________________
પ
સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ અવય કરવા માટે ઈચ્છાદિ પદોનું શબ્દપરત્વ જાણવું. (પરંતુ અર્થપરપણું સ્વીકારવું નહિ). ભાવાર્થ
પ્રસ્તુત શ્લોકમાં “કાર પ્રત્યયને દશવિધ સામાચારી સાથે યોજન કરવા માટે પૂર્વમાં કહ્યું કે, “કાર” શબ્દને પ્રત્યયરૂપે સ્વીકારવો નહિ પણ પ્રયોગાંતરરૂપે સ્વીકારવો, અને સમાસરૂપે પણ સ્વીકારવો નહિ પણ અસમાસરૂપે સ્વીકારવો. એ રીતે “કાર' શબ્દને ઈચ્છાદિ દશવિધ પ્રયોગ સાથે અભેદ અન્વય કરવા માટે ઈચ્છાદિ પદોને શબ્દપર માનવા આવશ્યક છે. જો ઈચ્છાદિ પદોને અર્થપર સ્વીકારવામાં આવે તો “કાર” શબ્દનો ઈચ્છાદિ દશ શબ્દો સાથે અભેદ અન્વય થઈ શકે નહિ.
આશય એ છે કે, ઈચ્છાદિ દશ શબ્દોને જો અર્થપર સ્વીકારીએ તો ઈચ્છા શબ્દથી વાચ્ય ઈચ્છાકાર સામાચારી પ્રાપ્ત થાય, જે સાધુ દ્વારા આચરણ કરાતી ક્રિયાસ્વરૂપ છે, અને તેની સાથે “કાર”પ્રયોગનો અભેદ અન્વય થઈ શકે નહિ; કેમ કે ઈચ્છાકાર સામાચારી સાધુમાં વર્તે છે અને બોલાતો “કાર” પ્રયોગ બોલનાર વ્યક્તિના ઉચ્ચારણરૂપ છે. પરંતુ ઈચ્છાદિ દશપદો, ઈચ્છાદિ દશ પ્રકારના શબ્દપર સ્વીકારવામાં આવે તો તેની સાથે કારનો અભેદ અન્વય થઈ શકે. તે આ રીતે - “ઈચ્છા એ પ્રકારનો જે બોલાયેલ શબ્દ તેની સાથે કાર' શબ્દનો અભેદ અન્વય કરીએ તો એ અર્થ આવે કે “ઈચ્છા” એ પ્રમાણે બોલાયેલો પ્રયોગ તે ઈચ્છાકાર છે, અને આ “ઈચ્છાકાર' એ ઈચ્છાકાર સામાચારીનો વાચક શબ્દ છે. તેથી અહીં ઈચ્છાદિ પદોને અર્થપર ન ગ્રહણ કરતાં શબ્દપર ગ્રહણ કરીને તેની સાથે કારનો અભેદ અન્વય કર્યો, જેથી એ અર્થ પ્રાપ્ત થયો કે, ઈચ્છા એ પ્રકારનો જે પ્રયોગ તે ઈચ્છાકાર, અને આ ઈચ્છાકાર પ્રયોગ તે ઈચ્છાકાર સામાચારીનો વાચક શબ્દ છે. ટીકા :
समस्तत्वे च कारशब्दोऽन्यत्रानुवृत्य योज्य:, अन्यथा चूर्णिरनाराद्धा स्यात् । ટીકાર્ય :
અને સમાસપણું હોતે છતે=પ્રસ્તુત શ્લોકમાં ઈચ્છા, મિચ્છા અને તથા સાથે “કાર' શબ્દનું સમાસપણું હોતે છતે, “કાર' શબ્દ અન્યત્ર=આવશ્યકી આદિ પ્રયોગોમાં, અનુવૃત્તિ કરીને યોજવો. અન્યથા=જો અનુવૃત્તિ કરીને યોજવામાં ન આવે તો, ચૂણિની અનારાદ્ધા=વિરાધના થાય. ભાવાર્થ -
પૂર્વમાં સ્થાપન કર્યું કે “કાર' શબ્દને ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે સ્વીકારવો નહિ, તો તેનો અન્વય બધાં દ્વારો સાથે થઈ શકે. હવે કોઈ કહે કે “કાર' શબ્દ તો ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે છે, તેથી અસમાસરૂપે સ્વીકારી શકાય નહિ. તો તેને ગ્રંથકાર કહે છે કે જો “કાર” શબ્દ ઈચ્છાદિ ત્રણ શબ્દો સાથે સમાસરૂપે હોય તો તે “કાર” શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ પ્રયોગ સાથે યોજવો, અને જો તેમ ન કરવામાં આવે તો ચૂર્ણિકારની વિરાધના થાય. ચૂર્ણિકારે ઈચ્છાકારાદિ દશવિધ સામાચારી સાથે “કાર' શબ્દનું ભોજન કર્યું છે, અને તેની સંગતિ બે રીતે થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org