SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, વિભાગવાક્યના મહિમાથી જ દવિધ સામાચારી છે, ન્યૂનાધિક નથી, તેનો લાભ હોવા છતાં ‘દ્વાર’ અર્થમાં ‘તુ’ શબ્દ કેમ મૂક્યો ? તેથી કહે છે ટીકાર્ય : ૪૩ विभाग . મવધારળમ્ વિભાગવાક્યના મહિમાથી આના લાભમાં પણ=સામાચારી દશવિધ જછે તેના લાભમાં પણ, સ્પષ્ટ અર્થ બતાવવા માટે અવધારણ કરેલ છે. ભાવાર્થ : આશય એ છે કે સામાચારી કેટલા પ્રકારની છે ? એ પ્રકારની જિજ્ઞાસાથી જ્યારે સામાચારીના વિભાગને બતાવવામાં આવે ત્યારે, પૂર્વમાં સામાચારીનાં દશ નામો બતાવ્યાં તેનાથી નક્કી થાય છે કે, આ સામાચારી દવિધ જ છે, ન્યૂન કે અધિક નથી. જો અધિક હોત તો સામાચારીનો વિભાગ કહેનાર વાક્ય અધિકનું અવશ્ય નિરૂપણ કરત. પણ અધિકનું નિરૂપણ નથી અને આ વિભાગ છે, તેથી નક્કી થાય કે આ સામાચારી દવિધ જ છે. તો પણ ન્યૂનાધિક નથી તે સ્પષ્ટ બતાવવા માટે અવધારણ અર્થમાં ‘વવિધવ’ એમ કહેલ છે. - દવિધ સામાચારી છે એમ ન કહીએ તો પણ, વિભાગવાક્યના મહિમાથી દશવિધ સામાચારી છે, તેનો લાભ થાય છે, તેમ પૂર્વમાં કહ્યું, ત્યાં વિભાગવાક્યનો મહિમા આ પ્રમાણે છે – વિભાગવાક્યના મહિમાથી વિધેયના વ્યાપકત્વનો લાભ છે. તેથી જીવના ભેદોનું વિધાન કરવામાં આવે ત્યારે જીવના સર્વ ભેદોનું વર્ણન કરવું આવશ્યક બને છે; કેમ કે વિભાગવાક્યમાં વિધેયના વ્યાપકત્વનો નિયમ હોય છે. જેમ કોઈ કહે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય એ ત્રણ પ્રકારના જીવો છે, તો આ કથન મૃષા નથી. કથનરૂપે સત્ય હોવા છતાં જીવના વિભાગને કહેવા હોય તો તે વિભાગવાક્ય બની શકે નહિ; કેમ કે તેમાં જીવના સર્વ ભેદોનું કથન નથી. એ વચન જીવના વિભાગરૂપે ત્યારે બની શકે કે જ્યારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય સુધી સર્વ ભેદોનું કથન ક૨વામાં આવે. તેથી અહીં જીવને ઉદ્દેશીને તેના ભેદનું વિધાન કરવું હોય તે વખતે જો જીવના બધા ભેદો કહીએ તો તે વ્યાપક બને છે. તેમ સામાચારી ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર એ ત્રણ પ્રકારની છે, એમ કહેવામાં આવે તો એ વચન મૃષા ન હોવા છતાં વિભાગવાક્ય ન બની શકે. સામાચારીના પરિપૂર્ણ ભેદ કહેવામાં આવે તો તે વિભાગવાક્ય બને. તેથી અહીં કહ્યું કે, વિભાગવાક્યના મહિમાથી દશવિધ સામાચારી છે, તેનો લાભ હોવા છતાં સ્પષ્ટતાઅર્થક ‘વિધૈવ’ નું કથન કરેલ છે અર્થાત્ વિભાગવાક્યના મહિમાથી તેની પ્રાપ્તિ હોવા છતાં તેનાથી મંદબુદ્ધિવાળાને બોધ ન થાય. તેથી તેને બોધ કરાવવા અર્થે, સ્પષ્ટ રીતે અવધારણ અર્થે ‘વવિધૈવ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. ટીકા ઃ एतेषां उक्तपदानामयं वक्ष्यमाणोऽर्थो लक्षणविषयविभागादिरूपस्तव सिद्धान्ते मया दृष्टः एवं च Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy