________________
૩૮
સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ કરવાનું ખાસ કોઈ પ્રયોજન નથી. તેની પુષ્ટિ કરતાં કહે છે: આથી કરીને અર્થાત્ ‘ાર’ શબ્દનું આવશ્યકી આદિ સાથે યોજન કરવાનું કોઈ પ્રયોજન નથી આથી કરીને, બારમા “સામાચારી પંચાશક'ની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
પંચાશકની વૃત્તિમાં “કાર'નું યોજન ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસ કરીને કર્યું છે અને તેનો અર્થ બે રીતે કર્યો છે :
(૧) ત્યાં પ્રથમ અર્થ કરતાં બતાવે છે કે, “ઈચ્છા” શબ્દ શ્રદ્ધા અર્થમાં છે, “મિથ્યા' એ વ્યલીક અર્થમાં છે અને ‘તથા એ અવૈતથ્ય અર્થમાં છે; અને આ ત્રણ અર્થમાં વપરાતા શબ્દોનું કરવું, એ બતાડવા માટે “કાર” શબ્દનો પ્રયોગ છે. અને આ ત્રણ શબ્દોનું કરવું એટલે શું? તે જ સ્પષ્ટ કરે છે કે, પોતાના વિષયને આશ્રયીને પ્રયોગ કરવો. આશય એ છે કે શ્રદ્ધા અર્થમાં “ઈચ્છા'નો પ્રયોગ કરવો, પોતાનું થયેલું પાપ મિથ્યા છે એ અર્થમાં ‘મિથ્યા'નો પ્રયોગ કરવો અને ‘ગુરુ જે કહેતા હોય છે તેમ જ છે' એવા અર્થમાં ‘તથા નો પ્રયોગ કરવો, એ ઈચ્છાકારાદિ ત્રણ સામાચારી છે.
(૨) પંચાશક વૃત્તિમાં ઈચ્છા-મિચ્છા-તથાકારનો સમાસ બીજી રીતે કરતાં બતાવે છે કે, અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી “ઈચ્છા” એટલે “ઈચ્છાકાર”, “મિચ્છા' એટલે મિથ્યાદુષ્કત’ અને ‘તથા’ શબ્દથી ‘તથા’ એ પ્રકારનું પદ ગ્રહણ થાય છે; અને ત્યાર પછી આ ત્રણનું કાર==ણનું કરણ , એ પ્રકારે સમાસ છે.
અહીં વિશેષ એ છે કે, પ્રથમ વિકલ્પથી સામેની વ્યક્તિને શ્રદ્ધા અર્થે રુચિ અર્થે, “ઈચ્છા' શબ્દનો પ્રયોગ કરવો તે ઈચ્છાકાર સામાચારી છે, એ પ્રકારનો અર્થ થાય; અને બીજા વિકલ્પ પ્રમાણે ઈચ્છાનો અર્થ ઈચ્છાકાર કર્યો અને તે ઈચ્છાકારનું કાર એટલે કરવું, તે ઈચ્છાકાર સામાચારી છે.
એ રીતે પ્રથમ વિકલ્પ પ્રમાણે મિથ્યાકાર સામાચારીમાં મિથ્થાનો અર્થ પોતે કરેલ પાપ મિથ્યા છે એવા અર્થને બતાવવા માટે “મિથ્યા' એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો તે મિથ્યાકાર સામાચારી છે; અને બીજા વિકલ્પ પ્રમાણે ‘મિથ્યા' શબ્દનો અર્થ ‘મિથ્યાદુક્ત અને તે મિથ્યાદુષ્કતનું ‘વાર એટલે કરવું તે મિચ્છાકાર સામાચારી છે.
તથાકાર સામાચારીમાં પ્રથમ વિકલ્પ પ્રમાણે ‘તથા'નો અર્થ “ગુરુ જે કહેતા હોય તે યથાર્થ છે” તેના સ્વીકારરૂપે ‘તથા એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો તે તથાકાર સામાચારી છે; અને બીજા વિકલ્પ પ્રમાણે ‘તથા” એ પ્રકારના પ્રયોગનું ‘ાર’ એટલે કરવું તે તથાકાર સામાચારી છે.
* શ્રદ્ધાર્થ' . ઈચ્છાનો અર્થ શ્રદ્ધા કર્યો, એટલે કે અહીં ભગવાનના વચનની રુચિરૂપ શ્રદ્ધા ગ્રહણ કરવાની નથી, પરંતુ જેને પોતાનું કાર્ય કરવાનું કહેવું છે, તેની રુચિને ગ્રહણ કરવાની છે.
ટીકા :
एतन्मते चूर्णिकृतोऽन्यत्र कारशब्दस्य पर्यवसितस्यैवाभिधानमिति मन्तव्यम् इति अलमतिपल्लवेन ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org