________________
પપ
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૮ कृपापरीतचेतसः साधव इच्छाकारं प्रयुञ्जत इति कथं न तथाविधाध्यवसायेन तेषामुच्चैर्गोत्रबन्धः ? । न केवलं तद्बन्ध एव, किन्त्वभियोगनिमित्तस्य-पारतन्त्र्यप्रयोजनस्य नीचेर्गोत्रादिकर्मणोऽभियोगाध्यवसायप्रतिपक्षतत्परिहाराध्यवसायेन हानिरपि-निर्जराऽपि । ટીકાર્ય :
વ્યાવિદા તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
લોકની પૂજ્યતાના કારણભૂત એવા કર્મવિશેષરૂપ ઉચ્ચગોત્રકર્મનું વિધાનઃઉચ્ચગોત્રકર્મનો બંધ, ઈચ્છાકારના પ્રયોગથી જ થાય છે. ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રકર્મ સાધુને કેમ બંધાય છે, તે યુક્તિથી બતાવે છે - બલાભિયોગની શંકા વડે પરને સ્વલ્પ પણ પીડા ન થાય, એ પ્રકારના પરપીડાપરિહારના અધ્યવસાય વડે કરીને જ ખરેખર કૃપાથી યુક્ત ચિત્તવાળા સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. એથી કરીને તેવા પ્રકારના અધ્યવસાયથી તેઓને ઉચ્ચગોત્રકર્મબંધ કેમ ન થાય ? અર્થાત્ થાય જ કેવલ ઉચ્ચગોત્રકર્મનો બંધ જ નથી, પરંતુ અભિયોગઅધ્યવસાયના પ્રતિપક્ષ એવા તેનો=અભિયોગપરિહારનો, અધ્યવસાય હોવાથી અભિયોગનિમિત પારતંત્રતા પ્રયોજનવાળા નીચગોત્રાદિ કર્મની હાનિ પણ છે=નિર્જરા પણ છે.
* ‘વત્પાડપિ' અધિક પીડા તો ન થાઓ પણ સ્વલ્પ પણ પીડા ન થાઓ તે ‘' થી ઘોતિત થાય છે. » ‘નીવોત્રાદિ અહીં ગતિ થી નીચગોત્રની સહવર્તી બીજી અશુભ પ્રકૃતિઓનું ગ્રહણ કરવું.
* ‘નિર્નરTS' અહીં પ થી ઉચ્ચગોત્રકર્મબંધનો સમુચ્ચય કરવો. ભાવાર્થ:
સાધુઓ સ્થિતિના=મર્યાદાના, પાલનના અધ્યવસાયમાત્રથી ઈચ્છાકારનો પ્રયોગ કરતા નથી, પરંતુ જ્યારે કોઈ પાસે કાર્ય કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, કાર્ય કરી આપનાર વ્યક્તિને “આ સાધુ મને આજ્ઞા કરે છે, માટે મારે કરવું જોઈએ” એવી બલાભિયોગની શંકાથી સ્વલ્પ પણ પીડા થાય તેના પરિવારના અધ્યવસાયથી=અભિયોગપરિહારના અધ્યવસાયથી, પણ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. અને આવા શુભ અધ્યવસાયથી પણ તેઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે, માટે તેઓને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ થાય છે. વળી, બીજો પણ વિશેષ લાભ થાય છે કે, ભૂતકાળમાં અભિયોગના અધ્યવસાયથી બંધાયેલ નીચગોત્રકમ કે જે વિપાકમાં આવે તો પોતાને બીજાને પરતંત્ર થવું પડે તેવો વિપાક દેખાડનારું છે, તેવું અભિયોગ નિમિત્તક નીચગોત્રકર્મ પણ, આવા અભિયોગ-પરિહાર-પ્રધાન અધ્યવસાયવાળું ચિત્ત હોવાથી નાશ પામી જાય છે=ક્ષય થઈ જાય છે. ટીકા :
तथा शासनमानोऽपि - “अहो ! जैना निपुणार्थदर्शिनोऽल्पीयसोऽपि परखेदस्य परिहाराय प्रयतन्ते" इत्येवंरूपा प्रवचनश्लाघाऽपि, 'हंदि' इत्युपदर्शने शुभभावात्-प्रशस्ताध्यवसायात् ।।८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org