SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ પોતે જ સામાચારી છે. આ નયથી એમ પ્રાપ્ત થાય કે, જગતના તમામ જીવો સામાચારીરૂપ છે, પણ જડ પદાર્થો સામાચારીરૂપ નથી. આ નયની દૃષ્ટિથી એ ફલિત થયું કે આ દશવિધ સામાચારી એ આત્માનું સ્વરૂપ જ છે, જે સાધના દ્વારા પ્રગટ કરવાનું છે, પરંતુ આત્માથી ભિન્ન એવી કોઈ વસ્તુ મેળવવા માટે સાધના કરવાની નથી. ટીકા - अथ व्यवहारनयो ब्रूते-न ह्यात्मा सामाचारीति व्यवहर्तुं शक्यते, एवं सति सर्वत्रात्मन्यविशेषे तद्व्यवहारप्रसङ्गात् । तन्नैवं निगाद्यम्, किन्त्वित्थं निगाद्यं यद् - “इच्छाकारादिकमाचार समाचरन्नात्मा सामाचारी" इति । एवं चाऽसमाचरत्यात्मनि नातिप्रसङ्ग इति । ટીકાર્ચ - હવે વ્યવહારનય કહે છે - “આત્મા સામાચારી છે" એ પ્રમાણે વ્યવહાર કરવો શક્ય નથી જ. આમ હોતે છતે આત્મા સામાચારી છે તેમ હોતે છતે, આત્મારૂપે અવિશેષ એવા બધા આત્માઓમાં તેના=સામાચારીના, વ્યવહારનો પ્રસંગ આવશે. તે કારણથી આ પ્રમાણે કહેવું જોઈએ નહિ, પરંતુ આ પ્રમાણે કહેવું જોઈએ. જે આ પ્રમાણે – “ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે.” તિ” શબ્દ વ્યવહારનયના મતે સામાચારીના લક્ષણની સમાપ્તિમાં છે. અને આ રીતે=ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે એ રીતે, સામાચારીને નહિ આચરતા આત્મામાં સામાચારી માનવાનો અતિપ્રસંગ નથી. ‘તિ” શબ્દ વ્યવહારનયના કથનની સમાપ્તિમાં છે. * ‘દિ પવાર અર્થમાં છે. ભાવાર્થ : સંગ્રહનય આત્માને સામાચારીરૂપે કહે છે, તેનું કારણ સંગ્રહનયના મત પ્રમાણે બધા આત્માઓ શુદ્ધ સ્વરૂપ છે. તેથી નિગોદના જીવો પણ સિદ્ધના આત્મા જેવા છે, માટે સંગ્રહનય આત્માને સામાચારી કહે છે. જ્યારે વ્યવહારનય તો જ્યાં સામાચારીનો વ્યવહાર થતો હોય ત્યાં સામાચારી સ્વીકારે છે અને તેથી સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરતાં તે કહે છે કે સામાચારીનું લક્ષણ આ પ્રમાણે કરવું જોઈએ – “ઈચ્છાકારાદિ દસ પ્રકારના આચારને આચરતો આત્મા સામાચારી છે.” આ લક્ષણથી દશ પ્રકારની સામાચારીને નહિ આચરનાર એવા જીવોમાં સામાચારીના લક્ષણનો અતિપ્રસંગ આવશે નહિ. અહીં વિશેષ એ છે કે વ્યવહારનયની સ્થૂલ દૃષ્ટિ છે, તેથી જે આત્મા સામાચારીની આચરણા કરતો હોય તેવા આત્મામાં તે સામાચારી સ્વીકારે છે; આમ છતાં જે સામાચારી મોક્ષનું કારણ નથી તેવા વેષધારી સાધુઓ પણ જ્યારે ઈચ્છાકારાદિ આચરતા હોય ત્યારે તેવા આત્માઓને પણ તે સામાચારી કહે છે. આથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy