________________
૩૬
સામાચારી પ્રકરણ | ગાથા: ૪-૫ (૧) આ “કાર” શબ્દને અસમાસરૂપે સ્વીકારી બધાં દ્વારો સાથે જોડી શકાય અને (૨) સમાસરૂપે સ્વીકારીએ તો “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને બધાં દ્વારો સાથે જોડી શકાય. અને આ રીતે જોડાય તો ચૂર્ણિની આરાધના થાય.
‘અનુવૃત્ત્વ' - અહીં અનુવૃત્તિ એટલે કે આગળમાંથી અનુવર્તન. જેમ કોઈ કહે કે “સાકરમાં મીઠાશ છે તેવી પૅડામાં પણ છે” તો અહીં મીઠાશની અનુવૃત્તિ પૅડામાં કરવાની છે=આગળમાંથી મીઠાશનું અનુવર્તન થાય છે. તેમ ઈચ્છાદિ ત્રણ સાથે સમાસરૂપે જોડાયેલ “કાર” શબ્દ એ ત્રણની સાથે જોડ્યા પછી આવશ્યકી આદિ પદો સાથે પણ કાર' શબ્દનું અનુવર્તન કરવું. તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ ઈચ્છા, મિચ્છાદિ પ્રયોગો છે, તેમ આવશ્યકી આદિ પણ પ્રયોગો છે, અને આવશ્યકી આદિ પ્રયોગ છે તે કહેવા માટે “કાર” શબ્દની અનુવૃત્તિ કરેલ છે. ટીકા -
___ परे तु 'इच्छामिथ्यातथाकार' इत्यत्र द्वन्द्वोत्तरश्रूयमाणस्य कारशब्दस्यैतेष्वेव प्रत्येकमभिसंबन्धादन्वयः आवश्यक्यादिपदानां च शब्दपरत्वावश्यकत्वादेवानुपपत्तिविरहे तत्र 'कार'शब्दयोजनमनतिप्रयोजनम् । अत एव पञ्चाशकवृत्ताकुक्तं - “इच्छा-मिथ्या-तथा इत्येतेषां श्रद्धार्थ-व्यलीकार्थाऽवैतथ्यार्थानां शब्दानां कारः= करणं-यथास्वविषयं प्रयोग, इच्छा-मिथ्या-तथाकारः । अथवाऽवयवे समुदायोपचाराद् ‘इच्छा' इति ‘इच्छाकारः' 'मिथ्या' इति च मिथ्यादुष्कृतम्, तथाशब्देन च तथेत्येवंभूतं पदमभिगृह्यते, ततश्चेतेषां कारः करणमिति समास” इति । युक्तं चैतदुत्तराध्ययनादिष्वेतेभ्योऽन्यत्र कारशब्दप्रयोगाऽदर्शनादित्याहुः । ટીકાર્ય :
પર તુ તિ બીજાઓ વળી ઈચ્છા-મિચ્છા-તથાકાર એ પ્રયોગમાં ઠુદ્ધના ઉત્તરમાં શ્રયમાણ એવા કાર' શબ્દને આમાં જ=આ ત્રણમાં જ પ્રત્યેકની સાથે અભિસંબંધથી અવય કરે છે, અને આવશ્યકી આદિ પદોનું શબ્દપરપણું આવશ્યક હોવાથી જ અનુપપત્તિનો વિરહ હોતે છતે (અનુવૃત્તિ દ્વારા) ત્યાં=આવશ્યકી આદિ શબ્દોમાં, 'કાર' શબ્દના યોજનાનું અતિપ્રયોજન છેઃખાસ પ્રયોજન નથી.
આથી કરીને જ=કાર' શબ્દનું આવશ્યકી આદિ પદો સાથે ભોજન કરવું અતિપ્રયોજનવાળું છે આથી કરીને જ, બારમા સામાચારી પંચાશક'ની વૃત્તિમાં કહેવાયું છે – “ઈચ્છા-મિચ્છા-તથા એ પદોનું શ્રદ્ધાર્થ, વ્યલીકાર્થ અને અવૈતથ્થાર્થવાળા શબ્દોનું કાર=કરવું યથાસ્વવિષયપ્રયોગ કરવો, તે ઈચ્છા-મિચ્છાતથાકાર છે અથવા અવયવમાં સમુદાયનો ઉપચાર કરીને ‘ઈચ્છા' એટલે ઈચ્છાકાર, મિચ્છા' એટલે મિથ્યાદુકૃત અને તથા શબ્દ વડે ‘તથા', એ પ્રકારનું પદ ગ્રહણ થાય છે, અને ત્યાર પછી આ ત્રણે પદોનું ‘કાર સાથે યોજના કરવું, અને કારનો અર્થ કરણ છે, તેથી તે ત્રણે પદોનું કરવું, એ પ્રકારે સમાસ છે.”
‘તિ પંચાશકની વૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org