________________
પ૩
ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૭ અભ્યર્થમાન અને કારક બંનેએ ઈચ્છાકાર કરવો જોઈએ. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ઈચ્છાકારનો પ્રયોગ કરવાથી સ્થિતિનું પાલન થાય છે. હવે તેના ફલિતાર્થને કહે છે - ટીકા -
तथा च स्वविषये इच्छाकारप्रयोगस्य स्वातन्त्र्येणैव हेतुत्वमिति पर्यवस्यति ।।७।। ટીકાર્ય :
અને તે રીતે પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે, સ્વવિષયમાં ઈચ્છાકારના વિષયમાં, ઈચ્છાકારના પ્રયોગનું નિર્જરા પ્રત્યે અને તથાવિધ પુણ્યબંધ પ્રત્યે સ્વાતંત્ર્યથી જ હેતુપણું છે, એ પ્રકારે પર્યવસાન થાય છે. IIકા ભાવાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ઈચ્છાકારના પાલનથી શિષ્ટાચારના પરિપાલનરૂપ સ્થિતિનું પરિપાલન થાય છે. તેનાથી એ ફલિત થાય કે, ઈચ્છાકારના સ્થાનમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે પ્રયોગ માત્ર સામી વ્યક્તિના બલાભિયોગના પરિવારને કારણે નિર્જરાનો હેતુ નથી કે માત્ર ગુરુના અભિયોગ-પરિહારપ્રધાન ઉપદેશનું આરાધન કરવાથી નિર્જરાનો હેતુ નથી, પરંતુ સ્વતંત્ર રીતે જ નિર્જરાનો હેતુ છે.
આશય એ છે કે, સાધુઓમાં સાધ્વાચારના પરિપાલનનો અધ્યવસાય હોય છે, અને તે અધ્યવસાયને અનુરૂપ ઉચિત સ્થાને ઈચ્છાકારનો પ્રયોગ કરે ત્યારે તે પ્રયોગ કરવાથી નિર્જરારૂપ ફળ અને પુણ્યબંધની પ્રાપ્તિ થાય છે, અને તે પ્રયોગ કરતી વખતે તે પ્રયોગ કરવાનો ઉદ્દેશ અભિયોગ-પરિહાર-પ્રધાન ગુરુની આજ્ઞાના પાલનનો હોવાથી તજ્જન્ય પણ સ્વતંત્ર નિર્જરા અને પુણ્યબંધ થાય છે. તેથી ઈચ્છાકારના પ્રયોગકાળમાં જે જે પ્રકારના અધ્યવસાયો સંલગ્ન હોય તે સર્વકૃત તથાવિધ પુણ્યબંધ અને નિર્જરાની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
આ ઈચ્છાકારના પ્રયોગમાં નીચેના અધ્યવસાયો સંવલિત થઈ શકે છે : (૧) કાર્ય કરાવનાર અને કરનાર બંનેને શિષ્ટાચારના=સંપ્રદાયની મર્યાદાના, પાલનનો અધ્યવસાય,
(૨) બીજાને કાર્ય બતાવવું હોય ત્યારે ઈચ્છાકારના પ્રયોગથી અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશના પાલનનો અધ્યવસાય અને
(૩) કાર્ય કરનાર વ્યક્તિ ઈચ્છાકાર પ્રયોગ કરે ત્યારે, અભિયોગ-પરિહાર-પ્રધાન ગુરુઉપદેશના પાલનનો અધ્યવસાય, અને નિર્જરા અર્થે કાર્યને કરવાની ઈચ્છા જણાવવા દ્વારા ગુરુને પ્રમોદ કરાવવાનો અધ્યવસાય.IIળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org