________________
ઉજ
ઈચ્છાકાર સામાચારી/ ગાથા: ૧૧ ટીકાર્ય :
‘ હિર ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે.
જે કારણથી સાધુએ અવશ્ય અતિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ - નિદિયવનવિર! (વિરિ) નો સમાસ ખોલતાં પ્રથમ બળ અને વીર્યનો ભેદ બતાવે છે ઃ શારીરિકશક્તિ તે બળ અને અંતરંગશક્તિવિશેષ તે વીર્ય અથવા બળ તે સામર્થ્ય અને વીર્ય તે ઉત્સાહ. આ બીજા પ્રકારના અર્થમાં સાક્ષીપાઠ આપે છે –
જે કારણથી ચૂણિકાર કહે છેઃ બલ સામર્થ્ય છે અને વીર્ય ઉત્સાહ છે.
ત’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
પૂર્વમાં બલ અને વીર્યનો અર્થ કર્યો. હવે સમાસ બતાવે છે – તત ત્યાર પછી અતિમૂહિત= અવાચ્છાદિત, બલવીર્ય છે જેના વડે, તે તેવો છે અતિગૃહિત બલવીર્યવાળો છે. તે રૂપે સાધુએ થવું જોઈએ.
હવે પૂર્વમાં કહેલું કે, જે કારણથી સાધુએ અતિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ તેની સાથે તેન” થી ઉત્તર પદાર્થનું યોજન કરતાં કહે છે – તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના પોતાને જે કાર્ય કરવાનું હોય તેનાથી વિશેષ નિર્જરાનું કાર્ય ન હોય તો, અભ્યર્થના ન કરવી જોઈએ. ભાવાર્થ:
ટીકામાં પ્રથમ બળનો અર્થ કર્યો કે શારીરિક બળ અને વીર્યનો અર્થ કર્યો કે આંતરશક્તિવિશેષ=વીર્યંતરાય કર્મના ક્ષયોપશમવિશેષથી થયેલી શક્તિ. આ પ્રથમ અર્થ પ્રમાણે એ કહેવું છે કે, સાધુએ બળ અને વીર્ય સંયમયોગમાં પૂર્ણ ફોરવવાં જોઈએ અર્થાત્ ઉચિત અનુષ્ઠાનમાં જ્યારે સાધુઓ શરીરના બળ પ્રમાણે પ્રવૃત્તિ કરે ત્યારે તે તે અનુષ્ઠાન માટે અપેક્ષિત વેશ્યા, પરિણામશુદ્ધિ, સૂત્ર-અર્થમાં ઉપયોગ વગેરેમાં વીર્યાતરાયનો વિદ્યમાન ક્ષયોપશમ ગોપવવો ન જોઈએ.
બીજા અર્થ પ્રમાણે બળનો અર્થ કર્યો સામર્થ્ય, અને તેનાથી એ ફલિત થાય કે, બળ શરીરસાપેક્ષ અંતરંગ સામર્થ્ય, અને વીર્યનો અર્થ કર્યો ઉત્સાહ=નિર્જરાના કારણભૂત એવા ઉત્તમ અનુષ્ઠાનમાં ઉત્સાહ. આ બીજા અર્થ પ્રમાણે બળ શબ્દથી અંતરંગ સામર્થ્ય વીર્યંતરાયકર્મના ક્ષયોપશમરૂપ જ પ્રાપ્ત થશે, અને વીર્ય શબ્દથી તે કાર્ય કરવા માટેનો જીવનો ઉત્સાહરૂપ પરિણામ પ્રાપ્ત થશે. સાધુઓ પોતાને ઉચિત અનુષ્ઠાનમાં શરીરનું બળ અને વીર્યંતરાયના ક્ષયોપશમને સુદઢ રીતે પ્રવર્તાવતા હોય ત્યારે તેઓએ પોતાનું બળ અનુષ્ઠાનમાં પૂર્ણ પ્રવર્તાવ્યું છે તેમ ફલિત થાય. છતાં વીર્ય શબ્દથી બળ કરતાં ઉત્સાહને પૃથ ગ્રહણ કરવાનું તાત્પર્ય એ છે કે જે અંતરંગ યત્ન સામાન્યથી પ્રવર્તતો હોય તે ઉત્સાહથી અતિશયિત બને છે. સ્વયં તે અનુષ્ઠાનનું મહાફળ છે તેમ જાણવા છતાં, ઉપદેશ આદિથી જ્યારે તે કાર્ય કરવા માટે અત્યંત ઉત્સાહિત થાય છે, ત્યારે તે અનુષ્ઠાન વિશેષ નિર્મળતાનું કારણ બને છે, અને તેથી જે અનુષ્ઠાન સાધવા માટે તે બળ પ્રવર્તતું હોય તે અનુષ્ઠાન ઉત્સાહથી વિશેષરૂપે સાધી શકાય છે. આવું ગ્રહણ કરવા માટે બીજા અર્થમાં ઉત્સાહને પૃથ ગ્રહણ કરેલ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org