________________
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૪
‘ત્તિ’ શબ્દ પૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
‘ન્યત્રપિ'= સ્વતઃ મયો વિરદસ્થનેડપિ’ અહીં ‘સર’ થી એ કહેવું છે કે, અભિયોગના શંકાસ્થળમાં તો ઈચ્છાકાર કરવો જોઈએ, પરંતુ સ્વતઃ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ કરવો જોઈએ.
* ‘તત્થવ નિયુક્તિકારના ઉદ્ધરણમાં તથા ચૂર્ણિકારના ઉદ્ધરણમાં વિ=થિી અભિયોગના શંકાસ્થળનો સમુચ્ચય કરવો.
* ‘પૂવૃતાપિ' અહીં ‘ઈ’ થી નિયુક્તિકારના વચનનો સમુચ્ચય છે.
* ‘સો વિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણમાં ‘વિ'= ' થી કાર્ય કરનારનો સમુચ્ચય છે. ભાવાર્થ -
સાધુને કોઈની પાસે કાર્ય કરાવવું હોય ત્યારે બલાભિયોગથી કાર્ય કરાવે તો તે કર્મબંધનું કારણ છે; અને બલાભિયોગનો અર્થ હઠથી કાર્ય કરવા માટે પ્રેરણા કરવી તેવો થાય છે, અને તેવી રીતે બલાત્કારથી કોઈ સાધુ કાર્ય કરાવે તો તે અનુચિત પ્રવૃત્તિ છે, માટે તેને તગ્નિમિત્તક કર્મબંધ થાય. તેથી તેના વારણ માટે કાર્ય કરાવનાર સાધુ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે; પરંતુ જે સ્થળમાં બલાભિયોગની શંકાનું સ્થાન નથી, ત્યાં પણ શાસ્ત્રની મર્યાદાને કારણે સાધુ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. જેમ, બીજા સાધુને કોઈ અન્ય સાધુ કાર્યની પ્રાર્થના કરતા હોય અથવા તો સ્વયં કોઈ કાર્ય કરતા હોય, પરંતુ તે કાર્યની અકુશળતાને કારણે કાર્યનો નાશ થતો દેખાય, એ બંને સ્થળે કોઈ ત્રીજા સાધુ નિર્જરા માટે ગુરુની આજ્ઞાથી તે કાર્ય કરવાને માટે સામેથી માંગણી કરે, ત્યારે તે કહે કે “હું તમારું આ કાર્ય ઈચ્છાથી કરી આપું”, આવા સ્થાને સામેના ત્રીજા સાધુ ઈચ્છાપૂર્વક કાર્ય કરવા તૈયાર થયા છે, તેવું જ્ઞાન થવા છતાં, કાર્ય કરાવનાર સાધુ તેને કહે છે કે, “તમે મારું આ કાર્ય તમારી ઈચ્છાપૂર્વક કરો”, આ પ્રકારના પ્રયોગમાં ઈચ્છાકારના પ્રયોગથી બલાભિયોગનું વારણ થતું નથી; કેમ કે તે સાધુ જાણે છે કે, સામેના સાધુ ઈચ્છાપૂર્વક કાર્ય કરવા તૈયાર છે, તેથી બલાભિયોગ નથી; તો પણ શાસ્ત્રની આ મર્યાદા છે કે, કોઈની પાસે પણ કાર્ય કરાવવું હોય તો ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, તેથી તેવા સ્થળે શાસ્ત્રની આ મર્યાદાના પાલન માટે સાધુ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. આ કથનથી અવતરણિકામાં જે શંકા કરેલ છે, પર=અન્ય સાધુને, અભ્યર્થયમાન=કાર્યની પ્રાર્થના કરતો, જોઈને ત્રીજા કોઈ સાધુ સ્વયં જે ઈચ્છાકારને કરે છે, તે સાધુ પ્રત્યે કાર્ય કરાવનાર સાધુએ ઈચ્છાકાર કરવાની જરૂર નથી, તેનું સમાધાન આ કથનથી થઈ જાય છે; કેમ કે ત્યાં આજ્ઞાબલાભિયોગની શંકાના પરિવાર અર્થે ઈચ્છાકાર નથી, પરંતુ શાસ્ત્રમર્યાદામૂલક ઈચ્છાકારનો પ્રયોગ છે; અને તેની પુષ્ટિ નિર્યુક્તિકારના વચનથી અને ચૂર્ણિકારના વચનથી ટીકામાં કરેલ છે.
» ‘વિહિતાર્થ તિ’ વિહિતાર્થે એ પ્રમાણે અહીં સપ્તમીનો પ્રયોગ છે. ઉપર કહ્યું તેવા પ્રકારનાં કારણો પામીને અભ્યર્થના કરવી તે વિહિતાર્થ છે અને તે વિહિતાર્થના વિષયમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો એવી મર્યાદા છે. આથી સ્વાભાવિક અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ તે કર્તવ્ય બને. આથી વિહિતાર્થ શબ્દપ્રયોગમાં સપ્તમી વિભક્તિ લેવી, પણ મર્યાદા શબ્દનો અર્થ વિહિતાર્થ છે એમ ન કહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org