાધુઓ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કાર્ય કરનારને બલાભિયોગની શંકાનો પરિહાર થઈ જાય છે.
તેથી એ પ્રાપ્ત થાય છે, સાધુઓની ઈચ્છાકારપ્રયોગમાં પ્રવૃત્તિ માત્ર બેલાભિયોગની શંકાના પરિવાર માટે નથી, પરંતુ નિર્જરાની કામનાથી વિધિવાક્યમાં પ્રવૃત્તિ છે. માટે જે સ્થળે બલાભિયોગની શંકાનો સંભવ હોય ત્યાં બલાભિયોગના પરિવાર માટે અને નિર્જરા માટે ઈચ્છાકારનો પ્રયોગ છે. તેથી વિધિવાક્યની અંતર્ગત રહેલા ઈચ્છાપદને સાંભળીને કાર્ય કરનાર સાધુને “આ સાધુ મારી પાસે બલાત્કારે કામ કરાવવા ઈચ્છે છે”, એવી બલાભિયોગની શંકાનો પરિહાર થઈ જાય છે.
આમ છતાં, અવતરણિકામાં ચૂર્ણિકારના બતાવેલા મત પ્રમાણે ‘બલાભિયોગની શંકાના પરિવાર માટે ઈચ્છાકાર છે” એમ જે કથન કર્યું, તે કથન પ્રાયિક છે અને ગૌણ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનું પાલન કરીને નિર્જરા કરવી તે ઈચ્છાકારનો પ્રયોગ કરનાર સાધુનું મુખ્ય પ્રયોજન છે, આમ છતાં જ્યાં બેલાભિયોગની શંકાનો સંભવ હોય તે સ્થળમાં બલાભિયોગની શંકાના પરિવારનું પણ પ્રયોજન છે. તેથી તે પ્રયોજન પ્રાયિક છે, પણ સાર્વત્રિક નથી.
વળી, ઈચ્છાકારનો પ્રયોગ મુખ્યરૂપે ભગવાનની આજ્ઞા પાળવાપૂર્વક નિર્જરા અર્થે સાધુઓ કરતા હોય છે, તો પણ ગૌણરૂપે તેનો એ પણ આશય હોય છે કે, મારા વચનપ્રયોગથી કોઈને સ્વલ્પ પણ પીડા ન થાય. તેથી ગૌણરૂપે અન્યને બલાભિયોગની શંકાકૃત પીડાનો પરિવાર પ્રયોજન છે, તો પણ મુખ્યરૂપે ઈચ્છાકારમાં પ્રવૃત્તિ તો સાધુઓ નિર્જરાવિશેષની કામનાથી કરે છે; કેમ કે આવશ્યકનિયુક્તિની ગાથા૭૨૩માં “આ સામાચારી' ઈત્યાદિ કથન દ્વારા સામાચારી સામાન્યનું કર્મક્ષપણ ફળ કહેલ છે. સામાચારી સાધુ જીવનમાં ઉચિત ક્રિયારૂપ છે, તેથી ઓઘ સામાચારી, દશવિધ સામાચારી અને પદવિભાગ સામાચારી : આ ત્રણે સામાચારી સામાન્યનું ફળ કર્મનિર્જરા છે. તેથી કર્મના નાશના અર્થી એવા સાધુઓ આ ત્રણ સામાચારીનું યથાયોગ્ય પાલન અવશ્ય કરે છે.
આવશ્યક નિર્યુક્તિ ગાથા-૭૨૩નો અર્થ આ પ્રમાણે છે –
સામારિ ... મid | આ સામાચારીને આચરતા ચરણકરણમાં ઉપયુક્ત સાધુઓ અનેક ભવસંચિત અનંત કર્મનો ક્ષય કરે છે. ll૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org