SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ તેથી સમ્યફ આચરણામાં ઉપયુક્ત એવો આત્મા સામાચારી છે તે બતાવવા માટે સમભિરૂઢનય સામાચારીનું લક્ષણ “સાવદ્યયોગવિરત, સુસંયત, ત્રિગુપ્ત, ઉપયુક્ત આત્મા સામાચારી છે” – એ પ્રમાણે કરે છે. pવંભૂતતુ' - એવંભૂતન તેરમાં ગુણસ્થાનક સુધી સામાચારી ઈચ્છતો નથી, અને કેવળી પણ જ્યારે યોગનિરોધ આદિ મહાપ્રયત્ન કરતા હોય ત્યારે કેવળીમાં સામાચારીનો સ્વીકાર કરે છે. તેથી સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરી “સાવઘયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત, સમાચરનું આત્મા સામાચારી” એવું લક્ષણ કરે છે. તેથી યોગનિરોધને આચરતા એવા વિશિષ્ટ કેવળીમાં સામાચારી પ્રાપ્ત થાય, અન્યમાં નહીં. ટીકા : पश्चानुपूर्वी पूर्वानुपूर्वीभ्यांव्याख्यातेयंगाथा । एवमनानुपूर्व्यापिव्याख्येयानि विशेषणानि नयनिष्णातैः ।।२।। ટીકાર્ચ - પશ્ચાતુપૂર્વી અને પૂર્વાપૂર્વી વડે આ ગાથા વ્યાખ્યાત કરાઈ. એ રીતે વયનિષ્ણાત વડે અનાનુપૂર્વી વડે પણ વિશેષણોની વ્યાખ્યા કરવી. રા. ભાવાર્થ : ગ્રંથકારે પ્રથમ એક એક વિશેષણને ગ્રહણ કરીને, નય સાથે યોજન કરીને સામાચારીનું લક્ષણ કર્યું, જે પચ્ચાનુપૂર્વી વ્યાખ્યા હતી; અને ત્યાર પછી જો તુ સાદુ' કહી જે કથન કર્યું તે પૂર્વાનુપૂર્વીથી કથન છે, અને તેમ ગ્રહણ કરીને નયોની સાથે સામાચારીનું યોજન ગ્રંથકારે સ્વયં બતાવ્યું. હવે સૂચન કરે છે કે, એ જ રીતે અનાનુપૂર્વીથી વિશેષણો ગ્રહણ કરીને નય સાથે યોજન થાય તે રીતે પ્રસ્તુત ગાથાનું વ્યાખ્યાન ન નિષ્ણાતોએ કરવું જોઈએ, જેથી તે તે નયોની અપેક્ષાએ સામાચારીના સ્વરૂપનો યથાર્થ બોધ થાય. “અનાનુપૂર્વી વ્યાખ્યામાં સામાચારીમાં વર્તતાં આ દરેક વિશેષણોને આડા-અવળાં ગોઠવીને, પ્રથમ “આત્મા સામાચારી છે' - એ સંગ્રહાયની માન્યતા સ્વીકારીને, પછી જે વિશેષણ પ્રથમ ગ્રહણ કર્યું હોય તે વિશેષણને ગ્રહણ કરીને, વ્યવહારનયથી લક્ષણ ઘટે એ રીતે તે વિશેષણનો અર્થ કરીને સામાચારીનું લક્ષણ કરવું અને તે રીતે જ અન્ય નયોથી પણ લક્ષણ કરવું. જેથી સામાચારીનો વિશદ બોધ થાય.IIણા અવતરણિકા - अथ निश्चयव्यवहाराभ्यां दशविधसामाचारीलक्षणमाह - અવતરણિકાર્ય : હવે નિશ્ચય-વ્યવહાર વડે દશવિધ સામાચારીના લક્ષણને કહે છે – ભાવાર્થ - પૂર્વની ગાથામાં સામાચારીનું લક્ષણ નૈગમાદિ સાત નયોના વિભાગથી બતાવ્યું. હવે પ્રસ્તુત શ્લોકમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy