________________
૨૬
સામાચારી પ્રકરણ | ગાથા : ૩ પર્યાયાસ્તિકનયના વિષયને વિશેષણરૂપે ગ્રહણ કરતો નથી, તેમ શુદ્ધવ્યવહારનય નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતા ગ્રહણ કરે છે માટે તેણે નિશ્ચયનયની વિષયતાનું વિશેષણરૂપે પણ ગ્રહણ કરવું જોઈએ નહીં. તેને ગ્રંથકાર કહે છે કે, વ્યવહારનય દ્વારા ઈતરવિષયતામાત્રના ગ્રહણથી નિશ્ચયનયની વિષયતાનો અતિક્રમ નથી; કેમ કે નિશ્ચયનય જે માને છે તે સર્વ નયોને માન્ય છે.
આશય એ છે કે નિશ્ચયનય ભાવને માને છે, આથી ભાવને તે મોક્ષના કારણરૂપે કહે છે. જ્યારે શુદ્ધવ્યવહારનય મોક્ષના કારણરૂપે ક્રિયાને સ્વીકારતો હોવા છતાં ભાવનો અસ્વીકાર કરતો નથી, પરંતુ ભાવને પણ સ્વીકારે છે. ફક્ત ક્રિયાને તે પ્રધાન કરે છે અને ભાવને ગૌણ કરે છે. આથી શુદ્ધવ્યવહારનય ભાવપૂર્વકની ક્રિયાને મોક્ષનું કારણ કહે છે.
અહીં વિશેષ એ છે કે, ચાર નિપામાં નિશ્ચયનય ભાવઘટને ઘટ કહે છે, નામઘટ-સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને ઘટ કહેતો નથી; અને વ્યવહારનય નામઘટસ્થાપનાઘટ અને દ્રવ્યઘટને ઘટ કહે છે અને ભાવઘટને પણ તે સ્વીકારે છે. ફક્ત નામ-સ્થાપના અને દ્રવ્યરૂપ ત્રણ નિક્ષેપા તે પ્રધાનરૂપે સ્વીકારે છે અને ભાવનિપાને ગૌણરૂપે સ્વીકારે છે, એમ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે. તે રીતે પ્રસ્તુતમાં વ્યવહારનય ઈચ્છાકારાદિ પ્રયોગરૂપ ક્રિયા પ્રધાનરૂપે સ્વીકારે છે અને ભાવને ગૌણરૂપે સ્વીકારે છે. તેથી ભાવપૂર્વકની ક્રિયાને તે મોક્ષનું કારણ કહે છે.
સવનવિષયતાવ્યાખ્યવિષયતાત્વા' - નિક્ષેપાની વિચારણામાં પ્રથમના ચાર નય એટલે કે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ચારે નયો વ્યવહારનયમાં અંતર્ભાવ પામે છે, અને પાછળના ત્રણ નયો એટલે કે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ત્રણ નવો નિશ્ચયનયમાં અંતર્ભાવ પામે છે. નિશ્ચયનયથી ઈતર એવા પ્રથમના ચાર નવો નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાને સ્વીકારે છે, તેથી નિશ્ચયનયને છોડીને સકલનયની વિષયતા ચાર નિક્ષેપા છે; અને નિશ્ચયનય કેવલ ભાવને સ્વીકારે છે, તેથી સકલનયની વિષયતાથી વ્યાપ્ય વિષયતા નિશ્ચયનયની છે; કેમ કે ચાર નિક્ષેપાના એક દેશરૂપ ભાવઘટને નિશ્ચયનય સ્વીકારે છે, તેથી અન્યનયની વિષમતામાં વ્યાપ્ય વિષમતાવાળો નિશ્ચયનય છે. તેથી નિશ્ચયનય જે ભાવઘટને સ્વીકારે છે તે સર્વ નો સ્વીકારે છે, ફક્ત પ્રથમના ચાર નો ભાવઘટને ગૌણરૂપે સ્વીકારે છે અને નામઘટ, સ્થાપનાવટ, દ્રવ્યઘટને મુખ્યરૂપે સ્વીકારે છે. તેમ પ્રસ્તુતમાં નિશ્ચયનય પરિણામરૂપ જે સામાચારીને સ્વીકારે છે, તે સામાચારી વ્યવહારનય પણ સ્વીકારે છે; ફક્ત વ્યવહારનય પરિણામરૂપ સામાચારીને વિશેષણરૂપે સ્વીકારે છે, તેથી પરિણામને ગૌણરૂપે સ્વીકારે છે, મુખ્યરૂપે તો ક્રિયાને સ્વીકારે છે. તેથી વ્યવહારનયથી પરિણામપૂર્વકનો ઈચ્છાકારાદિ દશવિધ શબ્દપ્રયોગ તે સામાચારી છે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, નિશ્ચયનયથી ઈચ્છાકારાદિ લિંગથી અનુમેય એવો ચારિત્રાવણકર્મના ક્ષયોપશમાદિથી પેદા થયેલો જીવનો પરિણામવિશેષ સામાચારી છે. ત્યાં ‘થ થી પૂર્વપક્ષી શંકા કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org