________________
o
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ છે, પરંતુ પોતાના સમાન હોય કે પોતાનાથી અલ્પ જ્ઞાનાદિવાળા હોય તેઓ જ્ઞાનાદિ રત્નોવાળા છે છતાં રાત્નિકથી તેઓને ગ્રહણ કરવાના નથી.
વળી રાત્વિક અભ્યર્થનાને=પ્રાર્થનાને, યોગ્ય હોતા નથી; કેમ કે તેમના પ્રત્યે વસ્ત્રપરિકર્માદિની અભ્યર્થના કરાય છતે અવિનયનો પ્રસંગ આવે.
આ રીતે રાત્નિકને છોડીને અભ્યર્થના કરવાનું કથન કર્યું. આમ છતાં રાત્વિક પણ સર્વથા અભ્યર્થનાને અયોગ્ય નથી, તેથી કયા કાર્યમાં રાત્નિકને અભ્યર્થના થઈ શકે તે બતાવવા અર્થે કહે છે – જ્ઞાનાદિ કાર્યને છોડીને વસ્ત્રસીવન આદિના કાર્યમાં રત્નાધિકને અભ્યર્થના કરવાનો નિષેધ છે. જ્ઞાનાદિની ઈચ્છા હોતે જીતે તે પણ=રત્નાધિક પણ, અભ્યર્થક દ્વારા=અભ્યર્થના કરનાર દ્વારા, ઈચ્છાકારના પ્રયોગથી “તમે મને ભણાવો.” એ પ્રકારે અભ્યર્થના કરાય.
આનાથી એ પ્રાપ્ત થાય કે અભ્યર્થક રત્નાધિક એવા ગુરુ આદિને અભ્યર્થના કરે કે, “તમે મને ઈચ્છાપૂર્વક જ્ઞાનાદિ ભણાવો” અને ત્યારે અભ્યર્થકની અભ્યર્થનાને કારણે તે રત્નાધિક પણ તેને કહે કે, “હું ઈચ્છાપૂર્વક તને શાસ્ત્રો ભણાવું છું.” II૧રશા અવતરણિકા -
नन्वभ्यर्थनावत्करणमप्युत्सर्गतो न भविष्यति ? इत्याशङ्क्याह - અવતરણિકાર્ય :
અભ્યર્થનાની જેમ કરણ પણ ઉત્સર્ગથી થશે નહિ, એ પ્રકારની શંકા કરીને કહે છે - ભાવાર્થ -
જે કારણથી સાધુઓએ અનિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ, તે કારણથી ઉત્સર્ગથી અભ્યર્થનાનો નિષેધ પ્રાપ્ત થયો. જેમ સાધુએ અભ્યર્થના નથી કરવાની તેમ સાધુએ પોતાના આત્મામાં વિશ્રાંતિ કરવા માટે ઉત્સર્ગથી અનિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ, તેથી આત્મભાવોના યત્નને છોડીને બાહ્ય પ્રવૃત્તિ ઉત્સર્ગથી કરાય નહિ. માટે બાહ્ય પ્રવૃત્તિરૂપ પરનું કાર્ય પણ ઉત્સર્ગથી કરી શકાય નહિ. એ પ્રકારની શંકા કરીને કહે છે –
ગાથા :
करणं पुण आणाए विरियायारो त्ति णेव पडिसिद्धं । परकज्जत्थणणासे दणं णिज्जरट्ठाए ।।१३।।
છાયા :
करणं पुनराज्ञया वीर्याचार इति नैव प्रतिषिद्धम् । परकार्यार्थननाशे दृष्ट्वा निर्जरार्थाय ।।१३ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org