________________
પ૧
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ અર્જત થાય છે એ ફલ, કારકને=શિષ્યને, છે, પરંતુ અભ્યર્થકને કાર્ય કરાવનારને નથી. એથી કરીને બંનેનું સાધારણ ફળ મૂળ શ્લોકમાં કહે છેઃ અને સ્થિતિનું પાલન છે. સ્થિતિપાલન શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છેઃ સ્થિતિ=સંપ્રદાય, તેનું પાલન=તેને અનુકૂળ આચરણા. ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યું કે, જ્યારે ગુરુ અભ્યર્થના કરે છે ત્યારે શિષ્ય “હું આ ઈચ્છાથી કરું છું” એ પ્રતિજ્ઞા કરે ત્યારે ઈચ્છાકારના પ્રયોગને કારણે શિષ્યને એવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે, અને એ ફળ શિષ્યને થાય છે ગુરુને થતું નથી. શિષ્ય કારક છે માટે એ ફળ કારકને થયું, પરંતુ કાર્ય કરવાની અભ્યર્થના કરનાર ગુરુને તે ફળ થયું નહિ, તેથી કારક અને અભ્યર્થક બંનેને જે સાધારણ ફળ મળે છે, તે બતાવે છે –
જ્યારે ગુરુ શિષ્યને “તું ઈચ્છાપૂર્વક આ કાર્ય કર” એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, ત્યારે સ્વસંપ્રદાયની જે મર્યાદા છે તેનું પાલન થાય છે, કેમ કે શ્વેતાંબર સંપ્રદાયના સાધુની આ મર્યાદા છે કે કોઈને પણ અભ્યર્થના કરવાની હોય ત્યારે બલાભિયોગના પરિવાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, અને તે મર્યાદાનું પાલન ગુરુએ કર્યું છે, તેથી સ્થિતિના પાલનકૃત ફળ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. અને વળી સ્વસંપ્રદાયના સાધુની એ પણ મર્યાદા છે કે, બીજાનું કાર્ય કરવું હોય ત્યારે પણ “હું આ તમારું કાર્ય કરું છું” એમ કહેવાય નહિ, પરંતુ “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” તેમ કહેવું જોઈએ; અને શિષ્ય તેમ કહે ત્યારે એ પ્રકારની સંપ્રદાયની મર્યાદાનું પાલન શિષ્યએ પણ કર્યું છે. તેથી પોતાના સંપ્રદાયની મર્યાદાનું સ્મરણ કરીને મારે સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ, તેવો અધ્યવસાય ગુરુ અને શિષ્ય બંનેને હોવાથી તે મર્યાદાપાલનના અધ્યવસાયકૃત પુણ્યપ્રકૃતિ અને નિર્જરાના ભાગી તે બંને થાય છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, સ્વકાર્યની પ્રાર્થના કરનાર અભ્યર્થક ગુરુ અને કાર્ય કરનાર એવો કારક શિષ્ય ઈચ્છાકારનો પ્રયોગ કરે, તેથી સંપ્રદાયનું પાલન કઈ રીતે થાય ? તેથી કહે છે – ટીકા -
_ 'अभ्यर्थनायां विधाने च साधव इच्छाकारं प्रयुञ्जते' इति कदाचिदिच्छाकारं विना कृत्यकरणे संप्रदायभङ्गरूपबलवदनिष्टानुबन्धित्वज्ञानादिच्छैव न भवति तत्करणे च शिष्टाचारपरिपालनजनिताया महत्या निर्जराया लाभः । ટીકાર્ય :
‘અભ્યર્થના અને વિધાનમાં સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે - એથી કરીને ઈચ્છાકાર વગર કૃત્યકરણમાં સંપ્રદાયભંગરૂપ બલવઅનિષ્ટઅનુબંધીપણાનું જ્ઞાન થવાથી ક્યારેય ઈચ્છા જ થતી નથી અને તેના કરણમાં=ઈચ્છાકારના કરણમાં, શિષ્ટાચારના પરિપાલનજડિત મોટી તિર્જરાનો લાભ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org