SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ વ્યવહારનયથી ચરમાવર્તની બહારનો જીવ કે અભવ્યનો જીવ પણ જ્યારે સામાચારી પાળીને નવમા રૈવેયકમાં જતો હોય ત્યારે તેના આત્માને સામાચારી કહે છે. જોકે આવા આત્મામાં વ્યવહારના સામાચારી સ્વીકારે છે, પરંતુ ઋજુસૂત્રનય સામાચારી સ્વીકારતો નથી. તેથી વ્યવહારનયની માન્યતાનું આગળમાં ઋજુસૂત્રનય નિરાકરણ કરે છે. ટીકાઃ अथर्जुसूत्रनयो ब्रूते-एवं सत्यपि व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिन्यतिप्रसङ्ग इति 'उपयुक्त' इत्यपि विशेषणं देयम् । उपयुक्तो नाम ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर इत्यर्थः । न च द्रव्यलिंग्येवंविध इति । ટીકાર્ય : હવે ઋજુસૂત્રનય કહે છે - આમ હોતે છતે પણ વ્યવહારનયના મત પ્રમાણે ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે તેમ હોતે છતે પણ, વ્યવહારની આચરણા કરનાર દ્રવ્યલિંગીમાં દ્રવ્યલિંગધારી એવા પાસત્થા આદિમાં, સામાચારી માનવાનો અતિપ્રસંગ છે. એથી કરીને ઉપયુક્ત' એ પ્રકારે પણ વિશેષણ આપવું="દશવિધ સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે.” અહીં પ્રશ્ન થાય કે, ઉપયુક્ત એટલે શું? તેથી કહે છે - ઉપયુક્ત એટલે ‘શેય અને પ્રત્યાખ્યય પરિસ્સામાં તત્પર’ એ પ્રમાણે ઉપયુક્ત'નો અર્થ છે; અને દ્રવ્યલિંગી આવા પ્રકારનો નથી=ઉપયોગપૂર્વક સામાચારીની આચરણા કરનારો નથી, તેથી અતિપ્રસંગ નહિ આવે, એમ અવય છે. અહીં ‘તિ’ શબ્દ ઋજુસૂત્રનયના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ: ઋજુસૂત્રનય વ્યવહારનયને કહે છે કે, “દશ પ્રકારની સામાચારીને આચરતો આત્મા સામાચારી છે', તેમ સ્વીકારશો તો, જે લોકોએ સાધુપણું લીધું છે અને પ્રસંગે ‘આવર્સીહિ'-'નિશીહિ' ઈત્યાદિ પ્રયોગો કરે છે, પરંતુ ઉપયોગપૂર્વકની ક્રિયાઓ કરતા નથી, તેવા વેશધારીઓ પણ સામાચારીવાળા છે, તેમ માનવું પડે; પરંતુ તેઓની તે આચરણ મોક્ષનું કારણ નથી, તેથી તેઓની આચરણાને સામાચારી કહેવી ઉચિત નથી, માટે સામાચારીના લક્ષણમાં ઉપયુક્ત” એ પ્રમાણે વિશેષણ આપવું જોઈએ. તેથી ઋજુસૂત્રનયના મત પ્રમાણે સામાચારીનું લક્ષણ “દશવિધ સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે અને આમ કહેવાથી દ્રવ્યલિંગધારી પાસત્થા આદિમાં સામાચારી સ્વીકારવાનો અતિપ્રસંગ આવશે નહિ. ઋજુસૂત્રનય ઉપયુક્તનો અર્થ કરે છે: “શેય અને પ્રત્યાખ્યયના પરિજ્ઞાનમાં તત્પર.” તેનો અર્થ એ છે કે દશવિધ સામાચારી જે સ્વરૂપે અર્થને બતાવે છે, તે સ્વરૂપે તેના અર્થો શેય છે, અને તે તે સામાચારીની આચરણાથી જે જે ભાવો કરવાના છે, તેનાથી વિરુદ્ધ ભાવો પ્રત્યાખ્યય છે. તેથી તે તે સામાચારીના અર્થને યથાર્થ જાણતો હોય અને તે તે સામાચારીની આચરણાથી જે જે ભાવો પ્રત્યાખ્યય છે, તે તે ભાવોને જાણવામાં પણ તત્પર હોય તે ઉપયુક્ત કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy