SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ તેથી વિશેષ નિર્જરા સાધી શકે તેમ હોય અને પોતાનું કામ અન્ય સાધુ કરે, અને તે અન્ય સાધુ પણ તે કાર્ય કરીને નિર્જરા સાધી શકે તેમ હોય, ત્યારે ઈચ્છાકાર શબ્દપ્રયોગપૂર્વક તેને તે કામ કરવા માટે કહે, તો તે વિહિતકાલકૃત ઈચ્છાકાર સામાચારી છે અને તેનાથી અવશ્ય ફળ પ્રાપ્ત થાય. માટે ઉચિતકાળે કરાયેલ ઈચ્છાકાર સામાચારીનું પાલન સાધુસામાચારી બને છે તે અર્થ ‘કાળ’ શબ્દને દરેક સામાચારી સાથે જોડવાથી બતાવેલ છે. હવે ‘અથવા’ થી મૂળ શ્લોકમાં રહેલ ‘કાળ’ શબ્દનું યોજન ત્રીજી રીતે કરતાં કહે છે કે, કાળે–સામાચારીનો ઉપક્રમકાળ અભિધાતવ્ય હોય ત્યારે, સામાચારી કહેવી જોઈએ; કેમ કે ઉપોદ્ઘાતમાં, તેના અવસરમાં=સામાચારીને કહેવાના અવસરમાં, સામાચારીનું કથન છે. આવશ્યક નિર્યુક્તિમાં છ આવશ્યકોની પ્રરૂપણા શરૂ કરી ત્યારે ત્યાં તે આવશ્યકના નિરૂપણની ભૂમિકારૂપ ઉપોદ્ઘાતની પ્રરૂપણા કરી. ત્યાં ઉપોદ્ઘાતના વર્ણનમાં ગમે તે સ્થાને દશવિધ સામાચારીનું વર્ણન કર્યું નથી, પરંતુ તે ઉપોદ્ઘાતના વર્ણનમાં સામાચારીના ઉપક્રમકાળનો અવસર આવેલ ત્યારે તે સામાચારી કહેલ છે. માટે મૂળ ગાથામાં ‘જન’ શબ્દ છે, તે બતાવે છે કે યોગ્ય શ્રોતાને બોધ કરવા માટે જ્યારે આવશ્યકનું નિરૂપણ ચાલતું હોય ત્યારે દર્શાવધ સામાચારી કહેવાની છે, પરંતુ જે તે સ્થાને નહિ, પણ સામાચારીનો ઉપક્રમકાળ કહેવાનો અવસર આવે તે વખતે દવિધ સામાચારી કહેવી જોઈએ. * ‘બારાન્તોઽસ્તિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, ‘અવશ્ય’ શબ્દ ‘મ્’ કારાંત તો છે, પણ ‘અવશ્ય’ શબ્દ ‘અ’કારાંત પણ છે. ‘વિજ્ઞારાવિ’ અહીં ‘વિ' થી ગોચરી, વૈયાવચ્ચ આદિનું ગ્રહણ કરવું. ‘ગશનાવિના’ અહીં ‘અવિ’ થી પાણીનું ગ્રહણ કરવું. ‘જ્ઞાનાઘર્થ’ અહીં ‘આવિ’ થી દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું. ઉત્થાન : મૂળ શ્લોકમાં રહેલ ‘ત્તે’ શબ્દનો અર્થ કર્યા બાદ મૂળ શ્લોકના આગળના પદાર્થને બતાવે છે ટીકા ઃ ‘सामाचारी’ उक्तलक्षणा भवेद्दशविधा, 'तुः' एवकारार्थे, दशविधैव न न्यूनाधिकेत्यर्थः ; विभागवाक्यमहिम्नैतल्लाभेऽपि स्पष्टार्थमवधारणम् । ટીકાર્થ -- ***** 'सामाचारी . ત્યર્થઃ ।' સામાચારી=મૂળ ગાથામાં કહેલ ‘સામાચારી' શબ્દ, ઉક્તલક્ષણવાળી= પૂર્વમાં કહેલ લક્ષણવાળી, દશ પ્રકારની થાય. ‘તુ’ શબ્દ ‘વાર’ અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાચારી દશ પ્રકારની જ છે; ન્યૂનાધિક નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy