________________
૬૮ માં
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૨ કારણે સંયમફળ વંચના ન થાય એ હેતુથી, ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદનું આશ્રયણ છે.
પૂર્વના કથનમાં સાક્ષીરૂપે આગમ પણ છે. તે(આવશ્યક નિર્યુક્તિ ગાથા નં. ૬૭૦)નો અર્થ આ પ્રમાણે છે -
“તે કાર્યને માટે જો અસમર્થ હોય અથવા તે કાર્ય જાણતો ન હોય અથવા ગ્લાનતાદિ કારણો વડે વ્યાપત હોય ગ્લાનવાદિની વૈયાવચ્ચમાં તે વ્યાપત હોય તો" (અભ્યર્થના કરે). વાળં પૂરણાર્થે નિપાત છે.
‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
* ઉદ્ધ રણમાં ‘સ્નાનત્વરિ’ કહ્યું છે ત્યાં “આદિ' પદથી ગુરુ, તપસ્વી આદિની વૈયાવચ્ચમાં વ્યાપૃત હોય તેનું ગ્રહણ કરવાનું છે.
* સાક્ષીપાઠના ‘ન દોન્ન તસ નો ' આટલા પાઠથી મૂળ શ્લોકમાં કહેલ ગ્લાનનું ગ્રહણ
થાય છે.
આશય એ છે કે, સાધુ જ્યારે ગ્લાન હોય ત્યારે કાર્ય કરવા સમર્થ હોતો નથી, તે અવસ્થામાં તેને અપવાદથી અભ્યર્થના કરવાની અનુજ્ઞા છે. ભાવાર્થ :
જ્યારે સાધુ ગ્લાનદશામાં હોય ત્યારે પોતાનાં આહારાદિ લાવવા માટે જો તે અભ્યર્થના ન કરે તો આહાર પ્રાપ્ત થાય નહિ, અને સ્વયં આહાર લાવવા માટે ગ્લાનતાના કારણે સમર્થ નથી અને અસહ્ય ક્ષુધાના કારણે આહારની અપ્રાપ્તિમાં ક્લિષ્ટ અધ્યવસાય થાય તો તેનાથી સંયમફળ નાશ પામે. તેથી સંયમફળના રક્ષણ માટે ગ્લાન સાધુ અભ્યર્થના કરે.
આ કથન ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદના આશ્રયણરૂપે છે; કેમ કે ઉત્સર્ગની આચરણા પણ સંયમની વૃદ્ધિ માટે હોય છે; પરંતુ જ્યારે ઉત્સર્ગની આચરણાથી સંયમનું રક્ષણ થવું શક્ય ન હોય ત્યારે સંયમના રક્ષણ અર્થે જે અપવાદનું આશ્રયણ કરાય છે, તે ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદ છે.
તાત્પર્ય એ છે કે ઉત્સર્ગથી તો સાધુઓએ પોતાનું કોઈપણ કાર્ય સ્વયં કરવું જોઈએ, જેથી સંયમયોગમાં અનિગૂહિત બલવીર્યવાળા થવાય. પરંતુ જ્યારે ગ્લાનવાદિને કારણે શારીરિક સંયોગ વિષમ હોય ત્યારે જો સાધુ અન્યને સ્વઆહારાદિ અર્થે અભ્યર્થના ન કરે, તો સંયમના પરિણામમાં બલવીર્યને પ્રવર્તાવી શકે નહિ. તેથી સંયમના પરિણામમાં પોતાના વીર્યને પ્રવર્તાવવા માટે ગ્લાન સાધુ અન્ય સાધુને આહારાદિ લાવી આપવા માટે અભ્યર્થના કરે તે સંયમવૃદ્ધિનું કારણ છે, માટે ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદ છે અર્થાત્ પ્રામાણિક અપવાદ છે. અને જે ઉત્સર્ગ-નિરપેક્ષ-અપવાદ હોય તે વાસ્તવિક અપવાદ નથી, પણ અપ્રામાણિક અપવાદ છે.
* “તું” ટીકામાં ‘તુ' શબ્દ અવધારણ અર્થમાં છે અને તેનો આશય એ છે કે ગ્લાનત્વાદિ કારણો હોય તો જ અભ્યર્થના કરે, પરંતુ ગ્લાનત્વાદિ કારણો ન હોય તો ન કરે. ઉત્થાન :
ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ‘૩થ” થી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org