________________
૪૧
સામાચારી પ્રકરણ/ ગાથા : ૪-૫ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે, એ પ્રકારના વિનયરૂપ મર્યાદાથી પૂછવું તે આપૃચ્છા સામાચારી છે. વળી આપૃચ્છા સામાચારીમાં સર્વ પ્રયોજનોની અભિવ્યાપ્તિ લક્ષણ અભિવિધિ અર્થમાં પણ ‘આ’ શબ્દનો પ્રયોગ છે. તેથી આપૃચ્છા કરતી વખતે સર્વ પ્રયોજનોનો સંગ્રહ કરીને આપૃચ્છા કરે છે. જેમ ગોચરી જવા વિષયક આપૃચ્છા કરે, ત્યારે ગોચરીમાં લાવવાની દરેક વસ્તુવિષયક તેની આપૃચ્છા હોય છે, અને તેથી આહારાદિને છોડીને અન્ય પણ કોઈ વસ્ત્રાદિ કે શિષ્યાદિ પ્રાપ્ત થાય તો તેને પણ ગ્રહણ કરે તો સામાચારીનો ભંગ થતો નથી; કેમ કે સર્વ પ્રયોજનોનો સંગ્રહ કરીને શિષ્ય ગુરુને પૃચ્છા કરે છે.
(૭) હવે પ્રતિપૃચ્છા સામાચારી બતાવે છે. એકવાર નિષેધમાં પ્રયોજનવશથી ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે. પૂર્વમાં આપૃચ્છા કરી ત્યારે ગુરુએ એકવાર તે કાર્યનો નિષેધ કર્યો, અને ફરી કાલાંતરે કાર્ય કરવાનું પ્રયોજન ઊભું થવાથી ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે.
(૮) હવે છંદના સામાચારી બતાવે છેઆહાર લાવ્યા પછી લાવેલા આહાર આદિથી અન્ય સાધુઓને આમંત્રણ આપવું તે છંદના સામાચારી છે. આ સામાચારી માંડલીભોજી સાધુને હોતી નથી પણ એકલભોજી સાધુને હોય છે.
(૯) હવે નિમંત્રણા સામાચારી બતાવે છે: ગોચરીને લાવવા પહેલાં જ “હું તમારી ગોચરી લાવી આપું” એ પ્રકારનું સાધુને આમંત્રણ કરવું તે નિમંત્રણા સામાચારી છે.
(૧૦) અને હવે ઉપસંપદા સામાચારી બતાવે છે. ઉપસંપદું શબ્દની વ્યુત્પત્તિ અર્થ કરે છે કે, “સંપત્તિ ૩૫સંપ” જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે અન્ય ગુરુનું આશ્રયણ કરવું તે ઉપસંપ સામાચારી છે.
મૂળ ગાથામાં કાળ પદ છે તે અવસર માટેઃઉપસંપ સામાચારી અવસરે કરવાની છે તે બતાવવા માટે, ઉપસંપદા સામાચારી સાથે સંબંધિત કરાય છે અથવા તો દરેક સામાચારી સાથે સંગૃહિત છે. દરેક સાથે કેમ સંગૃહિત છે? તે બતાવવા માટે કહે છે – સર્વ પણ અનુષ્ઠાન વિહિતકાળમાં કરાયેલું જ ફળવાન થાય છે, અન્યથા નહિ. તે પ્રતિપાદનાર્થે સર્વ પદો સાથે સંબંધિત થાય છે.
પ્રથમ અર્થ પ્રમાણે મૂળ શ્લોકમાં કહેલો “કાળ' શબ્દ ઉપસંપદા સામાચારી સાથે જોડવાનો છે અને ઉપસંપદા સામાચારીમાં જ્ઞાનાદિ માટે અવસર હોય ત્યારે અન્ય ગુરુનો આશ્રય કરવાનો છે. તેનો અર્થ આ પ્રમાણે કરવાનો છે – સ્વસમુદાયમાં જેટલું જ્ઞાન હોય તેટલું પ્રાપ્ત થઈ ચૂકેલું હોય અને વિશેષ જ્ઞાનની શક્તિ હોય તો વિશેષ જ્ઞાન ભણવા માટે અન્ય ગુરુનું આશ્રયણ કરવું તે ઉપસંપદા સામાચારી છે.
અથવા બીજા અર્થ પ્રમાણે “કાળ” શબ્દ બધાની સાથે જોડવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, ઈચ્છાકારાદિ સર્વ અનુષ્ઠાનો વિહિત કાળમાં કરો તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય, અન્યથા નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે, જો કોઈ સાધુ પોતે એ કાર્ય કરવા સમર્થ હોય, આમ છતાં પોતાનું કામ બીજા પાસે કરાવવા માટે ઈચ્છાકારના પ્રયોગથી પ્રાર્થના કરે, અને તેમ કરીને પોતાનું વીર્ય ગોપવે, તો તે વખતે ઈચ્છાકાર સામાચારીનો વિહિતકાળ નથી; છતાં “વં રૂછયા ” તું ઈચ્છાપૂર્વક કર” એમ કહીને પોતાનું કામ બીજા પાસે કરાવે તો તે ઈચ્છાકાર સામાચારીના ફળને પ્રાપ્ત કરે નહિ. પરંતુ પોતે બલવાન યોગને સાધી શકે તેમ હોય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org