________________
સામાચારી પ્રકરણ / ગાથા : ૩ ટીકા -
अथेच्छाकारादिकं न तल्लिङ्ग, मातृस्थानादितोऽपि तत्संभवात्, न च भावपूर्वकमिच्छाकारादिकं तथा, भावस्य सामाचारीपर्यवसायित्वेन विशेषणग्रहं विना विशिष्टहेतोरग्रहेऽन्योन्याश्रयादिति चेत् ? न, मातृस्थानाद्यपूर्वकत्वस्यैवोक्तहेतुविशेषणत्वात्, तद्भ्रमप्रमाभ्यां च सामाचार्यनुमितिभ्रमप्रमात्वोपपत्तेः । ટીકાર્ય :
- સાથેચ્છા... તત્સમવા, ઈચ્છાકારાદિ તેનાં સામાચારીનાં, લિંગ નથી; કેમ કે માતૃસ્થાનાદિથી પણ તેનો=ઈચ્છાકારાદિ પ્રયોગનો, સંભવ છે. ઉત્થાન :
અહીં કોઈ કહે કે, અમે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગનું ગ્રહણ કરીશું, તેથી ઈચ્છાકારાદિ પ્રયોગ લિંગ બની જશે. તેથી પૂર્વપક્ષી કહે છે કે – ટીકાર્ય :
..... ૩પપ . ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પણ તેવા નથી=લિંગ નથી; કેમ કે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગમાં ભાવનું સામાચારીમાં પર્યવસાયીપણું હોવાના કારણે ભાવરૂપ વિશેષણના ગ્રહણ વિના ભાવપૂર્વકના ઈચ્છાકારાદિરૂપ વિશિષ્ટ હેતુનું અગ્રહણ થયે છતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. એ પ્રમાણે જો “મથ’ થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું; કેમ કે માતૃસ્થાનાદિ અપૂર્વકત્વનું જ ઉક્તહેતુનું=ઈચ્છાકારાદિ પ્રયોગરૂપ ઉક્તહેતુનું, વિશેષણપણું છે, અને તેના ભ્રમ અને પ્રમા દ્વારા સામાચારીની અનુમિતિમાં ભ્રમ–પ્રમાત્વની ઉપપતિ છે.
* માતૃસ્થાન' માતૃસ્થાનાદિમાં મારિ પદથી લજ્જાનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
નિશ્ચયનયે કહેલ કે સામાચારી એ જીવનો પરિણામવિશેષ છે અને ઈચ્છાકારાદિ પ્રયોગ એ સામાચારીનું લિંગ છે. ત્યાં ‘અથ” થી કોઈ કહે છે કે, ઈચ્છાકારાદિ પ્રયોગ સામાચારીનું અનુમાપક લિંગ બની શકે નહિ; કેમ કે માયાથી કે લજ્જાથી પણ ઈચ્છાકારાદિ પ્રયોગ થઈ શકે છે, અને જે જીવ માયા આદિથી ઈચ્છાકારાદિ પ્રયોગ કરતા હોય તેઓમાં સામાચારીનો પરિણામ હોતો નથી, તેથી ઈચ્છાકારાદિ પ્રયોગ દ્વારા સામાચારીનું અનુમાન થઈ શકે નહિ.
આ દોષના સમાધાન માટે કોઈ કહે કે, અમે ભાવપૂર્વકના ઈચ્છાકારાદિ પ્રયોગને અનુમાપક લિંગ કહીશું.
તેથી પૂર્વપક્ષી કહે છે કે, ભાવપૂર્વક ઈચ્છાકારાદિને પણ સામાચારીના અનુમાપક લિંગ તમે કહી શકશો નહિ; કેમ કે ભાવપૂર્વકના ઈચ્છાકારાદિ પ્રયોગમાં ભાવ એ નિશ્ચયનયને માન્ય સામાચારીરૂપ છે. તેથી જ્યાં સુધી સામાચારીરૂપ વિશેષણનું ગ્રહણ ન થાય ત્યાં સુધી ભાવપૂર્વકના ઈચ્છાકારાદિનો બોધ થઈ શકે નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org