________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૩
ટીકા :
इत्थमेव च सदालयविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिर्निर्युक्तिकृदभिहिता सङ्गच्छत इति दिग् ।
ટીકાર્ય :
અને આ રીતે જ=જેમ સામાચારીની અનુમિતિમાં ભ્રમત્વ અને પ્રમાત્વની ઉપપત્તિ છે તે રીતે જ, સદાલયવિહારાદિ લિંગ દ્વારા નિર્યુક્તિકાર વડે કહેવાયેલ સુવિહિતત્વની અનુમિતિ સંગત થાય છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
ભાવાર્થ:
કોઈ મુનિ શાસ્ત્રમાં કહેલ આલય, વિહાર, સમિતિ-ગુપ્તિ આદિપૂર્વક સાધ્વાચારનું પાલન કરતા હોય તો તે બાહ્ય લિંગો દ્વારા અનુમાન થઈ શકે કે આ મુનિમાં નિશ્ચયનયને માન્ય ચારિત્રનો પરિણામ છે, તે પ્રમાણે નિર્યુક્તિકારે કહેલ છે. તે સ્થાનમાં પણ કોઈ મુનિ માતૃસ્થાનાદિપૂર્વક આલય-વિહારાદિ કરતા હોય, આમ છતાં કોઈને ભ્રમ થાય કે માતૃસ્થાનાદિ અપૂર્વક તે સદાલયવિહારાદિ કરે છે, તો તે મુનિમાં ભાવથી ચારિત્રનો પરિણામ ન હોય તો પણ અનુમાન કરનારને ભ્રમ થાય કે આ મુનિમાં ભાવથી ચારિત્ર છે . અને કોઈ જીવ પટુ પ્રજ્ઞાવાળો હોય તો સામેના મુનિમાં વર્તતા માતૃસ્થાનાદિને જાણી લે તો ત્યાં સદાલયવિહારાદિ હોવા છતાં સુસાધુનું અનુમાન કરે નહિ. તેથી જે મુનિમાં તેને માતૃસ્થાનાદિ અપૂર્વક આલયવિહારાદિ દેખાય ત્યાં પ્રમાત્મક સુવિહિતત્વની=સુસાધુત્વની, અનુમિતિ થાય છે=આ ભગવાનના વચનાનુસાર ક્રિયા કરનારા છે, માટે સુસાધુ છે, એવી અનુમિતિ થાય છે, જે પ્રમાત્મક સુસાધુનું અનુમાન છે.
સમ્યક્ પરીક્ષક સુગુરુની પરીક્ષા ક૨વા યત્ન કરે અને ભ્રમાત્મક પ્રમિતિ થાય તો પણ વંદનાદિ ક્રિયામાં કોઈ દોષ નથી, પરંતુ સમ્યક્ પરીક્ષા કરવામાં ઉપેક્ષા કરનારને ભ્રમાત્મક પ્રમિતિ થાય કે પ્રમાત્મક પ્રમિતિ થાય તો પણ સમ્યક્ પરીક્ષા કરવામાં ઉપેક્ષા કરેલ હોવાથી અધ્યવસાયની મલીનતાને કારણે કર્મબંધ થાય છે, એટલું અહીં વિશેષ છે.
ટીકા ઃ
૨૯
व्यवहारतः इच्छाकारादिशब्दप्रयोगो मुणितव्यः - ज्ञातव्यः । न च लक्ष्यलक्षणयोरभेदः, ओघपदच्छेदभिन्नसामाचारीं लक्ष्यीकृत्येच्छाकाराद्यन्यतरत्वस्य तल्लक्षणविधानात् । अत्र च भावपूर्वको दशविधशब्दप्रयोगः शुद्धव्यवहारनयेनाश्रीयते, अशुद्धव्यवहारनयेन तु वाङ्मात्रमिति विशेषः । । ३ । ।
ટીકાર્ય --
व्यवहारतः
લક્ષણ જાણવું.
Jain Education International
જ્ઞાતવ્ય: । 'વ્યવહારનયથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ દશવિધ સામાચારીનું
For Personal & Private Use Only
www.jainelibrary.org