________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૨ “પષ્યમિત રૂત્યપ દ્રષ્ટવ્યમ્ | ટીકાર્ય :
વળી સમભિરૂઢ નય કહે છે – આ પ્રમાણે શબ્દનયે લક્ષણ કર્યું કે, “ઈચ્છાકારાદિ સામાચારીને આચરતો સુસંયત ઉપયુક્ત આત્મા સામાચારી છે" એ પ્રમાણે, પ્રમસંયત આદિ પણ આવા પ્રકારના છે=સામાચારીનું આ લક્ષણ ઘટે તેવા પ્રકારના છે, એથી કરીને તેઓમાં પણ=પ્રમસંવત આદિમાં પણ, સામાચારી સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. એથી કરીને ત્રિગુપ્ત' એ પણ વિશેષણ આપવું જોઈએ. તેથી સામાચારીનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાયઃ “ઈચ્છાકાર આદિ સામાચારીને આચરતો ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે. તેનો અર્થ ત્રિગુપ્તનો અર્થ, અકુશલ ચિતાદિ વિરોધ કરવો અને કુશલ ચિત્તાદિને પ્રગટ કરવું એ છે. “એકતા ગ્રહણમાં તજ્જાતીયનું ગ્રહણ છે” – એ પ્રકારના ત્યાયથી ‘પંચસમિત' એ પ્રમાણે પણ જાણવું ત્રિગુપ્તરૂપ એકનું ગ્રહણ કરાયે છતે તજ્જાતીય= ત્રિગુપ્તજાતીય, પંચસમિતનું પણ ગ્રહણ થાય છે.
* ‘પ્રમત્તસંતકિયોડગેવંઝાયા' માં ‘વ’ શબ્દથી અપ્રમત્ત આદિનો સમુચ્ચય છે અને પ્રમત્તસંયતાદિમાં રિ’ થી પ્રમત્તસંયતગુણસ્થાનમાં રહેલા અલિત સાધુઓ ગ્રહણ કરવાના છે, કે જેમણે ખુલનાની શુદ્ધિ કરી ન હોય ત્યાં સુધી, આકર્ષ દ્વારા ગુણસ્થાનકથી પાત થયેલા હોય તો પણ શુદ્ધિ કર્યા પૂર્વે સંયમની ક્રિયાઓ બરાબર કરતા હોય તો સુસંયત આદિ બધા વિશેષણોથી સામાચારીનું લક્ષણ તેઓમાં ઘટી શકે છે. તેથી ‘દ્રિ' પદથી તેમને ગ્રહણ કરવા એવું ભાસે છે. અહીં સ્તુલિત સાધુના ઉદાહરણ તરીકે સિંહગુફાવાસી મુનિ જ્યારે અલના પામ્યા છે, પણ જ્યાં સુધી શુદ્ધિ કરી નથી ત્યાં સુધી અલિત છે. તેથી આકર્ષ દ્વારા ગુણસ્થાનકથી પાત હોવા છતાં સુસંયત પણ છે; કેમ કે સંયમની આચરણા બરાબર કરે છે.
* ‘તેવામાં અહીં થી એ કહેવું છે કે અપ્રમત્ત સંયતાદિમાં તો સામાચારી છે જ, પણ પ્રમત્ત સંયતમાં પણ સામાચારી સ્વીકારવી પડશે. ભાવાર્થ :
પ્રમત્ત સંયતોથી સંયમમાં પ્રમાદ થતો હોઈ સમભિરૂઢનય તેઓમાં સામાચારી સ્વીકારતો નથી; અને સુસંયત' વિશેષણનો અર્થ પૂર્વમાં છ જવનિકાયના સંઘટ્ટન-પરિતાપનાદિથી વિરત' એવો કર્યો, તેથી પ્રમત્ત સંયત આદિ સાધુ યતનાપૂર્વક સંયમની આચરણા કરતા હોય ત્યારે સુસંયત છે, આમ છતાં તેઓમાં અપ્રમાદભાવ નથી, તેથી સમભિરૂઢનય પ્રમત્ત સંયતોમાં સામાચારી સ્વીકારતો નથી. તેથી શબ્દનયના સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરી આ નય “ત્રિગુપ્ત’ વિશેષણ મૂકવા દ્વારા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા અપ્રમત્ત મુનિને સામાચારી કહે છે. અને અકુશલચિત્તાદિ જેણે નિરોધ કર્યા છે અને કુશલચિત્તાદિ જે પ્રવર્તાવે છે તે ત્રિગુપ્ત છે, એમ અર્થ કર્યો, અને પ્રમત્ત સંયત સુધી અકુશલચિત્તાદિ પ્રવર્તે છે; કેમ કે પ્રમાદ અંશ અકુશલચિત્તાદિનો પ્રવર્તક છે, માટે અપ્રમત્ત સંયતોની પૂર્વેના મુનિઓમાં સમભિરૂઢનય સામાચારી સ્વીકારતો નથી.
અહીં ‘યશવિજ્ઞાતિ માં ' પદથી અકુશલવચનયોગ અને અકુશલકાયયોગ ગ્રહણ કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org