________________
૭૬
ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૪ થાય છે. II૧૪l.
* ‘Uસ્થ વિ’ - ૩અન્યત્ર' અહીં ' થી બલાભિયોગના વારણ માટે કરાતા ઈચ્છાકારનો સમુચ્ચય છે. ટીકા :
जइवि हु त्ति । यद्यपि 'हुः' वाक्यालङ्कारे, इच्छाकारो बलेनाभियोगो-बलाभियोगो हठेन प्रेरणमित्यर्थस्तस्य वारणार्थमुक्त इति शेषः, तथापि सा=इच्छा, मर्यादा विहितार्थ इत्यन्यत्रापि स्वतोऽभियोगशङ्काविरहस्थलेऽपि મતિ વર્ણવ્યા I તપુ નિકિતા – (લાનિ૬૭રૂ)
१“तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलीयं” इति ।।
चूर्णिकृताऽपि विवृतं - “तत्थ वि जस्स कज्जिहिति सो भणति करेहि इच्छाकारेण । नणु किमिति सो वि इच्छाकारं करेइ ? भन्नति-मज्जादामूलीयं-साहूणं एस मज्जादामूलं” इति । ટીકાર્ચ -
નવ ટુત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે.
જોકે ઈચ્છાકાર બલાભિયોગના વારણ માટે કહેવાયેલો છે, તો પણ વિહિત અર્થમાં સા=ઈચ્છા= ઈચ્છાકારનો પ્રયોગ, મર્યાદા છે. એથી કરીને અન્યત્ર પણ સ્વતઃ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ, ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ.
“વત્તામગોપા' શબ્દનો સમાસવિગ્રહ આ પ્રમાણે છે – બલ વડે અભિયોગ બલાભિયોગકહેઠ વડે પ્રેરણા કરવી, એ પ્રમાણે અર્થ છે. તેના=બલાભિયોગના, વારણ માટે ઈચ્છાકાર કહેવાયો છે, એ પ્રમાણે અન્વય છે. વારણાર્થ પછી ‘ઉ?' એ ગાથામાં અધ્યાહાર છે.
નિર્યુક્તિકાર વડે આવશ્યક નિર્યુક્તિ ગાથા-૬૭૩માં તે અભિયોગશંકાવિરહસ્થળમાં પણ મર્યાદામૂલીય ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ તેવું કહેવાયું છે. નિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે -
ત્યાં પણ=જ્યાં અભિયોગની શંકા નથી ત્યાં પણ, તે કાર્ય કરાવનાર, તેને કાર્ય કરનારને, મર્યાદામૂળવાળી એવી ઈચ્છાને કરે છે=ઈચ્છાકારને કરે છે.”
તિ' શબ્દ નિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
ચૂણિકાર વડે પણ વિવરણ કરાયેલું છે – ત્યાં પણ જેનું કાર્ય કરાય છે તે કહે છે, “ઈચ્છાકારપૂર્વક તું કર.”
અહીં શંકા કરે છે કે, તે પણ કાર્ય કરાવનાર પણ, કેમ ઈચ્છાકાર કરે છે ?
જવાબ આપતાં કહે છે, “સાધુને મર્યાદામૂળ આ છે” અર્થાત્ આ ઈચ્છાકાર, મર્યાદામૂળ છે= સાધુની મર્યાદાનું મૂળ છે.”
१. तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलम ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org