SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ ઉત્થાન : પૂર્વમાં અન્ય મતવાળાએ સ્થાપન કર્યું કે આવશ્યકી આદિ પદોમાં “કાર” શબ્દના યોજનાની જરૂર નથી, અને તેની પુષ્ટિ માટે પંચાશકની વૃત્તિની સાક્ષી આપી. વળી તે મત યુક્ત છે એ સ્થાપન કરવા પર= બીજા, યુક્તિ આપે છે – ટીકાર્ય : યુવત્ત.... વિત્યા અને આ યુક્ત છે=ઈચ્છા, મિચ્છા અને તથા સાથે ‘કાર'નો સમાસ ગ્રહણ કરવો, અને આવશ્યકી આદિમાં કાર' શબ્દનું યોજન ન કરવું, એ પ્રમાણે જે પરે=બીજાએ, સ્થાપન કર્યું એ, યુક્ત છે; કેમ કે ઉત્તરાધ્યયન આદિ ગ્રંથોમાં આનાથી ઈચ્છા, મિચ્છા અને તથા શબ્દથી, અન્યત્ર ‘કાર' શબ્દના પ્રયોગનું અદર્શન છે, એ પ્રમાણે પર=અન્ય મતવાળા, કહે છે. ભાવાર્થ : નિશ્ચયનય ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગથી અભિવ્યંગ્ય અધ્યવસાયને સામાચારી કહે છે અને વ્યવહારનય ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગને સામાચારી કહે છે, અને વ્યવહારનયને આશ્રયીને ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગને સામાચારી સ્વીકારવા માટે ઈચ્છાદિ દશવિધ શબ્દપ્રયોગને “શબ્દપર ગ્રહણ કરેલ છે. તેથી દશ પ્રકારનો શબ્દપ્રયોગ દશવિધ સામાચારી છે, પરંતુ દશ પ્રકારના અધ્યવસાયરૂપ દશવિધ સામાચારી નથી. માટે ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે જોડાયેલા એવા “કાર' શબ્દનો અન્વય આ ત્રણમાં કર્યા પછી આવશ્યકી આદિ પદોમાં “કારનો પ્રયોગ ન કરવામાં આવે તો કોઈ અનુપપત્તિ થતી નથી, કેમ કે આવશ્યકી આદિ પદો શબ્દપર છે. તેથી “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ સાથે યોજન કરવાનું કોઈ પ્રયોજન નથી. અહીં વિશેષ એ છે કે આવશ્યકી આદિ શબ્દોને શબ્દપર સ્વીકાર્યા=આવશ્યકી આદિ શબ્દપ્રયોગ આવશ્યક સામાચારી છે તેમ સ્વીકાર્યું, તેથી આવશ્યક શબ્દ તે આવશ્યક સામાચારીનો વાચક છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. હવે ‘ચ્છા મિચ્છા તથાછાર' માંથી “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ પદોમાં પણ યોજન કરીએ તો વીઝાર “આવશ્યકી,' એ પ્રકારનો પ્રયોગ “આવશ્યક સામાચારી છે” એવો અર્થ પ્રાપ્ત થાય. પરંતુ ત્યાં “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને અર્થ કરવાથી કોઈ અર્થભેદ પ્રાપ્ત થતો નથી. તેથી બિનજરૂરી હાર' શબ્દની અનુવૃત્તિ કરવાનું કોઈ પ્રયોજન નથી. માટે ‘ાર' શબ્દને ઈચ્છા-મિચ્છા-તથા સાથે જ જોડવાનો છે; કેમ કે ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સ્ટાર’ શબ્દ ન હોય તો “ઈચ્છા”એ જીવમાં થતી ઈચ્છા શબ્દનો વાચક બને. તેથી ‘ઈચ્છા' એ શબ્દથી “ઈચ્છા' એ પ્રકારનો શબ્દપ્રયોગ એવો અર્થ પ્રાપ્ત થાય નહીં અને પ્રસ્તુતમાં ઈચ્છા શબ્દથી “ઈચ્છા” એ પ્રકારનો શબ્દપ્રયોગ, એ અર્થ પ્રાપ્ત કરવો છે. તેથી ‘ાર’ શબ્દનું યોજન “ચ્છા' સાથે છે. તે રીતે મિચ્છા’ અને ‘તથા’ માં પણ ‘કાર’ શબ્દનું યોજન જાણવું. ‘ત ઇવ’ પૂર્વમાં સ્થાપન કર્યું કે, અનુવૃત્તિ કરીને “કાર” શબ્દનું “આવશ્યકી' આદિ સાથે યોજન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy