________________
૧
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૦
“अहमिदं भवदीयं प्रयोजनमिच्छाकारेण करोमि परं न तावच्छक्नोमि, गुरुभिर्वा कार्यान्तरमादिष्टमिति । ” कारणाभावे त्वनुग्रहार्थमभ्यर्थयमानसाधुकृत्यमवश्यं कर्त्तव्यम् ।
ટીકાર્ય :
‘બ્રહ્મચિન વિ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
આથી વીર્યના આચ્છાદનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાના લાભનું વંચત હોવાથી જ, અભ્યર્થિત વડે પણ=વિવક્ષિત કાર્ય કરવા માટે કહેવાયેલા વડે પણ, આ=ઈચ્છાકાર, તિષ્ફલ ન કરવો જોઈએ, પરંતુ અભ્યર્થિત અર્થ=અભ્યથિત એવું કાર્ય, કરવાથી સફળ જ કરવો જોઈએ, અથવા અશક્તિમાં જ=અસામર્થ્યમાં જ, કારણપ્રકાશન વડે આ=ઈચ્છાકાર, કરવો જોઈએ. અશક્તિમાં કારણપ્રકાશન દ્વારા ઈચ્છાકાર પ્રયોગ કઈ રીતે થાય ? તે જ બતાવે છે – “હું આ તમારું પ્રયોજન ઈચ્છાથી કરું છું"=સ્વીકારું છું, “પરંતુ (કરવા માટે) સમર્થ નથી, અથવા ગુરુ વડે કાર્યંતર આદિષ્ટ છું” (તેથી હું કરી શકું તેમ નથી.) કારણના અભાવમાં=કાર્ય નહીં કરવા માટે કારણના અભાવમાં, વળી નિર્જરારૂપ અનુગ્રહ માટે=સ્વની નિર્જરા માટે, અભ્યર્થમા સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ.
* ‘ગમ્યથિતનાઽપિ’ માં ‘વિ’ થી એ કહેવું છે કે જે અભ્યર્થિત ન હોય તે તો કાર્ય ન કરે, પરંતુ અભ્યર્થિત પણ ક્વચિત્ કાર્ય ન કરે તેવું બનતું હોય છે. તેના નિવારણ માટે કહે છે કે, અભ્યર્થિત વડે પણ ઈચ્છાકાર નિષ્ફળ ન કરવો જોઈએ.
* ‘ગાવિષ્ટમિતિ’ માં ‘કૃતિ’ શબ્દ કાર્ય કરવાના અસામર્થ્યમાં કરાતા ઈચ્છાકાર પ્રયોગના સ્વરૂપની સમાપ્તિ
માટે છે.
ભાવાર્થ:
અહીં જેને કાર્ય કરવાનું કહેવામાં આવે છે, તે સામેની વ્યક્તિ અભ્યર્થિત કહેવાય છે અર્થાત્ ગુરુ આદિ વડે કે સમકક્ષ મુનિ વડે કોઈ પ્રયોજન ઉપસ્થિત થતાં “તું મારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કર” એમ જે વ્યક્તિને કહે તે વ્યક્તિ અભ્યર્થિત બને છે, અને તેવી અભ્યર્થિત વ્યક્તિ વડે પણ આ ઈચ્છાકાર નિષ્ફલ કરાવો ન જોઈએ, પરંતુ અભ્યર્થિત એવો જે અર્થ અર્થાત્ વિવક્ષિત કૃત્ય, તેને કરવા વડે સફળ જ કરવો જોઈએ. હવે જો તે કૃત્ય કરવાનું પોતાનું અસામર્થ્ય હોય તો કારણ બતાવવા વડે ઈચ્છાકા૨ ક૨વો જોઈએ.
ત્યાં પ્રશ્ન થાય કે શક્તિ કે સામર્થ્ય ન હોય તો પોતાની શક્તિ નથી એમ કહે, પરંતુ ત્યાં ઈચ્છાકારનો પ્રયોગ કરવાનું કઈ રીતે સંગત થાય ?
તેથી બતાવે છે કે શક્તિ ન હોય તો પણ “મારી શક્તિ નથી” એટલું જ ન કહે, પરંતુ સાથે એમ પણ કહે કે “હું આ તમારું કાર્ય ઈચ્છાથી કરું છું પરંતુ સમર્થ નથી” અર્થાત્ “તે કાર્ય કરવાની મારી નિપુણતા નથી કે જેથી શાસ્ત્રવિધિ પ્રમાણે તે કાર્ય હું કરી શકું,' અથવા એમ પણ કહે કે “મારી કાર્ય કરવાની શક્તિ હોવા છતાં ગુરુ વડે હું કાર્યાંતર આદિષ્ટ છું=અન્ય કાર્ય ક૨વા માટે મને ગુરુએ આજ્ઞા આપેલ છે, તેથી હું
,,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org