________________
૧૬
સામાચારી પ્રકરણ | ગાથા : ૨ ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે સાવદ્ય યોગ-વિરતનો અર્થ એવંભૂતનયે ઉપરમાં કહ્યો તેવો ગ્રહણ કરીએ તો, સામાચારીના લક્ષણમાં અન્ય વિશેષણના ગ્રહણની આવશ્યકતા રહેતી નથી, પરંતુ “સાવદ્ય-યોગ-વિરત આત્મા સામાચારી છે તેમ કહેવાથી એવંભૂતનયને માન્ય સામાચારી પ્રાપ્ત થઈ જાય છે. તેથી કહે છે –
ટીકાર્ય :
વરમ ..... ડડક્ષેપર્વત ચરમ વિશેષણ વડે જ(લક્ષણનું) કૃતાર્થપણું હોવા છતાં પણ તેનું ચરમ વિશેષણનું, ઈતર સકલ વિશેષણનું આક્ષેપકપણું છે.
* ‘કૃતાર્થવેંડ'િ અહીં ૩ થી કૃતાર્થ ન હોય તેનો સમુચ્ચય કરવો. ભાવાર્થલય ભૂત થી પત્થાત્ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે :
નનુ પુર્વ સમભિરૂઢનયે સામાચારીનું લક્ષણ કર્યું તે પ્રમાણે અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકવાળા સાધુઓ પણ સામાચારીવાળા છે તેમ સંગ્રહ થાય છે, અને એવંભૂતનયને તેઓમાં સામાચારી માનવી નથી; કેમ કે જ્યાં સુધી સામાચારીનું ફળ પ્રગટ ન થતું હોય ત્યાં સુધી સામાચારી છે, તેમ એવંભૂતનય સ્વીકારતો નથી, અને દશમા ગુણસ્થાનક સુધી મોહના કારણે જીવો જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિ બાંધે છે, તેથી તેઓમાં સામાચારીનું ફળ નથી તેમ તે માને છે; કેમ કે સામાચારીનો અર્થ એ છે કે જીવ પોતાના ભાવોની સમ્યગુ આચરણા કરે, અને પોતાના ભાવોની સમ્યમ્ આચરણા કરતો હોય તો જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓનો બંધ થાય નહિ, તેથી જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એવંભૂતનય સામાચારી સ્વીકારતો નથી; અને અવદ્યનો પરિક્ષય છે તે સામાચારીનું ફળ છે, તેથી ૧૧મા ગુણસ્થાનક આદિમાં રહેલા વીતરાગને એવંભૂતનયા સામાચારીનો સદ્ભાવ સ્વીકારે છે. આ નય શબ્દના વ્યુત્પત્તિસિદ્ધિ અર્થને માનનાર છે અને તેથી તે “કારણ” શબ્દની વ્યુત્પત્તિ કરે છે કે ‘રોતિ તિ કારy'=જે કાર્યને કરતું હોય તે કારણ કહેવાય. તેથી જે કારણ કાર્ય ન કરતું હોય તેવા કારણને અન્ય નયો કારણરૂપે સ્વીકારે છે, પરંતુ એવંભૂતનય એવા કારણને કારણરૂપે સ્વીકારતો નથી. અને આથી જેમ કુશ્લનિહિત=કોઠારમાં પડેલા, બીજને અબીજ કરતાં અવિશેષ કહીને એવંભૂતનય બીજરૂપે સ્વીકારતો નથી, તેમ ૧૦માં ગુણસ્થાનક સુધીના સાધુઓને એવભૂતનય સામાચારી સ્વીકારતો નથી. આથી શાસ્ત્રમાં કહ્યું છે કે, “નિશ્ચયનય ચારિત્રનો નાશ થાય ત્યારે જ્ઞાન-દર્શનનો પણ નાશ સ્વીકારે છે;” કેમ કે જ્ઞાનદર્શન કારણ છે અને ચારિત્ર કાર્ય છે. જે જ્ઞાનદર્શનરૂપ કારણ ચારિત્રરૂપ કાર્ય ન કરતાં હોય તે કારણ નથી તેમ સ્વીકારીને, જેમ નિશ્ચયનય સંવિગ્નપાક્ષિકમાં પણ જ્ઞાન-દર્શન નથી તેમ માને છે, તે રીતે એવંભૂતન નિશ્ચયનયરૂપ એવંભૂતનય, સામાચારીનું કાર્ય અવદ્યનો પરિક્ષય ન હોય તો સામાચારી નથી, તેમ માને છે. તેથી એવંભૂતનય કહે છે કે સામાચારીનું લક્ષણ આ પ્રમાણે કરવું જોઈએ: “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત અને ઈચ્છાકાર આદિ સામાચારીને આચરતો આત્મા સામાચારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org