________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ અહીં પૂર્વપક્ષી દિગંબર છે અને તે માને છે કે પ્રાપ્ત થયેલા જ્ઞાનને આત્મભાવ પ્રગટ કરવા માટે પ્રવર્તાવવાનો છે તે જ્ઞાનાચાર છે, અને તે આત્મભાવમાં જવા માટેના યત્નસ્વરૂપ હોવાથી ઉત્સર્ગરૂપ છે. તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને ગ્રંથકાર કહે છે કે, જેમ જ્ઞાનાચાર આત્મભાવમાં જવા માટે કારણ છે માટે ઉત્સર્ગ છે, તેમ વૈયાવચ્ચની ક્રિયા પણ આત્મભાવમાં જવા માટે કારણ છે માટે ઉત્સર્ગરૂપ છે.
આત્મભાવમાં યત્ન તે ઉત્કર્ષવાળું સંયમ છે, એમ પૂર્વપક્ષી સ્વીકારે છે; કેમ કે આત્મભાવમાં જવાની ક્રિયા એ પરમઉપેક્ષાના પરિણામરૂપ છે અને તે ઊંચુ સંયમ છે. જ્યારે તેવા ઊંચા સંયમમાં જે લોકો રહી શકતા નથી, તેઓ અન્યની વૈયાવચ્ચ કરવાના અભિલાષથી બાહ્ય પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેઓનું સંયમ અપકર્ષવાળું છે. આથી જે ઉત્કર્ષવાળું હોય તે ઉત્સર્ગથી આચરણીય છે અને તેમાં અસમર્થ અપવાદથી બાહ્ય આચરણારૂપ અપકર્ષવાળું સંયમ આચરે છે. પરંતુ તેમ સ્વીકારવાથી તો અપકર્ષ અને અપવાદ એકાર્થ પ્રાપ્ત થાય, અને તેથી શૈલેશી અવસ્થાપર્યત અપવાદ માનવાનો પ્રસંગ આવે; કેમ કે પરમઉપેક્ષાવાળા મુનિઓ પણ શૈલેશી અવસ્થાની અપેક્ષાએ અપકર્ષની ભૂમિકામાં છે. અને તેમ સ્વીકારીએ તો પરમ ઉપેક્ષાવાળા મુનિઓના પ્રયત્નને પણ અપવાદરૂપે સ્વીકારવાની આપત્તિ આવે, જે દિગંબરને પણ માન્ય નહિ બને; કેમ કે પરમઉપેક્ષાવાળા મુનિની પ્રવૃત્તિને તો તે પણ ઉત્સર્ગરૂપે સ્વીકારે છે.
આથી ઉત્કર્ષવાળું સંયમ તે ઉત્સર્ગ, અને અપકર્ષવાળું સંયમ તે અપવાદ એમ ન કહેવાય. પરંતુ સંયમની વૃદ્ધિનું કારણ બને એવી ઉચિત પ્રવૃત્તિ તે ઉત્સર્ગ, અને ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયેલો છે તેવી પ્રવૃત્તિ કારણ વિશેષથી સેવાય તે અપવાદ, એમ કહી શકાય. જેમ કે કોઈનો પ્રમાદ પોષાતો હોય તો તેની વૈયાવચ્ચ કરવાનો નિષેધ છે, છતાં પણ ભાવિ લાભની અપેક્ષાએ તેની વૈયાવચ્ચ પણ કરી શકાય. તેથી ઉત્સર્ગથી નિષિદ્ધ એવું વૈયાવચ્ચ અપવાદ છે એમ કહી શકાય, પરંતુ બધું વૈયાવચ્ચ અપવાદથી છે તેમ કહી શકાય નહીં. તેથી સંયમના ઉત્કર્ષ-અપકર્ષરૂપે ઉત્સર્ગ-અપવાદ સ્વીકારવા ઉચિત નથી.
‘ઉત્સતોડજિ' અહીં ‘' થી એ કહેવું છે કે, અપવાદથી તો પ્રતિષિદ્ધ નથી, પરંતુ ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે, કેટલાંક કાર્યો અપવાદથી કરવાનાં હોય છે, જ્યારે કેટલાંક કાર્યો ઉત્સર્ગથી કરવાનાં હોય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે પરનું કાર્ય કરવું તે વીર્યાચારના પાલનરૂપ હોઈ * ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી; કેમ કે વીર્યાચારના પાલનમાં નિર્જરાની પ્રાપ્તિ થાય છે, માટે નિર્જરાના ઉપાયભૂત એવા વીર્યાચારના પાલનમાં ઉત્સર્ગથી આચરણા હોય છે. અને જ્યારે પર વ્યક્તિ પ્રમાદી હોય અને તેનો પ્રમાદ પોષાતો હોય તો ઉત્સર્ગથી તેની વૈયાવચ્ચ કરવાનો નિષેધ છે, તો પણ ભાવિમાં લાભ દેખાય તો તેના પ્રમાદાદિ પોષાતા હોય તો પણ અપવાદથી તેની વૈયાવચ્ચ થઈ શકે. તેમાં શેલકગુરુની પંથકશિષ્ય કરેલી વૈયાવચ્ચનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેથી અપવાદથી પણ પરનું કાર્ય કરવાનું વિધાન છે, તેનો સમુચ્ચય સરિ' થી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org