SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ સામાચારીનું લક્ષણ કરે છે. અહીં પ્રશ્ન થાય કે, સાત નયમાં નૈગમનય પ્રથમ છે, આમ છતાં નૈગમનય અનુસાર સામાચારીનું લક્ષણ પ્રથમ કરવાના બદલે અંતે કેમ કહ્યું? તેનું સમાધાન એ છે કે, સંગ્રહનયે સામાચારીનું જે લક્ષણ કર્યું તે લક્ષણમાં ઉત્તર-ઉત્તરના નયો પરિષ્કાર કરીને સંકોચ કરે છે, તેથી સંગ્રહનયથી આરંભીને એવંભૂતનય અનુસાર લક્ષણ પ્રથમ કર્યું, અને નૈગમનય તો સંગ્રહનયને છોડીને પાંચે નયોને માન્ય સામાચારી સ્વીકારે છે, તેથી સંગ્રહનય છોડીને બાકીના પાંચે નયોને માન્ય સામાચારી નૈગમનય કઈ રીતે સ્વીકારે છે, તે બતાવવા માટે એવંભૂતનય પછી નૈગમનય પ્રમાણે સામાચારીનું લક્ષણ બતાવે છે – ટીકા - नैगमनयस्य पुनः शुद्धाऽशुद्धभेदेन द्वैविध्यात्सकलविशेषणविशिष्टो द्विकत्रिकादिसंयोगविशिष्टो वाऽऽत्मा तथा प्रस्थकन्यायदुन्नेयः। ટીકાર્ચ - તૈગમનયનું વળી શુદ્ધ-અશુદ્ધ ભેદ વડે દૈવિધ્ય હોવાથી, સકલવિશેષણવિશિષ્ટ આત્મા અથવા દ્વિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા, પ્રસ્થકળ્યાયથી તથા=તેવો સામાચારી, જાણવો. ભાવાર્થ - નૈગમન શુદ્ધ-અશુદ્ધ બે ભેદવાળો છે. તેમાં શુદ્ધ નૈગમનય પ્રસ્થક નિષ્પત્તિની અંતિમ ક્ષણમાં પ્રસ્થક કરું છું' તેમ કહે છે, અને અશુદ્ધ નૈગમનય પ્રસ્થક માટે લાકડું કાપવા માટે જવાની ક્રિયાથી માંડીને શુદ્ધ નૈગમનયને માન્ય ભૂમિકાથી પૂર્વેની સર્વ ભૂમિકાઓને પ્રસ્થક બનાવવાની ક્રિયારૂપે સ્વીકારે છે. તે રીતે સામાચારીના વિષયમાં પણ શુદ્ધ નૈગમનય, સકલ વિશેષણથી વિશિષ્ટ આત્માને સામાચારી કહે છે, જે એવંભૂતનયની માન્યતા સ્વરૂપ છે; કેમ કે એવંભૂતનય બધાં વિશેષણોથી વિશિષ્ટ આત્માને સામાચારી કહે છે. અને વ્યવહારનયથી આરંભીને સમભિરૂઢનયને માન્ય સામાચારી સ્વીકારનાર અશુદ્ધ નૈગમનય છે, જે બતાવવા માટે કહે છે કે અથવા તો દ્રિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે. ક્રિક-સંયોગ ગ્રહણ કરીએ તો ‘સમાવરનું માત્મા સામાવારી’ એ પ્રકારે પ્રાપ્ત થાય. તેથી “દશવિધ સામાચારીને આચરતો આત્મા સામાચારી છે” એ રૂપ ક્રિક-સંયોગથી વ્યવહારનયને માન્ય સામાચારી અતિ અશુદ્ધ નૈગમન સ્વીકારે છે, અને ત્રિક આદિ સંયોગ દ્વારા ઋજુસૂત્રનયથી આરંભીને સમભિરૂઢનયને માન્ય સામાચારીને શુદ્ધ નૈગમનયને અભિમુખ એવો અશુદ્ધ નૈગમન સામાચારીરૂપે માને છે. અહીં દ્વિક-સંયોગનો અર્થ બે વિશેષણનો સંયોગ એ પ્રમાણે છે. તેથી ‘સમાચરનું” અને “આત્મા” એ રૂપ બે વિશેષણોનો સંયોગ કરીને સામાચારીને કહેનાર વિકલ્પ ક્રિકસંયોગથી પ્રાપ્ત થાય છે. પરંતુ એક વિશેષણના સંયોગથી માત્ર આત્મા સામાચારી છે તેવું ગ્રહણ કર્યું નહિ; કારણ કે અશુદ્ધ નૈગમનય પણ સામાચારીને નહિ આચરતા એવા નિગોદાદિના આત્માને સામાચારી સ્વીકારતો નથી, અને આથી સંગ્રહનયને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy