________________
ઈચ્છાકાર સામાચારી ગાથા : ૭ સામાચારી છે અને તે બે વાક્યમાં રહેલું અન્યતરત્વ ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ છે.
વિધિવાક્યરૂપ ઈચ્છાકાર સામાચારીમાં વિધિનો અર્થ સામેની વ્યક્તિને માટે “આ કર્તવ્ય છે,” એવો પ્રતિપાદક વચનપ્રયોગ છે અને તે વચનપ્રયોગ સામી વ્યક્તિને કર્તવ્યની પ્રતીતિમાત્રને સૂચવે છે, પરંતુ પંચમી પ્રયોગરૂપ જ નથી=આજ્ઞાર્થ પ્રયોગરૂપ જ નથી. તેથી કોઈ વ્યક્તિ ‘વં ફુચ્છયા કુરુ” એ પ્રયોગના બદલે ‘વૈયા ફુચ્છ રૂટું કર્તવ્ય’ એ પ્રયોગ કરે તો પણ તે વચનપ્રયોગ વિધિવાક્ય બનશે, અને તેથી ઈચ્છાકાર સામાચારીના લક્ષણની અવ્યાપ્તિ નહિ આવે. અને પ્રતિજ્ઞાવાક્યમાં ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વને જણાવનાર એવા પોતાના અર્થનો સંપ્રત્યય છે અર્થાત્ “આ કાર્ય હું કરું છું” અથવા તો “હું આ કાર્ય કરીશ” એ બંનેનો સંગ્રહ પ્રતિજ્ઞાવાક્યથી થાય છે.
આશય એ છે કે કેટલુંક કાર્ય તુરત જ કરવાનું હોય છે, ત્યારે કહેવામાં આવે કે “આ કાર્ય હું ઈચ્છાથી કરું છું અને કેટલુંક કાર્ય કાલાંતરે કરવાનું હોય ત્યારે કહેવામાં આવે કે “આ કાર્ય હું ઈચ્છાથી કરીશ” એ બંનેનો સંગ્રહ પ્રતિજ્ઞાવાક્યમાં થાય છે.JIકા અવતરણિકા:
अथेच्छाकारविषयोपदर्शनार्थमाह - અવતરણિયાર્થ:
હવે ઈચ્છાકાર સામાચારીનાં વિષયને જણાવવા માટે કહે છે – ભાવાર્થ -
પાંચમી ગાથાના અંતમાં કહ્યું હતું કે, લક્ષણવિભાગ અને વિષયવિભાગ આદિ રૂપ વક્ષ્યમાણ અર્થ તમારા સિદ્ધાંતમાં મારા વડે જોવાયો છે. તેથી પ્રથમ દશવિધ સામાચારીમાં ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ છઠ્ઠી ગાથામાં બતાવ્યું, જેના કારણે અન્ય સામાચારી કરતાં લક્ષણ દ્વારા ઈચ્છાકાર સામાચારીના ભેદનું જ્ઞાન થયું. હવે અન્ય સામાચારી કરતાં ઈચ્છાકાર સામાચારીના વિષયથી વિભાગને બતાવવા માટે ઈચ્છાકાર સામાચારીના વિષયને બતાવે છે –
ગાથા :
अब्भत्थणाविहाणे इच्छाकारो समुचिओ दोहं । आराहणमाणाए गुरूण ठिइपालणं च जओ ।।७।।
છાયા :
अभ्यर्थनाविधाने इच्छाकारः समुचितः द्वयोः । आराधनमाज्ञाया गुरूणां स्थितिपालनं च यतः ।।७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org