________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ સેવવાનું હોય, અને ઉત્સર્ગ સેવવા માટે અસમર્થ હોય તેણે અપવાદ-ચારિત્રનું અપવાદિક એવા વૈયાવચ્ચ રૂપ ચારિત્રનું, સેવન કરવાનું છે. તેના નિરાકરણરૂપે કહે છે – ટીકાર્ય :
પર્ધા ....નિર્નાર્થ ર, અપકર્ષ અને અપવાદના એકાWપણામાં શૈલેશી સુધી તેને=ચારિત્ર, અપવાદરૂપ માનવાનો પ્રસંગ હોવાથી, પરપ્રતિબદ્ધ એવું વૈયાવૃત્યકરણ અપવાદ માટે છે, એમ ન કહી શકાય, એમ પૂર્વની સાથે અન્વય છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે. અને પરના=બીજાના, પ્રત્યે પરકાર્યની પ્રાર્થના જોઈએ અને સ્વયં કરતાં પરની અકુશળતાને કારણે કાર્યનો નાશ જોઈને, રાત્વિકની આજ્ઞા વડે તેનું પરકાર્યનું, કરણ નિર્જરા માટે છે. ભાવાર્થ :
સંયમ આત્મમાત્ર પ્રતિબંધમાં વિશ્રાંત છે. તેથી જીવે ઉત્સર્ગથી આત્માની નિર્લેપદશાને પ્રગટ કરવાનો જ સુદઢ યત્ન ધ્યાનમાં કરવાનો છે, તે સિવાયની કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ અપવાદથી થાય છે. તેથી પરની વૈયાવચ્ચનું કરવું તે પરપ્રવૃત્તિરૂપ હોવાથી અપવાદથી થઈ શકે, ઉત્સર્ગથી નહિ. આ પ્રકારે દિગંબર કહે છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્ર ભણવાની ક્રિયા તે જ્ઞાનાચારરૂપ છે, તો પણ તે ચારિત્રની વૃદ્ધિનું કારણ છે, તેથી ઉત્સર્ગથી જ્ઞાનાચારના પાલન અર્થે યત્ન કરવામાં આવે છે. તેની જેમ વીર્યાચારનું પાલન પણ ચારિત્રનું મૂળ છે, કેમ કે વીર્યાચારના સમ્યગુ પાલનથી જીવમાં ચારિત્ર પ્રગટે છે અને વૃદ્ધિવાળું પણ થાય છે. તેથી વીર્યાચારનું પાલન પણ ચારિત્રની વૃદ્ધિનું કારણ છે. આથી ચારિત્રના કારણભૂત વીર્યાચારના પાલનરૂપ વૈયાવચ્ચનું કરવું તે ઉત્સર્ગથી કર્તવ્ય બને છે. તેથી વર્યાચારનું પાલન બાહ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે એટલા માત્રથી તેને અપવાદ કહી શકાય નહીં.
આશય એ છે કે, દિગંબર આત્માના ભાવોમાં જવાના યત્નને ઉત્સર્ગથી કર્તવ્યરૂપે સ્વીકારે છે અને બાહ્ય આચરણારૂપ શાસ્ત્રઅભ્યાસ આદિ ક્રિયાઓને તે અપવાદથી સ્વીકારે છે. તેનું કહેવું છે કે, ખરેખર તો જીવે પોતાના ભાવોને સ્કુરણ કરવા યત્ન કરવો તે કર્તવ્ય છે; પરંતુ જ્યારે જીવ પોતાના ભાવોમાં રહેવા માટે પ્રયત્ન કરવા સમર્થ નથી, ત્યારે બાહ્ય આચરણાઓ દ્વારા આત્મભાવોમાં જવા યત્ન કરે તે ઉચિત છે, તેથી શાસ્ત્રઅભ્યાસની ક્રિયા કે ગુરુ આદિ પાસે જ્ઞાનાદિ ગ્રહણની ક્રિયા કે વૈયાવચ્ચની ક્રિયાને તે અપવાદરૂપે સ્વીકારે છે, પરંતુ તેની તે વાત ઉચિત નથી.
શ્વેતાંબર માન્યતા પ્રમાણે સંયમની પોષક એવી સર્વ ઉચિત ક્રિયાઓ ઉત્સર્ગરૂપ છે, તેથી બાહ્ય આચરણારૂપ નિર્દોષ ભિક્ષા ઉત્સર્ગરૂપ છે; કેમ કે ચારિત્રનું કારણ છે. તેવી રીતે શાસ્ત્ર ભણવાની ક્રિયા પણ બાહ્ય આચરણાત્મક હોવા છતાં ચારિત્રનું મૂળ છે, માટે ઉત્સર્ગ છે, અને વીર્યાચારના પાલનરૂપ વૈયાવચ્ચ પણ બાહ્ય-ક્રિયાત્મક હોવા છતાં ઉત્સર્ગરૂપ છે.
અહીં ‘જ્ઞાનાવરસ્ય ફુવ’ એ દૃષ્ટાંત આપેલ છે, અને એ દષ્ટાંત પૂર્વપક્ષીને હંમેશાં માન્ય હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org