SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ ૨૫ તો ક્રિયાની થાય છે, તેથી ક્રિયાને પ્રધાન કરનાર તે વચન શુદ્ધવ્યવહારનયનું છે. તેમ પ્રસ્તુતમાં નિશ્ચયનયને માન્ય પરિણામપૂર્વકના “ઈચ્છાકારાદિ પ્રયોગને શુદ્ધ વ્યવહારનય સામાચારી કહે છે, તેથી ‘ઈચ્છાકારાદિ’ વચનપ્રયોગને પ્રધાન કરનાર તે વચન શુદ્ધ વ્યવહારનયનું છે. ઉત્થાન : સામાન્ય રીતે સ્યાદ્વાદી જ્યારે દ્રવ્યાસ્તિકનયથી કોઈ કથન કરતો હોય ત્યારે પર્યાયાસ્તિકનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે. જેમ પર્યાયાસ્તિકનય આત્માને અનિત્ય કહે છે, અને દ્રવાસ્તિકનય, પર્યાયાસ્તિકનયની અનિત્યવિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે તેથી આત્માને નિત્ય કહે છે, તે વખતે દ્રવ્યાસ્તિકનય આત્માની અનિત્યતાનું ગ્રહણ વિશેષણરૂપે પણ કરતો નથી. તે જ રીતે શુદ્ધવ્યવહારનય જ્યારે નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે, ત્યારે નિશ્ચયનયની વિષયતા તેને વિશેષણરૂપે પણ ગ્રહણ કરવી જોઈએ નહિ. તેથી શુદ્ધવ્યવહારનયથી કથન કરનારે વિશેષણરૂપે પણ પરિણામને સ્વીકારવો જોઈએ નહિ, પરંતુ એમ કહેવું જોઈએ કે, વ્યવહારનયને યોગ્ય એવો દશવિધ શબ્દપ્રયોગ સામાચારી છે. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે – ટીકા : न चेतरविषयतामात्रेण निश्चयविषयतातिक्रमः, तस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात्, यदभिहितं भगवता भाष्यकारेण - 'सव्वणया भावामिच्छंति' इत्यन्यत्र विस्तरः । ટીકાર્ય - અને ઈતરવિષયતામાત્રથી નિશ્ચયનયતી વિષયતાનો અતિક્રમ નથી; કેમ કે તેનું નિશ્ચયનયનું, સકલનયવિષયતા વ્યાપ્ય વિષયતાકત્વ છે નિશ્ચયનય સકલનયવિષયતાની વ્યાપ્ય વિષયતાવાળો છે, જે કારણથી ભગવાન ભાણકાર વડે કહેવાયેલું છે – “સર્વ નયા ભાવને ઈચ્છે છે” તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે અને આ વિષયમાં અન્યત્ર વિસ્તાર છે. (તે પ્રકારે ગ્રંથકાર નિર્દેશ કરે છે.) ભાવાર્થ : વ્યવહારનય નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રયણ કરે છે, તે આ રીતે - નિશ્ચયનય ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી થયેલા પરિણામવિશેષરૂપ સામાચારી સ્વીકારે છે, તેથી પરિણામવિશેષરૂપ સામાચારી નિશ્ચયનયની વિષયતા છે; અને વ્યવહારનય ઈચ્છાકારાદિ દશવિધ શબ્દપ્રયોગને વિષય કરીને સામાચારીરૂપે સ્વીકારે છે, જે નિશ્ચયનયને માન્ય પરિણામથી ઈતરવિષયતાના આશ્રયણરૂપ છે. તેથી કોઈને શંકા થાય છે, જેમ દ્રવ્યાસ્તિકનય પર્યાયાસ્તિકનયના વિષયથી ઈતર વિષયને ગ્રહણ કરે છે, તેથી દ્રવાસ્તિકનય 9, સર્વનયા વિનચ્છન્તિ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy