SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯ ભાવાર્થ - મુનિઓ સમભાવવાળા હોવાથી કોઈને સહેજ પણ પીડા ન થાય તેવા અધ્યવસાયવાળા હોય છે અને આવા અધ્યવસાયવાળા હોવાને કારણે તેઓ ઉચિત એવી ક્રિયાઓમાં યત્ન કરે છે. આથી જ્યારે પણ કોઈકની પાસે કાંઈક કાર્ય કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. ત્યાં પૂર્વપક્ષીને શંકા કરે છે કે, સમભાવના પરિણામ માટે પરપીડાપરિહારનો અધ્યવસાય આવશ્યક છે, તેથી મુનિ પરપીડાપરિહારનો અધ્યવસાય જીવંત રહે તે રીતે કોઈને કાર્ય કરવાનું કહે, પરંતુ ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો પણ પોતાને પરપીડા પરિવારના અધ્યવસાયથી ફળની પ્રાપ્તિ થઈ જશે. તેને ગ્રંથકાર કહે છે કે, સમભાવરૂપ ચારિત્રના પરિણામમાં જેમ પરપીડાપરિહારનો અધ્યવસાય હોય છે, તેમ ઉચિત પ્રવૃત્તિમાં વિર્યાચારના પાલનનો પણ અધ્યવસાય હોય છે. તેથી કોઈ મુનિ બીજાને કાર્ય બતાવતી વખતે ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો ઉચિત પ્રવૃત્તિમાં વીર્યાચારનું પાલન ન થાય તેથી તસ્કૃત નિર્જરા પણ ન થાય; અને કોઈ મુનિ ઈચ્છાકારનો પ્રયોગ કરે, આમ છતાં પરપીડાના પરિવારના અધ્યવસાયને ન કરી શકે, તો ઉચિત ક્રિયામાં યત્ન કર્યો હોવા છતાં ઉચિત ભાવમાં યત્ન કર્યો નથી, તેથી ઉચિતભાવકૃત નિર્જરાના ફળને પામે નહિ; અને માત્ર વચનપ્રયોગરૂપ ઉચિતક્રિયા કરી, તેનાથી ખાસ કાંઈ ફળ મળે નહિ; કેમ કે ભાવથી રહિત માત્ર ક્રિયાનું ખાસ ફળ નથી. તેથી ચારિત્રના સંપૂર્ણ ફળના અર્થીએ પરપીડાના પરિહારના અધ્યવસાયમાં જેમ યત્ન કરવો આવશ્યક છે, તેમ પર કાર્ય બતાવતી વખતે ઈચ્છાકાર પ્રયોગમાં પણ પ્રયત્ન કરવારૂપ વીર્યાચારનું પાલન અવશ્ય કરવું જોઈએ.llll ગાથા ૭-૮-૯ અનુસાર “ઈચ્છાકારના પ્રયોગથી પ્રાપ્ત થતાં ફળો:(૧) અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ ગુરુની આજ્ઞાનું આરાધન, (૨) “અભ્યર્થના અને વિધાનમાં બલાભિયોગના પરિહાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો” તે રૂ૫ સ્થિતિનું શાસ્ત્રીય મર્યાદાનું, પાલન, (૩) બલાભિયોગની શંકા વડે બીજાને સ્વલ્પ પણ પીડા ન થવા દેવી, એવા દયાથી યુક્ત ચિત્તવાળા શુભ અધ્યવસાયથી ઉચ્ચગોત્રકર્મનો બંધ. (૪) અભિયોગ-પરિહાર-પ્રધાન અધ્યવસાયવાળું ચિત્ત હોવાના કારણે, બીજાને પરતંત્ર થવું પડે તેવું જે પૂર્વમાં બાંધેલ અભિયોગનિમિત્તક નીચગોત્રકર્મ, તેનો ક્ષય, (૫) સાધુઓના “ઈચ્છાકારના પ્રયોગને જોઈ પ્રજ્ઞાધન એવા વિચારકને થાય કે “અહો ! જૈન સાધુઓ નિપુણ અર્થને જોનારા છે, જેથી અલ્પ પણ પરખેદના પરિહાર માટે પ્રયત્ન કરે છે !” એવા પ્રકારની પ્રવચનની શ્લાઘા પણ થાય છે, (૯) વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાની પ્રાપ્તિ અને (૭) આવશ્યકનિયુક્તિ ગાથા-૭૨૩ મુજબ, આ સામાચારીને આચરતા ચરણકરણમાં ઉપયુક્ત સાધુઓ અનેક ભવસંચિત કર્મોનો નાશ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy