SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ ૧૯ માન્ય સામાચારી નૈગમનયને માન્ય નથી. તે બતાવવા માટે ગ્રંથકારે દ્વિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે, એવું કહ્યું, પરંતુ એક સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે એવું કહ્યું નથી. ઉત્થાન : પૂર્વમાં સાતે નયોના વિભાગથી સામાચા૨ીનું લક્ષણ બતાવ્યું. હવે મૂળ શ્લોકમાં કરેલા સામાચારીના લક્ષણને નયોમાં યોજન કરતાં, બીજા વળી બીજી રીતે અર્થઘટન કરે છે, તે પણ ગ્રંથકારને માન્ય છે. તેથી તેની માન્યતા જુદી દૃષ્ટિથી હોવા છતાં શાસ્ત્રસંમત છે, તે બતાવવા માટે ‘અન્યે તુ દુઃ’ થી કહે છે - ટીકા ઃ अन्ये त्वाहुः - आत्मा सामाचारीति संग्रहः । सावद्ययोगविरत इति व्यवहारः । परिज्ञातसावद्ययोगोऽपि चतुर्थगुणस्थानवर्त्ती न तथेति त्रिगुप्तस्तादृशस्तथा इति ऋजुसूत्र: । देशविरतिसामाचारीमनिच्छन् शब्दस्तु 'सुसंयत' इत्यपि देयमित्याह । प्रमत्तादारभ्य सूक्ष्मसंपरायं यावत्तामनिच्छन् समभिरूढस्तु 'उपयुक्त' इत्यपि विशेषयति । एवंभूतस्त्वाकेवलिनं न तामिच्छति । तत्रापि योगनिरोधाद्याख्यमहाप्रयत्नविरहकाले न तामिच्छतीति समाचरन्नित्यप्याह । तादृशश्च विशिष्टकेवलीति । ટીકાર્થ ઃ - અન્યે ત્વાદુઃ - અન્ય વળી કહે છે · જ્ઞાત્મા - “આત્મા સામાચારી” એ પ્રમાણે સંગ્રહનય કહે છે. ‘સાવધયો વિરત’ - ‘સાવદ્યયોગથી વિરત' એ પ્રમાણે વ્યવહારનય કહે છે અર્થાત્ “સાવઘયોગથી વિરત આત્મા સામાચારી છે.” રિજ્ઞાત - પરિજ્ઞાત સાવધયોગવાળો પણ ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્મા તેવો નથી=સામાચારી નથી, એથી કરીને ‘ત્રિગુપ્ત' તાદેશ=સાવદ્યયોગવિરત, તેવો છે=સામાચારી છે, એ પ્રમાણે ઋજુસૂત્રનય કહે છે અર્થાત્ “સાવઘયોગથી વિરત, ત્રિગુપ્ત આત્મા સામાચારી છે.” વેવિરતિ - દેશવિરતિસામાચારીને નહિ ઈચ્છતો વળી શબ્દનય, સામાચારીના લક્ષણમાં ‘સુસંયત' એ પ્રમાણે પણ વિશેષણ આપવું એમ કહે છે. અર્થાત્ “સાવઘયોગથી વિરત, ત્રિગુપ્ત, સુસંયત આત્મા સામાચારી છે.” પ્રમત્તાવાર મ્ય -પ્રમત્તથી આરંભીને સૂક્ષ્મસંપરાય સુધી સામાચારીને નહિ ઈચ્છતો સમભિરૂઢનય વળી સામાચારીના લક્ષણમાં ‘ઉપયુક્ત’ એ પ્રમાણે પણ વિશેષણ આપે છે. અર્થાત્ “સાવવયોગથી વિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે.” વંભૂતસ્તુ - એવંભૂતનય વળી કેવલી સુધી સામાચારીને ઈચ્છતો નથી, ત્યાં પણ=કેવળીમાં પણ, યોગનિરોધ આદિ નામના મહાપ્રયત્નના વિરહકાળમાં સામાચારીને ઈચ્છતો નથી, એથી કરીને સામાચારીના લક્ષણમાં ‘સમાવરન્’ એ પ્રકારના વિશેષણને પણ કહે છે, અર્થાત્ “સાવદ્યયોગથી વિરત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy