________________
૨૮
સામાચારી પ્રકરણ | ગાથા : ૩ અને ભાવપૂર્વકના ઈચ્છાકારાદિનો બોધ ન થાય ત્યાં સુધી વિશેષણરૂપ ભાવનો બોધ થઈ શકે નહિ. તેથી અન્યોન્યાશ્રય દોષ આવશે.
આશય એ છે કે, નિશ્ચયનય પરિણામવિશેષરૂપ સામાચારી સ્વીકારે છે અને તે પરિણામવિશેષરૂપ સામાચારી ચક્ષુથી દેખાય તેમ નથી. તેથી કોઈ વ્યક્તિમાં રહેલા પરિણામવિશેષરૂપ સામાચારીનું અનુમાન કરવા માટે નિશ્ચયનય કહે કે, ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ તે અનુમાપક લિંગ છે અને તે અનુમાપક લિંગથી સામેની વ્યક્તિમાં સામાચારી છે કે નહિ તેનું અનુમાન થઈ શકે છે.
હવે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગને સામાચારીનું અનુમાપક લિંગ સ્વીકારીએ તો ત્યાં ભાવ એ સામાચારીના પરિણામવિશેષરૂપ સ્વીકારવો પડે. તેથી જ્યારે સામેની વ્યક્તિ પરિણામપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ કરે છે એવો બોધ થાય, ત્યારે પરિણામપૂર્વકના ઈચ્છાકારાદિના પ્રયોગથી તે વ્યક્તિમાં પરિણામવિશેષરૂપ સામાચારી છે, તેમ નક્કી કરી શકાય; અને જ્યાં સુધી અનુમાન દ્વારા સામેની વ્યક્તિના પરિણામવિશેષનો નિર્ણય ન થાય ત્યાં સુધી અનુમાપક લિંગના વિશેષણરૂપ પરિણામનું ગ્રહણ થાય નહિ. તેથી વિશેષણ ગ્રહણ નહિ થવાથી વિશિષ્ટ હેતુનું ગ્રહણ ન થાય, માટે અન્યોન્યાશ્રય દોષ આવે છે; કેમ કે જ્યાં સુધી વિશિષ્ટ હેતુનો નિર્ણય ન થાય ત્યાં સુધી સામાચારીનું ગ્રહણ ન થાય, અને જ્યાં સુધી સામાચા૨ીનું ગ્રહણ ન થાય ત્યાં સુધી વિશિષ્ટ હેતુનું ગ્રહણ ન થાય, એ રૂપ અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે આમ ન કહેવું; કેમ કે અમે અનુમાપક લિંગ તરીકે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ સ્વીકારતા નથી, પરંતુ માતૃસ્થાનાદિ અપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગને અનુમાપક લિંગરૂપે સ્વીકારીએ છીએ.
આશય એ છે કે, કોઈ જીવમાં સામાચારી છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઈચ્છાકારાદિ પ્રયોગને હેતુરૂપે કહેલ તે ઉક્ત હેતુના વિશેષણરૂપે “માતૃસ્થાનાદિ અપૂર્વકત્વ” અમે ગ્રહણ કરીશું. તેથી માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઉક્ત હેતુથી=સામાચારી પ્રયોગરૂપ ઉક્તહેતુથી, સામી વ્યક્તિમાં વર્તતા સામાચારીના પરિણામનું અનુમાન થઈ શકે છે. અને કોઈ વ્યક્તિ માયાપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ કરતી હોવા છતાં અનુમાન ક૨ના૨ને ભ્રમ થાય કે માતૃસ્થાનાદિ અપૂર્વક સામેની વ્યક્તિ ઈચ્છાકારાદિ પ્રયોગ કરે છે, તો સામેની વ્યક્તિમાં સામાચારીનો પરિણામ નહિ હોવા છતાં સામી વ્યક્તિમાં વ્યવહારનયને માન્ય સામાચારીનો પરિણામ છે, તેવો ભ્રમ થાય છે; અને માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઈચ્છાકારાદિ પ્રયોગનો પ્રમાત્મક બોધ થાય તો તેનાથી સામેની વ્યક્તિમાં પરિણામરૂપ ઈચ્છાકારાદિ સામાચારી છે, તેનો પ્રમાત્મક બોધ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઈચ્છાકારાદિના પ્રયોગના ભ્રમ અને પ્રમા દ્વારા જીવમાં વર્તતા પરિણામરૂપ સામાચારીની અનુમતિમાં ભ્રમત્વ અને પ્રમાત્વની ઉપપત્તિ છે, તેની પુષ્ટિ કરતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org