________________
૪૬
ઈચ્છકાર સામાચારી, ગાથા : ૬ ઉત્થાન :
પ્રતિજ્ઞાવાક્યમાં પ્રતિજ્ઞાનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ટીકાર્ય :
પ્રતિજ્ઞા રે ... ઘૂટ્યમ્ ાદ અને ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વ જ્ઞાપક એવો અસ્પદ્ અર્થનો પ્રત્યય પ્રતિજ્ઞા છે, તે કારણથી ‘આ ઈચ્છાથી કરું છું અને ‘આ ઈચ્છાથી કરીશ' ઈત્યાદિનો અવિશેષથી સંગ્રહ છે, ઈત્યાદિ વિચારવું. liદ્દા
» ‘રિણામીત્યારે અહીં રે થી એના જેવા બીજા પ્રયોગો ગ્રહણ કરવા. ભાવાર્થ:
કોઈ સાધુને પોતાનું કાર્ય બીજા સાધુ પાસે કરાવવું પડે તેવા સંયોગો હોય, અથવા તો પોતે અન્ય કાર્ય કરીને વિશેષ નિર્જરા કરી શકે તેમ હોય અને તેથી પોતાનું કાર્ય બીજા પાસે કરાવવું તેને ઉચિત જણાતું હોય ત્યારે, તે કાર્ય કરનાર સામી વ્યક્તિને મારાથી બતાવાતું કાર્ય તેની સ્વઈચ્છાપૂર્વક કરવાનું છે, પણ મારા કહેવાથી કરવાનું નથી, તેવા પ્રકારના ઈચ્છાના સંપ્રત્યય માટે કાર્ય કરાવનાર સાધુ જે વિધિવાક્ય કહે છે, તે ઈચ્છાકાર સામાચારી છે.
આશય એ છે કે, કાર્ય કરનાર વ્યક્તિને, કાર્ય કરાવનાર વ્યક્તિ કહે છે માટે તેણે આ કાર્ય કરવું જોઈએ તેવી બુદ્ધિ ન થાય, પરંતુ નિર્જરાના અર્થીપણાથી સ્વયં સામેની વ્યક્તિ તે કાર્ય કરે, તે જણાવવા માટે જ્યારે કાર્ય કરાવનાર સાધુ વિધિવાક્યનો પ્રયોગ કરે, અને કાર્ય કરનાર સાધુને કહે કે, “તું ઈચ્છાપૂર્વક મારું આ કાર્ય કર” તે ઈચ્છાકાર સામાચારી છે.
વળી પરનું અન્યનું, કાર્ય પોતાને કરવાની ઈચ્છા થાય ત્યારે, પર વ્યક્તિને પોતે ઈચ્છાપૂર્વક કરે છે તેવી ઈચ્છાની પ્રતીતિ કરાવવાને માટે સાધુ “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” – એ પ્રકારનો જે પ્રતિજ્ઞાવાક્યનો પ્રયોગ કરે તે પણ ઈચ્છાકાર સામાચારી છે.
આ બંને પ્રકારના ઈચ્છાકારના ભેદમાં થતા વચનપ્રયોગનું તાત્પર્ય સ્પષ્ટ કરે તેવું લક્ષણ બતાવે છે :
ત્યાં વિધિવાક્યરૂપ ઈચ્છાકારમાં સ્વકાર્ય કર્મરૂપે હોય છે અને ઈચ્છાકાર કરણરૂપે હોય છે, તેથી “સ્વકાર્યકર્મક-ઈચ્છાકરણક વિધિવાક્ય તે ઈચ્છાકાર સામાચારી છે. જેમ કોઈ કહે કે, “ઈચ્છાપૂર્વક તું આ મારું કાર્ય કર.એ પ્રયોગમાં પોતાનું કાર્ય કર્મરૂપે બને છે અને “ઈચ્છાથી તું કર” ત્યાં ઈચ્છા કરણરૂપ બને છે તેવું આ વિધિવાક્ય છે. અહીં “મારું કાર્ય તું ઈચ્છાપૂર્વક કર” એ વચનપ્રયોગ આજ્ઞાર્થરૂપ દેખાય છે, તો પણ આજ્ઞાઅર્થક નથી, પરંતુ સામી વ્યક્તિને તે કાર્ય ઈચ્છાપૂર્વક કરવાની સૂચનારૂપ છે. અને જ્યારે બીજા કોઈનું કાર્ય પોતે કરવા તૈયાર થાય ત્યારે “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” એ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞામાં પરનું કાર્ય કર્મરૂપે છે, અને પોતે પરનું કાર્ય ઈચ્છાપૂર્વક કરે છે માટે ઈચ્છા ‘કરણરૂપે છે, આ બીજા પ્રકારનું વાક્ય પ્રતિજ્ઞાવાક્ય છે. આ વિધિવાક્ય અને પ્રતિજ્ઞાવાક્ય બંને ઈચ્છાકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org