________________
ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૧
૬૫ અને ઉત્સાહ તે ઉલ્લસિત વીર્યરૂ૫ છે, અને આ અર્થની પુષ્ટિ માટે ટીકામાં ચૂર્ણિકારનો સાક્ષીપાઠ આપેલ છે.
આ પ્રમાણે બળ અને વીર્યના બંને અર્થ ર્યા પછી સમાસ બતાવ્યો કેતતઃ=ત્યાર પછી, અનિગૂહિત= અનાચ્છાદિત બલ-વીર્ય છે જેના વડે, તે તેવા છે તે અનિગૂહિત બલ-વીર્યવાળા છે. તે રૂપે સાધુએ થવું જોઈએ તે પ્રમાણે યોજન છે. અને તેથી સાધુઓએ સર્વ અનુષ્ઠાનો ઉત્સાહથી અને પોતાના પૂર્ણ સામર્થ્યથી કરવાં જોઈએ કે જેથી ઉત્તરોત્તર વિશેષ નિર્જરા પ્રાપ્ત થાય, અને આવા સાધુઓ અનિગૂહિત બલ-વીર્યવાળા છે. તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ.
અહીં વિશેષ એ છે કે, સાધુએ પોતાનું શરીરબળ અંતરંગ યોગમાર્ગમાં સુદઢ રીતે પ્રવર્તાવવાનું છે. તેથી જો પોતાને વિશેષ નિર્જરાનું કારણ હોય તેવું કાર્ય કરવું હોય તો બીજા પાસે પોતાનું કાર્ય કરાવવા અભ્યર્થના કરે, પરંતુ તે સિવાય મારું કાર્ય આ વ્યક્તિ કરી આપે તેમ છે એટલામાત્ર પરિણામથી જો તે બીજાને સ્વકાર્ય કરવાની અભ્યર્થના કરે, તો તે કાર્ય કરવામાં પોતાનું વીર્ય ગોપવ્યું છે. એટલું જ નહિ પરંતુ પોતાનું તે ઉચિત કૃત્ય કરીને પોતે જે વિશેષ પ્રકારના ચારિત્રના પરિણામમાં યત્ન કરી શકત, એવું પોતાનું વીર્ય પ્રવર્તાવવાનું હતું તે પણ તેણે ગોપવ્યું છે. અને આમ કરવાથી તો પરિણામે બીજા પાસે પોતાનું કાર્ય કરાવવાની મનોવૃત્તિ પુષ્ટ થાય છે, અને સન્માર્ગમાં પ્રવર્તતું પોતાનું વીર્ય શિથિલ થાય છે, જે ચારિત્રની અશુદ્ધિનું આપાદક છે. તેથી વિશેષ કાર્ય ન હોય તો સાધુએ સ્વયં પોતાનું કાર્ય કરવું જોઈએ. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે, ઉત્કૃષ્ટ કાર્ય વગર અભ્યર્થના સાધુએ ન કરવી જોઈએ. તેથી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, કે જ્યારે અભ્યર્થના કરી શકાય ? તેને બતાવે છે – ટીકા -
यदि तु वस्त्रपरिकर्मादेरल्पीयसः स्वप्रयोजनात् पुरुषान्तराऽसाध्यं विशिष्टं ग्लानप्रतिचरणधर्मानुयोगादिकं स्वसाध्यमन्यप्रयोजनमवगच्छति तदा परं प्रत्येवं विशिष्टनिर्जरार्थितयेच्छाकारं कुर्यात् यदुत-“मदीयं वस्त्रसीवनादिकं त्वमिच्छाकारेण कुरु, अहं च ग्लानप्रतिचरणादिकं करोमि" इति । न हीयमभ्यर्थना वीर्यं निगृहयत उदेति, अपि त्वधिकतरं वीर्यं प्रयुञानस्येति नेयमुत्सर्गविरोधिनी ।।११।। ટીકાર્ય :
વળી જો અલ્પ એવા વસ્ત્રપરિકમદિના સ્વપ્રયોજનથી પુરુષાંતર અસાધ્ય =અન્ય વ્યક્તિ દ્વારા અસાધ્ય, અને સ્વસાધ્ય એવા વિશિષ્ટ ગ્લાસપ્રતિચરણા-ધર્મઅનુયોગાદિકરૂપ વિશિષ્ટ અન્ય પ્રયોજનને જાણે છે, ત્યારે પરના પ્રતિ આ રીતે=આગળમાં બતાવશે એ રીતે, વિશિષ્ટ નિર્જરાના અથપણા વડે ઈચ્છાકાર કરે છે, જે આ પ્રમાણે, “મારું વસ્ત્ર સીવવું વગેરે તું ઈચ્છાપૂર્વક કર અને હું ગ્લાન પ્રતિચરણાદિને કરું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org